આ બ્લૉગ શોધો

12 ડિસેમ્બર, 2017

અલાઉદ્દીન ખિલજી :એક મહાન શાસક

વીસ વર્ષ મંત્રી (ઈ.સ.૧ર૪૬-૧ર૬૬) અને વીસ વર્ષ સુલતાન (ઈ.સ. ૧ર૬૬-૧ર૮૭) તરીકે દિલ્હી ઉપર શાસન કરનાર બલ્બનના મૃત્યુ સાથે જ બલ્બન વંશનો અંત આવી ગયો. વર્ષો સુધી બલ્બનની સેવા કરનારબરનનો રાજ્યપાલ અને યુદ્ધમંત્રી (આરિજે મમાલિક) મલીક ફિરોઝ ખિલજીએ ઈ.સ.૧ર૯૦માં પોતાને સુલતાન શાઇસ્તાખાન જલાલુદ્દીન ફિરોઝ ખિલજી તરીકે જાહેર કર્યો.
કેટલાક ઇતિહાસકારોના મત મુજબ જલાલુદ્દીન સુલતાન તરીકે નિર્બળ અને અયોગ્ય સાબિત થયો. સિત્તેર વર્ષના ઘરડા સુલતાને નવી ઉદાર નીતિ અપનાવી હતી. તે માનતો કે 'લોહી અને લોખંડની નીતિ'થી કાયમી સામ્રાજ્યની સ્થાપના કરી શકાય નહીં. આવી ઉદારનીતિને કારણે લોકોના મનમાંથી રાજ્સત્તાનો ભય નીકળી ગયો હતો. રાજ્યમાં ઠેરઠેર અનેક કાવતરા રચાયા અને બળવાઓ થયા પરંતુ નરમ દિલ જલાલુદ્દીને બળવાખોરોને સજાને બદલી માફી આપી.
જલાલુદ્દીનનો ભત્રીજો અને જમાઈ અલી ગુર્શપ એક બહારદૂર સૈનિક હોવા ઉપરાંત મહત્ત્વાકાંક્ષી અને વાસ્તવવાદી રાજનીતિજ્ઞ હતો. ઈ.સ.૧ર૯પમાં દેવગિરી પર કરેલી આક્રમણમાં ઘણો ખજાનો એને મળ્યો હતો. આ હુમલા પછી અલીગુર્શપની સત્તા માટેની મહત્ત્વકાંક્ષા બેકાબૂ બની ગઈ. એેણે પોતાના કાકા અને સસરા જલાલુદ્દીનનો ૧ર૯૬ની વીસમી જુલાઈએ વધ કરાવ્યો. એ વખતે એણે પોતે કડામાં હતો. એ પોતાને 'અલાઉદ્દીન મહંમદશાહ સુલતાનતરીકે જાહેર કર્યોજેને સામાન્ય લોકો અલાઉદ્દીન ખિલજી તરીકે ઓળખે છે.
 સુલતાન બનતા જ અલઉદ્દીને કડાથી રાજધાની દિલ્હી તરફ કૂચ કરીરસ્તામાં નવા સૈનિકોની ભરતી શરૃ કરી. જલાલી અમીરો પક્ષાંતર કરી એને મળવા આવવા લાગ્યા. ૩જી ઓકટોબર ૧ર૯૬ના દિવસે એનો વિધિવત રાજ્યાભિષેક કરાયો.
અલાઉદ્દીને દેવગિરિથી મેળવેલું ધન દિલ્હીની જનતામાં વહેંચી દીધું. એણે જલાલુદ્દીનના પુત્રોનો નાશ કર્યો.
અલાઉદ્દીનના રાજ્યાભિષેક સમયે મોટાભાગનો ઉત્તર અને દક્ષિણ ભારત મુસ્લિમ આધિપત્યથી બહાર હતો. એવામાં સમગ્ર ભારત ઉપર વિજય મેળવવો એના માટે સૌથી મોટી સમસ્યા હતી. મુલતાન અને સિંધ ઉપર જલાલુદ્દીન ખિલજીનો પુત્ર કે જે અલાઉદ્દીનનો સાળો થાય. અર્કલીખાન સ્વતંત્ર રૃપે રાજ ચલાવી રહ્યો હતો. ગુજરાતમાં બધેલ રાજપૂતોનું રાજ્ય હતું. રાજપૂતાના તરીકે ઓળખાતું રાજપૂતોનું વતન કે જેમાં હાલના રાજસ્થાન તથા મધ્યપ્રદેશગુજરાત અને પાકિસ્તાનના સિંધના કેટલાક ભાગનો સમાવેશ થતો હતો. એમાં ૧૮ રજવાડાઓ હતા. તેઓ દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર હતા પરંતુ અંદરોઅંદર એકબીજા સાથે લડતા હતા. રાજપૂતાનાને પોતાના આધિપત્યમાં લાવવું અલાઉદ્દીન ખિલજી માટે એક પડકાર હતો. એની પહેલાં કોઈ મુસ્લિમ શાસક રાજપૂત રાજ્યોને સંપૂર્ણપણે હરાવીને પોતાને આધિન કરવામાં સફળ થયો ન હતો. ચિત્તોડ અને રણથંભોરનું અસ્તિત્વ જ સલ્તનત માટે ખુલ્લો પડકાર હતો. મધ્ય ભારતમાં માલવાધારઉજ્જૈન અને બુંદેલખંડ જેવા પ્રદેશો સંપૂર્ણપણે સ્વતંત્ર હતા. દોઆબઅવધવારાણસી અને ગોરખપુરના પ્રદેશો ઉપર દિલ્હી સલ્તનતનો કોઈ પ્રભાવ ન હતો. આવી સ્થિતિમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ અવિરત યુદ્ધો કરી સલ્તનતનો વિસ્તાર વધાર્યો. ઉત્તર ભારતમાં પંજાબસિંધ અને ઉત્તરપ્રદેશના કેન્દ્રના સીધા શાસન હેઠળ નિયંત્રણમાં લાવી દીધા. મોટાભાગના મધ્ય ભારતમાં કે જેમાં ચંદેરીએલિમાપુરધારઉજ્જૈન અને માંડુ જેવા મહત્ત્વપૂર્ણ પ્રદેશોને પણ એણે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રાંતપતિઓના સીધા નિયંત્રણમાં મૂકી દીધા. ગુજરાત એની સલ્તનતનો એક પ્રાંત હતો. પૂર્વમાં વારાણસી અને અવધથી આગળ સલ્તનત વધી ન શકી. બીહાર અને બંગાળ ઉપર ક્રમશઃ હરિસિંહ અને શમ્સુદ્દીન ફિરોઝનું શાસન હતું. જેઓ સલ્તનતથી સ્વતંત્ર હતા. ઓરિસ્સા અને પૂર્વિય રાજ્યોમાં પણ સુલતાનની સેનાઓ પહોંચી ન હતી.
એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી એક નવો ધર્મ સ્થાપવા ઇચ્છતો હતો પરંતુ એના પ્રિય દરબારી દિલ્હીના કોતવાલ અલાઉદ્દીન મુલ્કે એને નવો ધર્મ સ્થાપવાના બદલે સિકંદરની જેમ વિશ્વ વિજયનું કાર્ય કરવાની પ્રેરણા આપી.
ઈ.સ.૧ર૯૭માં કાદરખાનના૧ર૯૯માં સકદી તથા કુતલુગ ખ્વાજાના૧૩૦પમાં અલીબેગના અને ૧૩૦૭-૦૮માં ઈકબાલમંદના નેતૃત્વ તળે મોગોલો ભારત ઉપર ચઢી આવ્યા હતા. અલાઉદ્દીન ખિલજીએ બધા જ આક્રમણોને સફળતાપૂર્વક ખાળ્યા અને દેશને કાયમ માટે મોગલોના આક્રમણોથી મુકત કર્યો.
પરંતુ એણે ભારતવ્યાપી સામ્રાજ્યના વિસ્તરણની યોજના તો ચાલુ જ રાખી. જેના ભાગરૃપે ઈ.સ.૧ર૯૭માં એણે પોતાના ભાઈ ઉબુદાખાન અને વજીર નુસરતખાનની આગેવાની હેઠળ વિશાળ લશ્કર ગુજરાત મોકલ્યું. વાઘેલા શાસક કર્ણ બીજો હાર્યો અને અણહલવાડ છોડીને ભાગી ગયો.
એ જ યુદ્ધમાં કાફૂર નામનો ગુલામ ખંભાતમાંથી મળ્યો જે પાછળથી અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય વજીર બન્યો. (કેટલીક ટીવી ચેનલ  ઉપર અલાઉદ્દીનને સોમનાથ મંદિર ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હોવાનું બતાવે છે પરંતુ ઇતિહાસકારોએ કયાંય આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી. એની કોઈ સાબિતી મળતી નથી.)
રાજસ્થાનનો રણથંભોરનો કિલ્લો વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો હતો. અલાઉદ્દીન ખિલજીએ રણથંભોર પર આક્રમણ કર્યું અને લગભગ એક વર્ષ સુધી કિલ્લાને ઘેરો ઘાલ્યા પછી જુલાઈ ૧૩૦૧માં કબજો કર્યો. રાણા હમીરદેવનો પરાજ્ય થયો. મહાન સૂફી કવિ અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સમકાલીન અને એના દરબારી હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે 'એક રાત્રે રાય (હમીર દેવ)એ ડુંગરની ટોચે આગ સળગાવી પોતાની સ્ત્રીઓ અને કુટંબીજનોને એમાં હોમી દીધા અને પોતાના કેટલાક સૈનિકો સાથે શત્રુ ઉપર હુમલો કરવા ધસી ગયા અને નિરાશામાં પ્રાણ આપી દીધા.
ઈ.સ.૧૩૦૩માં અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કરી એના ઉપર કબજો કર્યો. આ એ કાર્ય હતું જે એની પહેલા કોઈ મુસ્લિમ શાસકે કર્યું ન હતું. રાણાએ કેસરિયા કર્યા. ૩૦,૦૦૦ રાજપૂતો માર્યા ગયા. અમીર ખુશરો આ યુદ્ધમાં અલાઉદ્દીન ખિલજીની સાથે હતા. એમણે લખ્યું કે અલાઉદ્દીને ર૬મી ઓગષ્ટ ૧૩૦૩માં ચિત્તોડ ઉપર વિજય મેળવ્યો. અલાઉદ્દીન ખિલજીએપોતાના મોટા પુત્ર ખિઝરખાનને ચિત્તોડનો શાસક બનાવ્યો અને ચિત્તોડનું નામ ખિઝરાબાદ પાડયું. જોકે માત્ર આઠ વર્ષના ટૂંકાગાળામાં ૧૩૧૧માં રાજપૂતોએ ખિઝરખાનને ત્યાંથી ભાગવાની ફરજ પાડી ચિત્તોડને પુનઃ પોતાના કબજામાં કરી લીધું.
જે કેટલાક લોકો કહે છે કેઃ 'અલાઉદ્દીન ખિલજી ચિત્તોડની રાણી પદ્મિની કે પદ્માવતી ઉપર મોહિત થઈ ગયો હતો અને એના પતિ રતનસિંહને ઉઠાવી લઈ ગયો હતો એ પછી રતનસિંહના બે બહાદુર સૈનિકો ગોરા અને બાદલ એને છોડાવવા માટે દિલ્હી આવ્યા હતા. એનો બદલો લેવા માટે અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કર્યો હતો અને રાણા રતનસિંહને હરાવી દીધો હતો. રાણી પદ્મિનીએ પોતાની દાસીઓ સાથે જોહર કરી પોતાની જાતને આગમાં હોમી દીધી હતી.આ ઘટનાનો ઉલ્લેખ કોઈપણ ઇતિહાસકારે કર્યો નથી. મલિક મોહમ્મદ જાયસીએ ૧પ૪૦માં એક કાલ્પનિક મહાકાવ્ય 'પદ્માવત'ની રચના કરી હતી એમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીની કથા વણી લીધી હતી. એ સિવાય જો કોઈએ આનો ઉલ્લેખ કર્યો હોય તો એ જેમ્સ ટોડ નામક ઇસ્ટ ઈન્ડિયા કંપનીના એક અધિકારીએ કર્યો હતો અને એ પણ છેક ઓગણીસમી સદીમાં ! એટલે પદ્માવતીને ઐતિહાસિક પાત્ર ગણી શકાય નહીં. ઈરફાન હબીબ જેવા ઇતિહાસકારો કહે છે કે  એ એક સંપૂર્ણપણે કાલ્પનીક પાત્ર છે એટલે પદ્માવતી વિશે વિરોધ વંટોળ ઊભો કરવો યોગ્ય નથી.
ઈ.સ.૧ર૯૦થી ૧૩૦૮ સુધી અલાઉદ્દીન ખિલજીએ નિરંતર યુદ્ધો કર્યા અને મોટાભાગના યુદ્ધોમાં એનો વિજય  થયો. એ માટે એનો ઉલુઘબેગનુસરતખાનમલીક  કાફૂર અને ગાઝી મલિક જેવા યોગ્ય સેનાનાયકોનો સાથ મળ્યો હતો. આ યુદ્ધો દર્શાવે છે કે તે સેનાપતિઓનો સેનાપતિ હતો. હરિશચંદ્ર વર્મામધ્યકાલીન ભારતભાગ-૧માં લખે છે કે એની (અલાઉદ્દીન ખિલજીની) પ્રભાવશાળી દૂરંદેશીતાથી ભારતવાસીઓ અત્યંત પ્રભાવિત થયા. જોધપુરના સંસ્કૃત શિલાલેખમાં કહેવામાં આવ્યું છેઃ 'અલાઉદ્દીન ખિલજીના દેવતુલ્ય શૌર્યથી પૃથ્વી અત્યાચારોથી મુકત થઈ ગઈ.'
અલાઉદ્દીનના શૌર્ય અને એની સૈનિક સફળતાએ એને સમકાલીનોમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.
'મધ્યયુગીન ભારતનો ઇતિહાસ'માં ડો.ઇશ્વરભાઈ ઓઝા લખે છે કે ઈ.સ.૧૩૦૬ સુધીમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ લગભગ સંપૂર્ણ ઉત્તર ભારત પર આધિપત્ય સ્થાપી દીધું હતું. ઈ.સ.૧૩૦૬માં વિશાળ લશ્કર લઈને મલીક કાફૂરે (દક્ષિણ ભારતના) દેવગીરી પર આક્રમણ કર્યું. પ્રારંભમાં બાગલણમાં ગુજરાતના નિર્વાસિત કૃણદેવ બીજાને હરાવ્યો. દેવગિરીમાં પણ રાજા રામચંદ્ર મલિક કાફૂર સામે ટકી શકયો નહીં. તેણે સંધિ સ્વીકારી લીધી કાફૂરને થોડા હાથીઓ અને પ્રચૂર માત્રામાં ધન આપીને રાજી કર્યો. રાજા રામચંદ્રને અલાઉદ્દીન ખિલજીને'રાયરાયાન'નું  બિરૃદ આપ્યું તથા છત્ર ચામર આપીને સન્માનિત કર્યો. આવા માનમરતબાની સાથે એક લાખ સોનાના ટકા પણ રાજાને ભેટ આપવામાં આવ્યા. ઉપકારવશ થયેલ રામચંદ્રે પોતાની પુત્રી ઝત્યાલીના લગ્ન અલાઉદ્દીન ખિલજી સાથે કર્યા. આ પ્રકારની મૈત્રી અલાઉદ્દીનના દૂર દક્ષિણના અભિયાનો માટે આશીર્વાદરૃપ નીવડી.
એવી જ રીતે ઈ.સ.૧૩૦૯માં વારંગલ અને ઈ.સ.૧૩૧૦માં દ્વારસમુદ્ર પર મલીક કાફૂરે આક્રમણ કર્યું. બંનેમાં વિજયી થયો. ઈ.સ.૧૩૧૩માં દેવગિરિને પુનઃ દિલ્હીના આધિપત્ય હેઠળ લાવવા કાફૂરે આક્રમણ કર્યું અને શંકરદેવને મારી વિજયી થયો.
આમ ઈ.સ.૧૩૧૩ સુધીમાં અલાઉદ્દીન ખિલજીએ લગભગ સમગ્ર દક્ષિણ ભારત પર સત્તા સ્થાપી દીધી. મલિક કાફૂરના વિજયો એ તેને દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં અમલ કરી દીધો.
રાજત્વ સિદ્ધાંતઃ અલાઉદદ્દીન ખિલજી દિલ્હી સલતનતનો એક મહાન શાસક હતો. તેણે રાજનીતિ અને વહીવટીતંત્રના લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાની દૂરદર્શિતા તથા મૌલીકતા પ્રદર્શિત કરી એનો રાજત્વનો સિદ્ધાંત આનું ઉદાહરણ છે કે તે પૃથ્વી પર અલ્લાહના પ્રતિનિધિ (ખલીફાનાયબ)નો દાવો કરતો હતો. જો કે તે એ પણ માનતો હતો કે એનું રાજત્વ જનતાના પ્રેમ અને ભક્તિ વિના સંભવ નથી. તેથી એણે ભારતમાં હિંદુઓને રંજાડયા નહીં. એણે ધર્મ અને રાજનીતિને એક થવા દીધા નહીં. આમ એણે ધર્મ નિરપેક્ષ રાજત્વનું સ્વરૃપ આપ્યું. જો કે તે પોતે તો ઇસ્લામનો ચુસ્ત અનુયાયી હતો અને તેણે પોતાને ખલીફાનો નાયબ જ ગણાવ્યો. અમીર ખુશરોએ પોતાની રચના 'ખજાઈનુલ કુનુહ'માં અલાઉદ્દીનને 'વિશ્વનો સુલતાન' 'પૃથ્વીના શાસકોનો સુલતાનઅને 'પ્રજાપાલકજેવા બિરૃદ આપ્યા છે. એણે કયાંય ઇસ્લામના આદેશોનું ઉલ્લંઘન કર્યું ન હતું.
વહીવટી સુધારાઃ અલાઉદ્દીન ખિલજી એક મહાન વિજેતાની સાથે કુશળ વહીવટકર્તા પણ હતો. તેણે વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર સુધારા કર્યા. આમાંના કેટલાક તો પાછળથી શેરશાહ અને અકબરે અપનાવ્યા હતા.
એણે વિદ્રોહીઓને શોધીને કડક સજાઓ કરીઅમીર વર્ગ પાસેથી વધારાની સંપત્તિને જપ્ત કરી. ખાલસા ભૂમિને ખેતીલાયક બનાવી. મહેસૂલમાં વૃદ્ધિ કરીએણે ગુપ્તચરોની નિયુક્તિ કરી જે સમગ્ર પ્રદેશમાંથી રજેરજની માહિતી એને આપતા હતા. તેથી કોઈ અમીર-ઉમરાવ કે સૂબો સુલતાન વિરુદ્ધ બળવો કરવાનું વિચારી પણ નહોતો શકતો. સુલતાને દારૃબંધી કરીદારૃ બનાવનારાઓને અંધારા કૂવામાં ફેંકી દીધા. અમીરોને મદ્યપાન કરવા માટે કઠોર દંડ આપ્યા. જુગાર રમવા અને ભાંગ પીવા ઉપર પણ પ્રતિબંધ લાધ્યો. અમીરો દારૃની મહેફિલ સજાવી ન શકે કે ઉજાણી ન કરી શકે એ માટે એમના હળવા-મળવા ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો. એણે લશ્કરને બળવાન બનાવ્યો. એણે ઉલેમાઓથી સલાહ-સૂચન લેવાનું બંધ કરી દીધું હતું. એ રીતે તે ફ્રાન્સના લુઈ ચૌદમા કે પ્રુશિયાના ફ્રેડરીક મહાનની જેમ પોતે જ પોતાનો સલાહકાર હતો. એના મંત્રીઓની સ્થિતિ સચિવો અને કારકૂનો જેવી હતી. બધાને એની આજ્ઞાનુસાર કાર્ય કરવું પડતું હતું. સલતનતમાં કોઈપણ વ્યક્તિ સુલતાનની સમકક્ષ પોતાને માની શક્તી ન હતી.
અલાઉદ્દીન સામ્રાજ્યનો સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. એ ખુલ્લા દરબારમાં ન્યાય તોળતો હતો. પ્રજાને ઘણો ઝડપી ન્યાય મળતો હતો. મોટાભાગના ઇતિહાસકારો અને તજજ્ઞો માને છે કે અલાઉદ્દીનનું ન્યાયતંત્ર એકંદરે નિષ્પક્ષ હતું. અલાઉદ્દીન ખિલજી આ વાતનું ધ્યાન રાખતો હતો કે એના ઉચ્ચ ન્યાયાધીકારી લોકો સાથે સારો વ્યવહાર કરે અને જીવનમાં પણ પવિત્રતા રાખે. દારૃનું સેવન કરનારા એક ન્યાયાધીશને એણે સજા આપ્યાનો ઉલ્લેખ પણ મળે છે. એના જાસૂસો એ વાતનું ધ્યાન રાખતા કે કોઈ અધિકારી રૈયત ઉપર અત્યાચાર ન કરે.
પોલીસ અને જાસૂસીતંત્રઃ
અલાઉદ્દીન ખિલજીએ પોલીસ ખાતાને મજબૂત બનાવ્યું હતું. આ ખાતાનો મુખ્ય અધિકારી કોટવાલ હતો. જે રાજ્યમાં શાંતિ અને કાયદાનો રક્ષક હતો.
અલાઉદ્દીન ખિલજીએ ગુપ્તચર વિભાગને સક્ષમ બનાવ્યું હતું. જાસૂસી ખાતાનો મુખ્ય અધિકારી 'બરીદ-એ-મુમાલિકહતો. એના અંતર્ગત ઘણા બરીદ અથવા સંદેશવાહકોની નિયુક્તિ કરવામાં આવતી. રાજ્યમાં ઘટનારી દરેક ઘટનાની જાણકારી સુલતાનને આપવામાં આવતી હતી.ગુપ્તચરોની ગતિવિધીઓને કારણે લોકો ખાસ કરીને અમીર-ઉમરાવો અને અધિકારી ફફડાટ અનુભવતા રહેતા. બજાર નિયંત્રણનો શ્રેય આ જાસૂસોને જ ફાળે જાય છે.
* ટપાલ વ્યવસ્થાઃ અલાઉદ્દીન ખિલજીએ દરેક રાજમાર્ગ ઉપર બે થી ત્રણ કિલોમીટરના અંતરે ચોકીઓની સ્થાપના કરી હતી જેમાં અધિકારીઓ સંદેશા વ્યવહારની આપ-લે કરતા.
આ ઉપરાંત અલાઉદ્દીન ખિલજીએ લશ્કરી તંત્રમાં પણ મહત્ત્વના સુધારા કર્યા હતા. એણે કાયમી લશ્કરની સ્થાપના કરી હતી. એ વખતે ૪,૭પ,૦૦૦ સૈનિકોનું લશ્કર બનાવ્યું હતું. સૈનિકોને યોગ્ય શસ્ત્રો આપવામાં આવતા. પ્રત્યેક લશ્કરી અભિયાનની સફળતા પછી સૈનિકોને ઈનામ આપવામાં આવતું. સૈનિકોના સુખઆરામઅને અન્ન પુરવઠાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી. એના સમયમાં ગુલામોની સંખ્યા પ૦,૦૦૦ હતી જેનાથી બેશુમાર ખર્ચનો બોજો શાહી ખજાના ઉપર પડતો હતો.એથી એણે વસ્તુઓની કિંમત ઘટાડવાની નીતિ અપનાવી હતી. એ માટે કેટલાક નિયમો ઘડયા. પરિણામે સૈનિકોનો આવશ્યક ચીજો પરનો ખર્ચ ઓછો થઈ ગયો. આ નિયમો કે જોગવાઈને જ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં અલાઉદ્દીન ખિલજીના આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એણે બજાર ઉપર નિયંત્રણ મૂકયું. વેપારીઓને ફરજિયાત નોંધણી કરાવવી પડતી. એમને લોન આપવામાં આવતી. કાળાબજાર ઉપર નિયંત્રણ હતું. એણે પોતાની જેમ જ ઈમાનદાર,વિશ્વાસુ અને નિષ્ઠુર અધિકારીઓની નિમણૂક કરી જેઓ સામાન્ય બજાર કે 'દીવાન-એ-રિયાસત'ની દેખરેખ રાખતા હતા. ઓછું જોખતા કે ભેળસેળ કરતા વેપારીઓને કડક સજા કરવામાં આવતી હતી. વેપારી ગ્રાહકને તોલમાં જેટલું ઓછું આપે એટલા જ વજનનું માંસ વેપારીના શરીરમાંથી કાપીને સજા કરવામાં આવતી હતી ! આથી બજાર સુવ્યવસ્થિત થઈ ગયું. અલાઉદ્દીન ખિલજીના આર્થિક સુધારાઓને સલ્તનતનકાળની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધી ગણવામાં આવે છે. કારણ કે ભાવ નિયમન અને બજાર નિયંત્રણ વ્યવસ્થાને પરિણામે ચીજવસ્તુઓના ભાવ વર્ષો સુધી ઘણા જ નીચા રહ્યા. સરકારી ગોદામો અનાજથી એટલા ભરચક હતા કે રાજધાનીમાં કયારેય દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી જ નહીં. અલાઉદ્દીન ખિલજીએ રાશન-વ્યવસ્થા લાગુ કરી હતી એના પણ પ્રમાણ મળે છે. દરેક ઘરને અડધો મણ (દસ કિલો) અનાજ દરરોજ આપવામાં આવતું.
અલાઉદ્દીનનું મૂલ્યાંકનઃ
અલાઉદ્દીનની સફળતા અને કારકિર્દીનું મૂલ્યાંકન ટૂંકમાં કરવું હોય તો આ મુજબ કરી શકાય.
અલાઉદ્દીન એક પરાક્રમીસાહસિકઅગાધ શક્તિવાળો અને મધ્યયયુગનો મહત્ત્વનો શાસક હતો.
એલફિન્સ્ટન નોંધે છે તેમ 'અલાઉદદ્દીન ખિલજીનો શાસનકાળ ગૌરવપૂર્ણ હતો. સમગ્ર રીતે તે એક સફળ સુલતાન હતો અને પોતાની સત્તાઓનો તેણે ન્યાયી ઉપયોગ કર્યો હતો.
આ મતને સમર્થન આપતા બીજા અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્લી લેનપૂલ જણાવે છે કે 'અલાઉદીન ખિલજી લોહીપિપાસુ અને નિરંકુશ હતો,છતાં તે યોગ્ય શાસક હતો તેનો ઇન્કાર કરી શકાય નહીં.'
અલાઉદ્દીન ખિલજી અભણ હતો છતાંય યુદ્ધ કૌશલ અને શૌર્યનો એનામાં ગજબનો સુમેળ હતો. મૌલિક વિચારોને નક્કર વ્યવહારૃં બનાવવાની કોઠાસૂઝે જ તેને સફળતા અપાવી હતી.
તે કયારેય કોઈ સ્ત્રીના પ્રભાવમાં આવ્યો ન હતો. એ પોતે ઇસ્લામનો અનુયાયી હતો. જો કે એ કટ્ટર મુસ્લિમ ન હતો. એમ છતાંય એણે ઇસ્લામના આદેશોનું પણ કયારેય ઉલ્લંઘન કર્યું ન હતું. એણે દારૃબંધી કરી હતી.વ્યભિચારના દૂષણને ડામવા એણે ઘણા પ્રયાસ કર્યા હતા. વેશ્યાઓને લગ્ન કરવાની ફરજ પાડી હતી. ઊંટવૈદ્યુ કરતા હકીમોને શિક્ષા કરી હતી. જાદૂગરોને તગેડી મૂકવામાં આવ્યા હતા. એણે અંધશ્રદ્ધા,ટૂચકાં અને હાથચાલાકી નાબૂદ કરવાના પ્રયાસ કર્યા હતા. આ પ્રયાસો તેને એક મહાન સમાજ સુધારકની કક્ષામાં મૂકી દે છે.
એણે શીરીનો કિલ્લો અને ત્યાંનો 'હજાર સૂતુન મહેલતૈયાર કરાવ્યો હતો. દિલ્હીની 'કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ'નો પાયો નાંખ્યો હતો. તેણે ઘણી મસ્જિદોસરાઈઓ અને ખાનકાહો ચલાવ્યા હતા.
પોતે અભણ હતો પણ વિદ્વાનોની કદર કરતો હતો. અમીર ખુશરો અને હસન નિઝામી જેવા છેંતાળીસ સાહિત્યકારો-વિદ્વાનોને એણે રાજ્યાશ્રય આપ્યો હતો.
રાજસ્થાન તથા દક્ષિણ ભારતનો એ પ્રથમ મુસ્લિમ વિજેતા હતો.
ડો.ગુપ્તા એને વહીવટી પ્રયોજક ગણે છે. તેઓ કહે છે કે મધ્યકાલીન ભારતના મુસ્લિમ શાસકોમાં રચનાત્મક પ્રતિભાસંપન્ન તે પ્રથમ સુલતાન હતો.
તે જીવ્યો ત્યાં સુધી સામ્રાજ્યમાં શાંતિસલામતી અને વ્યવસ્થા જળવાઈ રહી.
હેવલ જણાવે છે કે અલાઉદ્દીન પોતાના યુગ કરતા ઘણો જ આગળ હતો.
જલોદરના રોગથી પીડાતો સુલતાન અલાઉદ્દીન ચોથી જાન્યુઆરી ૧૩૧૬ના રોજ આ ફાની દુનિયા છોડી ગયો.
***********************************************************
(સંદર્ભ ગ્રંથોઃ (૧) મધ્યકાલીન ભારત ભાગ-૧, (હિંદી) સંપા. હરિશચંદ્ર વર્માપ્રકાશક ઃ હિંદી માધ્યમ કાર્યાન્વય નિદેશાલયદિલ્હી વિશ્વવિદ્યાલયદિલ્હીફેબ્રુઆરીર૦૦૩)
(ર) મધ્યયુગીન ભારતનો ઇતિહાસ ડો. ઇશ્વરભાઈ ઓઝાયુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડગુજરાત રાજ્યઅમદાવાદપ્ર.સાલ. ર૦૧૧.
(૩) (અંગ્રેજી) એડવાન્સડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાસંપા. આર.સી. મજૂમદારએચ.સી. રાયચૌધરી અને કલિકિંકર દત્તાપ્રકાશક ઃ મેકમિલન,લંડનરિ-પ્રિન્ટઃ ૧૯૬પ)

30 નવેમ્બર, 2017

શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે ?

   વિશ્વમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી બૌદ્ધિક ક્ષમતા ! આનો પ્રારંભ ૧૯પ૦ના દશકામાં થયો હતો. આનો મુખ્ય હેતુ કોમ્પ્યુટર્સ અને મશીન માણસની જેમ બૌદ્ધિક રીતે વર્તે એવી ટેકનોલોજી વિકસાવવાનો હતો. સામાન્ય  ગણિતિક ગણતરીઓ કરી શકે એવા કમ્પ્યુટરથી શરૃ થયેલી આ યાત્રા ગેમ્સઓટોમેટિક વાહનોડ્રોન્સ,ડ્રાઈવર વિનાની સેલ્ફ ડ્રાઈવિગ કારતબીબી નિદાનસર્ચ એન્જીન્સ (દા.ત. ગુગલ)ઓનલાઈન આસિસ્ટન્સફોટોમાં ઇમેજની ઓળખસ્પામ ફીલ્ટરીંગ અને  ઓનલાઈન જાહેરાતોને ટાર્ગેટ કરવા સુધી પહોંચી ગઈ છે. તબીબી ક્ષેત્રે કેન્સરને ઓળખી એની ટ્રીટમેન્ટ કરવા સુધી એઆઈનો વિકાસ થયો છે. ૧૯૯૭માં ચેસના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક એવા ગેર કાસ્પારોવને ડીપબ્લ્યુ નામના કોમ્પ્યુટરે ચેસમાં હરાવી દીધો હતો. ૧૧મી નવેમ્બરે ચીનમાં ઓનલાઈન વેચાણનો વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર અલીબાબાના માલિક જેક માએ એઆઈને ત્રીજી ક્રાંતિ તરીકે ઓળખાવી છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં એઆઈનું પ્રમાણ વધી  રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાનતાઈવાનચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.
એઆઈ સંચાલિત યંત્રો/રોબોની ઘણીબધી ઉપયોગીતા છતાં કેટલાક વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ એનો વિરોધ કરી રહ્યા છે. અલીબાબાના માલિક જેક-માએ કહ્યું હતું કે આવનારા ૩૦ વર્ષોમાં યંત્રોની બુદ્ધિમત્તા માનવોની બુદ્ધિમત્તાને પછાડી દેશે જેનાથી વિશ્વભરમાં માણસો માટે નોકરીઓની અછત ઉભી થશે. એમણે કહ્યું હતું કેઓટોમેશન કે સ્વચાલનના પ્રભાવના કારણે શકય છે કે લોકોને દિવસભરમાં ચાર કલાક કે સપ્તાહમાં ચાર  દિવસ  જ કામ કરવું પડે. જેકમા તો અહીં સુધી માને છે કે એઆઈ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ પણ બની શકે છે. કેમ કે જ્યારે પણ તકનીકી ક્રાંતિ થઈ છે ત્યારે વિશ્વયુદ્ધ થયા છે. એમના અનુસાર એઆઈ ત્રીજી ક્રાંતિ છે.
મહાન ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના પ્રખર વિરોધી છે. એ માટે એમની પાસે પૂરતા કારણો છે. એમને ડર છે કે 'એઆઈના પૂર્ણ વિકાસથી માનવજાતના અંતનો આરંભ થઈ શકે છે. એકવાર માણસે એઆઈનો વિકાસ કર્યો તો (એઆઈ) પોતાની મેળે રિ-ડિઝાઈન કરી લેશે અને ઝડપથી આગળને આગળ વધતી જશે. માણસો જૈવિક ઉત્ક્રાંતિમાં ધીમા હોવાથી આ (એઆઈ)ની ઉત્ક્રાંતિની સ્પર્ધા કરી નહીં શકે અને માનવજાતનું સ્થાન બૌદ્ધિકતા ધરાવતા યંત્રો લઈ લેશે.આ જ વાતને આગળ વધારતા હોકિંગે એક બીજી  જગ્યાએ કહ્યું હતું કે 'ફેકટરીઓમાં ઓટોમેશનને લીધે લોકો બેરોજગાર થઈ રહ્યા છે. એઆઈના કારણે બેરોજગારી ઘણી વધી શકે છેજેનો સૌથી મોટો પ્રભાવ મધ્યમવર્ગ ઉપર પડશે.'એમણે આ બાબતને 'વિનાશકબતાવી છે. એમના મતાનુસાર માત્ર ભાવનાત્મકરચનાત્મક અને સુપરવિઝનવાળી નોકરીઓ જ માણસોના ભાગે આવશે. બાકી બધા કામ એઆઈ દ્વારા કરવામાં આવશે. પોર્ટુગલની એક વેબ કોન્ફરન્સમાં હાલમાં જ સ્ટીફન હોકીંગે માનવજીવનમાં ટેકનોલોજીની વધતી દખલગીરી સામે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને લઈને વધારે ઉત્સુક છીએ, પરંતુ આગામી પેઢી તેને માનવીય સભ્યતાના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના તરીકે યાદ કરશે. તેનાથી બચવાની એક જ રીત છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે સાથે તેને માનવતા માટે ઊભા થનારા સંભવિત ખતરા વિશે પણ જાણીએ.એઆઈમાં આખી પૃથ્વીને નષ્ટ કરવાની શક્તિ છે તો સાથે જ મોટા રોગોની સારવાર કરવાની ક્ષમતા છે. એઆઈ ભવિષ્યમાં માનવીને જ રિ-પ્લેસ કરી શકે છે અર્થાત્ માનવજાતને નષ્ટ કરી પોતે એનું સ્થાન લઈ લેશે.
કંઈક આવી જ વિચારસરણી ટેસ્લા અને સ્પેસએકસ કંપનીના માલિક એલન મસ્ક ધરાવે છે. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું કે રોબો માનવો પાસેથી કામ ઝૂંટવી લેશે અને સરકારો ઘેરબેઠા રોજગારી ભથ્થા આપશે. એક કાર્યક્રમમાં મસ્કે કહ્યું હતું કે તે એઆઈથી ઉદભવનારા ખતરાથી દુનિયાને જ્ઞાત કરતા રહેશે. જો લોકો નહીં સમજે તો સ્થિતિ ત્યાં સુધી બગડી જશે કે રોબો ગલીઓ અને માર્ગો ઉપર ખૂનામરકી શરૃ કરી દેશે. આ વિધાનના વિરુદ્ધમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગે તરત બયાન આપ્યું હતું કે એલન મસ્ક દુનિયાને ખોટા ડરાવી રહ્યા છે એલન મસ્કને તો એમણે ઘોર નિરાશાવાદી ગણાવી દીધા.
જો કે હોકીંગએલન મસ્ક અને બીજા લોકોનો એઆઈ વિરુદ્ધનો ભય અસ્થાને નથી. એની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે સાઉદી અરેબિયાએ સોફિયા નામક રોબોને સાઉદીની નાગરિકતા આપી. એ કાર્યક્રમમાં સોફિયાને બનાવનાર હેન્સન રોબોટીકસના ડેવિડ હેન્સને એને પૂછયું કે તારો ધ્યેય શું છે તો સોફિયાએ જવાબ આપ્યો કે 'માનવજાતનો વિનાશ કરવો મારૃં ધ્યેય છે.'
નીક બોસ્ટ્રોમે એમના પુસ્તક 'સુપર ઇન્ટેલીજન્સમાં એઆઈને માનવજાત માટે ખતરારૃપ બતાવી છે. દલીલ કરતા તેઓ કહે છે કે પૂરતી બુદ્ધિમત્તા (એઆઈ) ધરાવતા રોબો કોઈ લક્ષ્ય પ્રાપ્તિ ખાતર કાર્ય પસંદગી માટે 'કન્વર્જન્ટવર્તન કરે છે અને મૂળ સ્ત્રોતોને કાબૂમાં કરી પોતાની સિસ્ટમને બંધ કરવાથી સુરક્ષિત કરી લે એ ખતરનાક બાબત છે. એ પછી માણસનો એમના ઉપર કોઈ કાબૂ રહેતો નથી. કંઈક આવી જ ઘટના બની ત્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગને એક પ્રયોગ અધવચ્ચે જ અટકાવી દેવાની ફરજ પડી હતી. વાત એમ હતી કે ફેસબુકના શોધકર્તાઓ એ જોવા ઇચ્છતા હતા કે રોબો એકબીજા સાથે કેટલી સરસ રીતે સંવાદ કરી શકે છે. પરંતુ પ્રયોગ શરૃ થયાના થોડા સમય પછી આ રોબોએ સામાન્ય અંગ્રેજી ભાષા છોડી પોતાની કોઈ અલગ જ ભાષા વિકસાવી લીધી અને એમાં જ વાત કરવા લાગ્યા. આ ભાષા માત્ર તેઓ જ સમજી શકતા હતામાણસો નહી. તેથી સંશોધકોએ તરત જ આ પ્રયોગ અટકાવી દીધો.
કેટલાક લોકો ઓટોમેશનનો વિરોધ કરે છે એમાં મુખ્ય ડર માણસોની બેરોજગારીનો છે. વિશેષજ્ઞોના મતાનુસાર એવો અંદાજ છે કે ર૦ર૧ સુધી વિશ્વમાં દર ૧૦ માણસોમાંથી ૪ માણસોની નોકરી ચાલી જશે. એન્જિનિયરીંગઇન્ફ્રાસ્ટ્રકચરવાહન ઉધ્યોગ અને બેન્કિંગ ક્ષેત્રોમાં સ્વચાલનનું ચલણ વધી રહ્યું છે. જેમ જેમ સ્વચાલન વધશે તેમ તેમ શ્રમ આધારિત ક્ષેત્રો પ્રભાવિત થશે. પીપલ સ્ટ્રોંગના કાર્યકારી અધીકારી અને સ્થાપક પંકજ બંસલનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે ૪૦ ટકા અને ભારતમાં અંદાજે ર૩ ટકા બેરોજગારી વધી જશે. સ્વચાલનને લીધે જ્યાં ૧પ૦૦ લોકો કામ કરતા હતાત્યાં આજે પ૦૦ લોકોથી જ એટલું કામ થઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન સૂચવતા તેઓ કહે છે કે સરકારે બે પ્રમુખ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે. પ્રથમ વચલા બજારને મજબૂત કરવું તથા કાર્યબળ (મેન પાવર)ના કૌશલ્યને નિખારવા ઉપર ધ્યાન આપવું જોઈએ. જેથી સ્વચાલનને કારણે સર્જિત થતા નવા રોજગારને પ્રાપ્ત કરી શકાય.
માર્ટીન ફોર્ડે 'લાઈટસ ઈન ધ ટનલઓટોમેશનએકસલરેટીંગ ટેકનોલોજી એન્ડ ધ ઇકોનોમી ઓફ ધ ફયુચર'માં દલીલ કરી છે કે એઆઈની એપ્લીકેશનમાં સ્પેશ્યાલાઈઝેશનરોબો અને સ્વચાલનના બીજા રૃપ,અંતે તો મહત્ત્વની બેરોજગારીમાં પરિણમશે. કેમ કે યંત્રો મજૂરોની કાર્યક્ષમતા કરતા વધારે ક્ષમતાથી કાર્ય કરશે.
આ શંકાની પૂર્તી કરતા હોય એમ નાસકોમના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આગલા ત્રણ વર્ષોમાં ર૦થી રપ ટકા નોકરીઓમાં ઘટાડો થવાની શંકા છે. વર્લ્ડ બેંકનું અનુમાન છે કે ભારતમાં સ્વચાલનને કારણે ૭૯ ટકા નોકરીઓ ઉપર જોખમ તોળાઈ શકે છે. ચીનમાં ૭૭ ટકા નોકરી જોખમમાં આવી શકે છે. ભારત જેવા વિકસતા દેશ માટે આ બાબત ખતરનાક સાબિત થઈ શકે છે. આપણો દેશ વિકાસના ડગ ભરવા સાથે નવી નોકરીઓના સર્જનમાં સંઘર્ષ કરી રહયો છે. સંયુકત રાષ્ટ્રના અહેવાલ મુજબ ભારતની વસ્તીમાં ૧૯૯૧થી ર૦૦૩ દરમિયાન ૩૦ કરોડનો વધારો થયો હતો. પરંતુ નોકરીઓ માત્ર ૧૪ કરોડ જ વધી હતી ! અમેરિકાની એમએફએસ રિસર્ચના અંદાજ મુજબ ભારતમાં આઈટી ઉદ્યોગમાં ૬.૪૦ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.
ભારતમાં આઈટી ઉપરાંત કારફાર્માઅન્ન અને પીણા, ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા ઉદ્યોગમાં નોકરીઓ ઉપર ભય તોળાઈ રહ્યો છે. ર૦૧૬ના વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ વિશ્વભરમાં મજૂર બળને ખોખલા કરવાની અર્થાત્ એમની સંખ્યા ઓછી કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે. ટેકનોલોજી અને સ્વચાલનના કારણે મધ્યમ કૌશલ્યવાળી નોકરીઓ દા.ત. કારકૂનો અને મશીનચાલકોના કાર્યો ઘટયા છે. પરંતુ હાઈ સ્કીલ (ઉચ્ચ કૌશલ્ય) અને નિમ્ન કૌશલ્યવાળા કાર્યોમાં વધારો થયો છે. ભારત જેવા દેશો માટે આ મોટી સમસ્યા છે. આ ટ્રેન્ડ માત્ર ટેકનોલોજીના કારણે જ નહીં પરંતુ વૈશ્વિકરણ અને શહેરીજકરણને લીધે પણ થયું છે. 

નિષ્કર્ષ એજ છે કે જે ઉદ્યોગો માં ખુબ જ જરૂરી હોય ત્યાજ સ્વચાલન અપનાવવું જોઈએ.ટેકનોલોજી સારી બાબત છે પરંતુ એનો વિવેકપૂર્વક નો ઉપયોગ આવશ્યક છે.નહીતર આ જ ટેકનોલોજી માનવજાત સામે મોટો ખતરો બની શકે છે.


18 નવેમ્બર, 2017

સર સૈયદ એહમદખાન : શૈક્ષણિક સમાજસુધારક




પ્રસિદ્ધ શાયર ડો.મુહમ્મદ ઇકબાલે જેના વિશે કહ્યું હતું કે, 'આ માણસની ખરી મહાનતા એ વાતમાં છે કે તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ છે જેણે ઇસ્લામને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો અને એ માટે કાર્ય કર્યું.એ માણસ એટલે સર સૈયદ એહમદખાન. ૧૭મી ઓકટોબરે એમની ર૦૦મી જન્મજયંતિ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અને ભારતની ઘણી મુસ્લિમ સંસ્થાઓમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. સર સૈયદ એહમદખાન ૧૭મી ઓકટોબર ૧૮૧૭માં દિલ્હીમાં મુઘલોના વંશજોમાં જન્મ્યા. દાદા સૈયદ હાદી જવ્વાદ બિન ઇમામુદ્દીન આલમગીર દ્વિતીયના દરબારમાં જનરલના ઉચ્ચ હોદ્દા ઉપર હતા. નાના ખ્વાજા ફરીદઉદ્દીન અકબર દ્વિતીયના દરબારમાં મંત્રી હતા અને પિતાએ સમ્રાટ અકબર દ્વિતીયના અંગત સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. માતા અઝીઝુન્નીસાએ કડક શિસ્ત હેઠળ સૈયદ એહમદખાનનો ઉછેર કર્યો હતો. બાળપણથી જ એમને આધુનિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. કુઆર્નશરીફની તાલીમ મહિલા શિક્ષિકા પાસેથી મેળવીજે એ સમયમાં અસામાન્ય બાબત હતી. લોર્ડ વેલેસ્લીના ચાર્જમાં ફારસીઅરબીઉર્દૂ અને રૃઢિગત ધાર્મિક અભ્યાસ કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકૂન તરીકે આગ્રાની કોર્ટમાં નોકરી મળી. ૧૮૪૦માં મુનશી તરીકે બઢતી મળીઅને ૧૮પ૮માં ઉચ્ચ હોદ્દા ઉપર કોર્ટમાં નિયુક્તિ થઈ. ઘરમાં મળેલા આધુનિક શિક્ષણે એમને સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધાઅજ્ઞાનતા અને કુરિવાજોના વિરોધી બનાવ્યા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે પશ્ચિમી અને વૈજ્ઞાનિક શિક્ષણ જ મુસ્લિમ સમાજને પ્રગતિના પંથે પહોંચાડી શકે છે અને આ વાત તો એમના મનમાં વધારે દૃઢ થઈ ગઈ જ્યારે તેઓ ૧૮૬૯માં પોતાના પુત્ર સાથે ઈંગ્લેન્ડ ગયાત્યાં એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી જોઈ એટલા પ્રભાવિત થયા કે ભારતમાં પણ એક 'મુસ્લિમ કેમ્બ્રિજયુનિવર્સિટી હોવી જોઈએ એવો વિચાર આકાર લેવા લાગ્યો અને એમાંથી જ એમણે ૧૮૭૦માં 'કમિટી ફોર ધી બેટર ડીફયુઝન એન્ડ એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ અમોંગ મોહમેડન્સ'ની સ્થાપના કરી. આ જ કમિટીએ ૧૮૭૩માં અલીગઢમાં કોલેજની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો અને દાન ઉઘરાવી ર૪ મે ૧૮૭પના દિવસે મોહમેડન એંગ્લો ઓરિએન્ટલ કોલેજ (MAO)ની સ્થાપના કરી. પ્રારંભે આનું જોડાણ કલકત્તા યુનિવર્સિટી સાથે હતું. પરંતુ ૧૮પપમાં અલ્હાબાદ યુનિ. સાથે જોડાણ કરવામાં આવ્યું. ૧૯ર૦માં આ કોલેજ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે રૃપાંતરણ પામી ૯૭ વર્ષોમાં આ યુનિવર્સિટીએ ઘણા પ્રસિદ્ધ વિદ્યાર્થીઓ આપ્યા. જેમાં સ્વતંત્રતાસેનાની મુહમ્મદઅલી જોહરઅબ્દુર્રબ નસ્તરમૌલાના શૌકતઅલીમૌલવી અબ્દુલ હક, (પાકિસ્તાનમાં બાબ-એ-ઉર્દૂ તરીકે જાણીતા છે) પાકિસ્તાનના પ્રથમ બે વડાપ્રધાન લિયાકતઅલીખાન અને ખ્વાજા નાઝિમુદ્દીન,ભારતના રાષ્ટ્રપતિ ડો.ઝાકિરહુસેનઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને શકીલ બદાયુનીથી જાવેદ અખ્તર જેવા અસંખ્ય નામોનો સમાવેશ થાય છે.
સર સૈયદ એહમદખાન ભારતના એક શિક્ષણ સુધારક તરીકે વધારે જાણીતા છે. શિક્ષણ ક્ષેત્રે એમણે આપેલું યોગદાન અમૂલ્ય છે. ૧૮પ૯માં મુરાદાબાદમાં ગુલશન સ્કૂલ૧૮૬૩માં ગાઝીપુરમાં વિકટોરિયા સ્કૂલની સ્થાપના કરી. ૧૮૬૪માં ભારતમાં મુસ્લિમોની પ્રથમ વિજ્ઞાન સંસ્થા સાયન્ટીફીક સોસાયટી ફોર મુસ્લિમ્સની સ્થાપના કરી. ૧૮૭૮માં મોહમેડન એસોસિએશનની સ્થાપના કરી જેનો મુખ્ય હેતુ મુસ્લિમો વચ્ચે રાજકીય સહકાર સ્થપાય એ હતો. ૧૮૮૩માં મુસ્લિમ યુવાનો ભારતીય પ્રશાસનિક સેવાઓમાં પ્રવેશી શકે એ માટે મોહમેડન સિવિલ સર્વિસ ફંડ એસોસિએશનની સ્થાપના કરી. એમણે ૧૮૮૬માં ઓલ ઇન્ડિયા મોહમેડન એજ્યુકેશનલ કોન્ફરન્સનું આયોજન એ હેતુથી કર્યું હતું કે મુસ્લિમો આધુનિક શિક્ષણ અને રાજકીય એકતાનું મહત્ત્વ સમજે. આ બધા કાર્યોને લીધે તેઓ ૧૯મી સદીના મુસ્લિમોના સૌથી મહત્ત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા.
૧૮પ૭ના વિપ્લવમાં સર સૈયદે કોઈ ભાગ લીધો ન હતો. એ માટે જમાલુદ્દીન અફઘાની જેવા મુસ્લિમ આગેવાનોએ એમની ટીકા પણ કરી હતી પરંતુ ૧૮પ૯માં એમણે બગાવત-એ-હિંદ નામની પુસ્તિકા લખી  વિપ્લવના કારણોની ચર્ચા કરી હતી. એમાં એમણે બ્રિટિશ  ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આક્રમક વિસ્તરણની યોજનાને જવાબદાર ઠરાવી હતી. તેઓ કોંગ્રેસના પ્રખર ટીકાકાર હતા. કેટલાક લોકોનંુ માનવું છે કે અંગ્રેજોની વફાદારીને કારણે જ એમને 'ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયા'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અર્થાત્ તેઓ રાયબહાદૂર સર સૈયદ એહમદખાન તરીકે ઓળખાયા.
તેઓ શિક્ષણવિદ હોવા ઉપરાંત સારા કવિ અને લેખક પણ હતા. એમણે અસારઉસ સનાદીદએહકામએ નામ-એ અહેલે કિતાબઆખિરી મઝામીનઅસબાબે બગાવતે હિંદહકીકતુસ્સહરસીરતે ફરીદીયહતબીનુલ કલામતેહઝીબુલ અખ્લાકતઝકીરા અહલે દિલ્હીઊદ એ હિંદી અને તફસીરુલ કુઆર્ન લખી. ઉર્દૂ ભાષાથી ખૂબ લગાવ હતો. હિન્દીને પણ માન આપતા હતા પરંતુ ૧૮૬૭માં હિન્દી-ઉર્દૂ ભાષાનો વિવાદ વકર્યો. એમણે ઉર્દૂનો પક્ષ લીધો. ઉર્દૂના પ્રચાર-પ્રસાર માટે માત્ર ઉર્દૂમાં જ લખતા હતા. એમના લીધે જ હૈદરાબાદની રાજભાષા અને ઓસમાનિયા યુનિવર્સિટીની માધ્યમિક ભાષા તરીકે ઉર્દૂને અપનાવવામાં આવી હતી.
એમણે શિક્ષણ અને સમાજોપયોગી કાર્યો કર્યા ત્યાં સુધી લોકોને એમનાથી કોઈ વિરોધ ન હતો પરંતુ તેમણે કુઆર્નની તફસીર (વિવેચન/ભાષ્ય) લખી એમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા તો લોકોએ એમને 'નેચરી'નું બિરુદ આપ્યું અને કેટલાક વિદ્વાનોએ એમની ઉપર કુફ્ર (નાસ્તિકતા)ના ફતવા પણ લગાવ્યા. એમણે બાઇબલનું વિવેચન પણ લખ્યું હતું. જે કોઈપણ મુસ્લિમ દ્વારા પ્રથમ પ્રયત્ન હતો. આ કારણોેને લીધે કેટલાક લોકો એમ માનતા હતા કે તેઓ ખ્રિસ્તી બની ગયા છે. જો કે એ માટેની કોઈ સાબિતી નથી.
શિક્ષણ વિશેના એમના 'વિઝનઅને 'વિચારોઆજે પણ ખૂબ જ પ્રસ્તુત છે.
મુસ્લિમોની સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવામાં છે.
* 'મને ગમે તે નામથી બોલાવો. હું તમારાથી મોક્ષ (નજાત) નથી માગતોપરંતુ તમારા બાળકો ઉપર કૃપા કરો. એમના માટે કંઈક કરો (એમને શાળાઓમાં મોકલો)નહીં તો તમારે પસ્તાવું પડશે.'
* 'જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પ્રગતિ નહીં કરીએ ત્યાં સુધી પછાત અને ધુત્કારેલા રહીશું.'
* 'અંધશ્રદ્ધાઓ અને કુ-રિવાજોને તિલાંજલિ આપો. આ કુરિવાજો માનવ પ્રગતિમાં બાધારૃપ છે.'
* 'અંધશ્રદ્ધા ઈમાનનો ભાગ ન હોઈ શકે.'
* 'રાષ્ટ્રની પ્રગતિની પ્રથમ શરત સમાજના વિવિધ સમુદાયો વચ્ચે ભાતૃભાવ એકતા હોવી એ છે.'
હા 'MAO’અલીગઢ મુસ્લિમ યુનિ.નો મુખ્ય હેતુ મુસ્લિમોને આધુનિક શિક્ષણ આપવાનો છે કે જેઓ પછાતપણાથી પીડાઈ રહ્યા છેપરંતુ આ સંસ્થા મુસ્લિમોની સાથે હિંદુઓની પણ છે. બંનેને શિક્ષણની આવશ્યકતા છે.
* 'હિન્દુઓ અને મુસ્લિમો હિન્દુસ્તાન નામની દુલ્હનની બે આંખો સમાન છે. કોઈ એકની નબળાઈ સૌંદર્યને બગાડી શકે છે.'
* 'આપણે (હિંદુઓ અને મુસ્લિમોએ) એક નવી ભાષા ઉર્દૂને જન્મ આપ્યો છે.
* 'આગળ જુઓઆઘુનિક જ્ઞાન મેળવો અને પુરાણી નિરર્થક વિદ્યાઓમાં સમય ન બગાડો.
* 'બીજાને ઇસ્લામનો ચહેરો ન બતાવોપરંતુ તમારો ચહેરો બીજાને દખાડો કે જે સાચા ઇસ્લામને માને છેજેનું ચારિત્ર્ય ઉમદા છે અને જે જ્ઞાનસહિષ્ણુતા અને સંયમને પ્રદર્શિત કરે છે.'
યાદ રાખો હિંદુ અને મુસ્લિમ માત્ર ધાર્મિક રીતે અલગતા દર્શાવે છે પરંતુ આ દેશમાં વસતા બધા જ લોકો એક રાષ્ટ્રીયતા ધરાવે છે.
આવા દૂરંદેશી અને સમાજસુધારક સર સૈયદ એહમદખાન ભારતના શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસમાં હંમેશા આદરભર્યું સ્થાન ધરાવશે. ભલે તેમણે ર૭ માર્ચ ૧૮૯૮ના દિવસે આ દુનિયાથી વિદાય લીધી પરંતુ ભારતીયોના દિલોદિમાગમાં તેઓ હંમેશાં જીવશે.

30 ઑક્ટોબર, 2017

સંબંધોની સાચવણી

                           પ્રસિદ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સે કહ્યું હતું કે તમારા જીવનની ગુણવત્તા એ ખરેખર તમારા સંબંધોની ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર રાખે છે. સમાજમાં આપણે એકલા નથી. કોઈને કોઈની સાથે આપણે જોડાયેલા છીએ. આપણા કુટુંબીઓ, સ્વજનો અને બીજા લોકો સાથે આપણા સંબંધ હોવાના. સંબંધીઓ સાથે જન્મજાત સંબંધ હોય છે તો બીજા લોકો સાથે સંબંધો કેળવવા પડે છે. આપણે એકલા રહી શકતા નથી. રહેવું  પણ ના જોઇએ. બીજા લોકો સાથે જેટલા સારા સંબંધ કેળવી શકીએ એટલું જીવન અર્થપૂર્ણ બને છે. આપણા સુખી  હોવાનો આધાર બીજા લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એના ઉપર છે. તમને તમારા ભાઈબહેનો સાથે ન બનતુ હોય, પાડોશી સાથે ન બનતું હોય, સંબંધીઓ સાથે તમારે ઝઘડા થતા હોય તો એનો અર્થ એ છે કે મુશ્કેલી તમારા સ્વભાવમાં કે તમારા વર્તનમાં છે. ખામી તમારી વિચારસરણીમાં છે. બીજાને દોષ દેવાને બદલે તમારી જાતને સુધારો. બીજા લોકો તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે, તમને માન આપતા નથી કે તમને પ્રેમ કરતાં નથી ત્યારે એ વિચારજો કે તમે બીજા લોકો સાથે સારો વ્યવહાર કરો છો? તમે બીજાને માન સન્માન આપો છો? તમે બીજા લોકોને પ્રેમ આપો છો? જે દિવસે આ જવાબ મળી જશે સમજો તમારી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. આપણે જેમ સ્વાર્થી અને અહંકારી છીએ એમ બીજા લોકો પણ છે.
આપણે આપણી શરતો મુજબ જીવન જીવવા માગીએ એ બરાબર છે પરંતુ એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે બીજા લોકો કંઈ આપણી શરતો કે ઇચ્છા મુજબ જીવવા બંધાયેલા નથી. આપણે જો એમની ઇચ્છા મુજબ ન ચાલીએ તો એમને આપણી ઇચ્છા પ્રમાણે ચાલવાની ફરજ કેવી રીતે પાડી શકીએ? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે. બીજા આપણને પસંદ કરશે કે નહીં એની ચિંતા કરવાને બદલે આપણો વ્યવહાર એવો હોવો જોઇએ કે સામેવાળાના હૃદયમાં આપણા માટે લાગણી જન્મે. સારા સંબંધો કેળવવા માટે પ્રેમની તાકત પ્રગટાવવી પડશે. બળજબરીથી કોઈને તમારા બનાવી નહીં શકે. હા, જો તમે થોડા પણ નમવા માટે તૈયાર હો તો સામેની વ્યક્તિ જરૃર નમશે. અહંકારને ઓગાળવાની જરૃર હોય છે. બીજા લોકો જેવો વ્યવહાર આપણી સાથે કરે એવો જ વ્યવહાર આપણે એમની સાથે કરીએ એ સંકુચિત માનસ છે. બીજા લોકો આપણી સાથે ખરાબ વ્યવહાર કરે તો પણ આપણે એમની સાથે સદ્વર્તાવ કરીએ એમાં મોટાઈ છે. આપણા આવા વર્તનથી કદાચ એમને શરમ ઉપજે અને એ પણ આપણી સાથે સારો વ્યવહાર કરવા લાગે એવું પણ બને. કૂતરો આપણને બટકું ભરે તો કંઈ એને બટકું ભરવા ન જવાય. લા રોશકોફો નામના ફિલસૂફે કટાક્ષમાં કહ્યું હતું “મને મારી જાતમાં ખૂબ રસ છે. બીજા લોકો મુર્ખ છે તે મારામાં એટલો જ રસ દાખવતા નથી.” આ જગત ગીવ એન્ડ ટેકના નિયમ મુજબ ચાલે છે. જેટલું આપણે બીજાને આપીશું એનાથી વધારે આપણને આવી મળશે. એરિક ક્રોમ નામના મનોવિજ્ઞાનીએ નિરિક્ષણ કર્યું છે કે માણસ બીજાને કશું આપીને જેટલો આનંદ અનુભવે છે એટલો બીજા કશા થી બનતો નથી.એટલે આનંદી  બની રહેવું હોય તો બીજા લોકોને સતત કંઇક ને કંઇક આપતા રહો. જરૃરી નથી કે ભૌતિક વસ્તુઓ જ તમે આપો. એક મોહક સ્મિત કે દિલાસાના કે પ્રેરણાના બે શબ્દો પણ કોઈને આનંદ આપી શકે છે. શા માટે આપણે આપો અને લો ના આ નિયમ અનુસરવું જોઈએ? કારણકે આખી સૃષ્ટિમાં ‘સિમ્બીઓસીસ’ અર્થાત્ સહજીવન કે પરસ્પરી જીવનનો સિદ્ધાંત ચાલે છે. તમે ઘણી વનસ્પતિઓ કે પ્રાણીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યુ હશે કે તેઓ એકબીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે. આપણે પણ આજ સૃષ્ટિમાં જીવીએ છીએ. કુદરતના નિયમો વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. આખું વિશ્વ બુનિયાદીરૃપે ‘હાર્મની’ કે સંપ-સુમેળના આધારે રચાયેલું છે. દરેક વસ્તુ બીજાના સહકારના આધારે થાય છે.
આજે ઘણા લોકો કહે છે કે લોકો બહુ સ્વાર્થી થઈ ગયા છે. અહીં બધા સ્વાર્થના સગાં છે. નિસ્વાર્થ સંબંધો હવે રહ્યા નથી. આવું આપણે કહીએ ત્યારે વિચારવું જોઈએ કે ‘બધા’ ‘સ્વાર્થી’ લોકોમાં આપણો પણ સમાવેશ નથી થતો? આપણે એક સરસ ઉપાય શોધી કાઢ્યો છે. કંઇપણ ખોટું થાય તો એ બીજાનો જ વાંક હોય છે, બીજા લોકોને તરત જ જવાબદાર ઠેરવી દેવાના જેથી આપણા ઉપર આક્ષેપ ન થાય. આ રીત એક કવિએ કહ્યું છે એમ
ખુદને ખરાબ કહેવાની હિમ્મત નથી રહી
તેથી લોકો કહે છે જમાનો ખરાબ છે
આપણે પોતાને ખરાબ માનતા જ નથી એટલે જમાનાને ખરાબ કહીને છુટા થઈ જઈએ છીએ. એક ઝેન કથા વાંચી હતી. બીજા ગામથી એક ભાઈ આવીને લોકોને પૂછે છે કે આ ગામના લોકો કેવા છે? એક હોશિયાર  માણસ સામો પ્રશ્ન કરે છે કે જે ગામમાંથી તમે આવ્યા ત્યાં કેવા લોકો હતા? એ મુસાફર કહે છે બહુ ખરાબ હતા, સ્વાર્થી હતા બહુ નાલાયક માણસો હતા. પેલા ચતુરે જવાબ આપ્યો ભાઈ, અહીં પણ આવા જ લોકો છે. પેલો ચાલ્યો જાય છેે. એક બીજો પ્રવાસી આવે છે અને એમને પૂછે છે આ ગામના લોકો કેવા? ચતુર એ જ પ્રશ્ન સામો પૂછે છે કે ત્યાં કેવા હતા? પ્રવાસી કહે છે કે ત્યાં તો બહુ સારા લોકો હતા, ખૂબ પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો હતા. ચતૂરે જવાબ આપ્યો ભાઈ આ ગામમાં તમને એમનાથી વધારે સારા, પ્રેમાળ અને નિસ્વાર્થ લોકો મળશે. તમે ગામ છોડીને જવાનું નામ જ નહીં લો. પેલો પ્રવાસી ગામમાં વસી ગયો. આ વિરોધાભાસી વાતો સાંભળી ચતુર સજ્જનના સાથીઓ મુંઝવણમાં મુકાઈ ગયા કે બંનેને વિરોધાભાસી જવાબ કેમ.
એક જણે પૂછી લીધું કે તમે પહેલાને કહ્યું ગામના લોકો ખરાબ છે અને બીજાને કહ્યું બહુ સારા છે. આ અવળી વાતનું કોઈ કારણ ખરૃં? ચતુરે જવાબ આપ્યો કે પહેલા પ્રવાસીને સામા ગામમાં કંટાળો આવ્યો લોકો બુરા લાગ્યા તો અહીં પણ એને કંટાળો આવવાનો. અહીંના લોકો પણ એને બૂરા જ લાગવાના. બીજા પ્રવાસીને પેલા ગામના લોકો પ્રેમાળ લાગ્યા તો અહીંના લોકો પણ એને એવા જ લાગવાના.
આ જગત પડધા અને પ્રતિબિંબોની હારમાળા છે. પહેલાના મનમાં જો કંટાળો અને ધિક્કાર ભરેલો હશે તો એને બધે જ કંટાળો આવવાનો અને ધિક્કાર જ મળવાનો. જેના અંતરમાં પ્રેમ ભરેલો છે એને સર્વત્ર પ્રેમના દર્શન થવાના. આ સાવ સાદા નિયમના આધારે દુનિયા ચાલે છે. એમ છતાંય આજે સંબંધીઓથી સંબંધ વિચ્છેદ કરવાના ઘણા કિસ્સા આપણે જોઈએ છીએ. નાની નાની બાબતોમાં લોકો રીસાઈ જાય છે, ફલાણા પ્રસંગમાં અમને બોલાવ્યા નહીં અને જો બોલાવ્યા હોય તો અમને મહત્વ  આપ્યું નહીં. આખી બાબતોને લઈ લોકો સંબંધો તોડી નાખે છે. એ લોકો ભૂલી જાય છે કે આ દુનિયા ગોળ છે , ક્યાંકને ક્યાંક એમની સામે ભેટો થવાનો જ છે. અને ભેટો થાય ત્યારે જે નાનમ અને ક્ષોભ મનમાં ઉદ્ભવે છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં.
આપણા સમાજ જીવન કે ધંધાની સફળતા આપણા સંબંધીઓ, મિત્રો અને બીજા લોકો સાથેના સારા વ્યવહાર ઉપર નિર્ભર છે. જો બધા સાથે સારા સંબંધ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાય ત્યારે કે ધંધામાં બહુ મોટું નુકસાન થઈ ગયું હોય ત્યારે આ સ્વજનો અને મિત્રો જ કામમાં આવે છે.  સંબંધીઓનું કેટલું મહત્ત્વ હોય છે એનો અંદાજ આ હદીસ ઉપરથી આવશે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે “જેણે સંબંધીઓ સાથે સંબંધ વિચ્છેદ કર્યો એ સ્વર્ગમાં નહીં જાય.” કેટલી મોટી વાત છે.! (સુનન અબુ દાઉદ, ૧૬૯૬)
જે લોકો સંબંધીઓ તો ઠીક, પોતાના સગા ભાઈ-બહેન અને માતાપિતા સાથે દુર્વ્યવહાર કરે છે એમના વિશે શું કહેવું?
જ્હોન સી. મેક્સવેલ નામના મોટીવેશનલ લેખકે સરસ પુસ્તક લખ્યું છે “વીનીંગ વિથ પીપલ” એમાં એમણે ૨૫ પ્રકારના જુદા જુદા સંબંધો વિશે ચર્ચા કરે છે. સંબંધો બનાવી રાખવા એ મેનેજમેન્ટનો સૌથી મોટો નિયમ છે. આ પુસ્તક વાંચવા  જેવું છે. એમાંથી અમુક બાબતો અહીં ટુકમાં જણાવા માંગુ છું.
સારા સંબંધો સફળતા કે અચીવમેન્ટ માટે પાયારૃપ છે. લોકો સાથે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ એનાથી આપણી સફળતા કે નિષ્ફળતાનો સંબંધ છે. જો તમે ભરોસાપાત્ર હશો તો બીજા પણ એવા જ દેખાશે. તમે જોવા હો છો એવા બીજા લોકો તમને દેખાય છે. તેથી તમે તમારી જાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તમારી જાતને સુધારશો અને જે બનવા માગો છો એનો પ્રયત્ન કરો છો તો તમે એવા બનો છો. બીજા લોકો સામે ફરિયાદ કરવાની જરૃર રહેશે નહીં. સફળતા માટે હકારાત્મક ઇમેજ ઊભી કરો. નકારાત્મક ઇમેજ ઊભી કરનારા સફળ થતા નથી. તમારી પાસે જે કંઇ ખુટે છે કે તમારામાં જે ત્રુટીઓ છે કે જે કંઇ સમસ્યાઓ છે એના પ્રતિ પ્રમાણિક બનો. યાદ રાખો , એકલા એકલા સફળતા મળતી નથી. બીજાનો સાથ સહકાર લો. જે લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે તેઓ સફળ થાય છે. જે લોકો બીજાની વાતોથી દુખી જલ્દીથી થઈ જાય છે તેઓ બીજાને પણ એટલા જ દુખી કરે છે. લોકો આપણા શબ્દો કરતા અભિગમ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે અભિગમ હંમેશા સકારાત્મક રાખવો. બીજા પાસેથી મેળવવું સરળ છે, બીજાને આપવું બહુ મુશ્કેલ છે. પરંતુ સાચો આનંદ આપવામાં જ છે. બીજાને ઉપર ઉઠાવવામાં છે. બીજાને કંઇક લાભ થાય એવા કાર્યો કરવામાં વધુ આનંદ આવે છે. બીજા સાથે સંબંધો બાંધવામાં પ્રેમનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. પોતાના વિશે વિચારવાને બદલે બીજા વિશે વિચારવામાં આવે છે ત્યારે સંબંધો વધુ ગાઢ બને છે. જીવનમાં સૌથી મહત્ત્વની બાબત છે ઃ લોકો. દરેક માણસ કે જેને આપણે મળીએ છીએ કંઇક ને કંઇક ખુબી કે સારી લાક્ષણિકતા ધરાવતો હોય છે. એટલે એનાથી કંઇકને કંઇક શીખવા મળે તો શીખી લેવું જોઈએ. રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું હતું કે “હું એવા કોઈ માણસને નથી મળ્યો જે કોઈને કોઈ બાબતમાં મારાથી ચડીયાતો ન હોય.” તમારે  વિકાસ  કરવો હોય તો તમારા કન્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. કશુંક કરો-કશુંક શીખો અને શીખવાની પ્રક્રિયા શરૃ થાય છે સાંભળવાથી. એટલે બીજા લોકોની વાતો ધ્યાનથી સાંભળો. સંબંધો વિશ્વાસના પાયા ઉપર રચાય છે અને વિશ્વાસ કેળવાય છે નિષ્ઠાથી. બીજા પાસેથી વિશ્વાસ અને પ્રમાણિકતાની અપેક્ષા હોય તો સૌથી પહેલા આપણે પ્રમાણિક અને વિશ્વાસુ બનવું જોઈએ. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કે સંપત્તિ, આપણો હોદ્દો અને ભૌતિક વસ્તુ એક તરફ અને બીજી તરફ સંબંધમાંથી પસંદગી કરવાની આવે તો સંબંધ બચાવવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં જેટલું રોકાણ કરશો એટલું જ એનું રિટર્ન સારૃ મળશે. હાર્વડ હોગસને કહ્યું હતું, “તમે જે કોઈ ધંધામાં હોવ, યાદ રાખજો, કે તમે સંબંધોના ધંધામાં છો. તેથી તમારી નામના કે પ્રતિષ્ઠા સૌથી મોટી મૂડી છે.”
(યુવાસાથી મેગેઝીન ,ઓગસ્ટ ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )

જીનીયસ બનવા શું જરૃરી : પરિશ્રમ કે પ્રતિભા?

જીનીયસ અર્થાત્ મેઘાવી પુરૃષો કુદરતી રીતે જ  જીનીયસ હોય છે, શું જન્મથી જ તેઓ પ્રતિભા ધરાવે છે કે પછી સખત પરિશ્રમ એમને જીનીયસ બનાવે છે? આ પ્રશ્ન લગભગ દરેક યુગમાં ચર્ચાતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં બને છે એમ અહીં પણ બે વર્ગ પડી ગયા છે. એક વર્ગ માને છે કે જીનીયસ લોકો જન્મજાત જીનીયસ હોય છે, પરિશ્રમથી એમને કોઈ લેવા દેવા નથી. જ્યારે બીજો વર્ગ માને છે કે પ્રતિભા જેવી વસ્તુ હોતી નથી. સખત પરિશ્રમ દ્વારા જ પોતાનામાં રહેલી શક્તિઓને બહાર કાઢી શકાય છે. સખત પરિશ્રમથી જ બુદ્ધિશાળી બની શકાય છે, કેમ કે આપણું મગજ adaptable હોય છે.
આ તો સર્વવિદિત છે કે માણસો માનસિક શક્તિમાં જુદા જુદા હોય છે. પરંતુ ટ્રેનિંગથી મહારત પ્રાપ્ત કરી શકાય છે. ટ્રેનિંગથી બુદ્ધિ વધારી પણ શકાય છે એના વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પુરાવાઓ પણ છે. આયર્લેન્ડ વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના અધ્યાપક આર્યન રોસ ‘સાયકોલોજી ટુડે’માં લખે છે કે “વાસ્તવિકતા તો આ છે કે બુદ્ધિ વધારી શકાય છે.” જે લોકો એમ માને છે કે આપણાં બુદ્ધિઆંક (IQ) જીવનભર એટલો જ રહે છે તેઓ વાસ્તવમાં બુદ્ધિઆંકની પરીક્ષાના પરિણામ વિશે એવું કહેતા હોય છે. પરંતુ આપણી બુદ્ધિ સતત વધતી હોય છે. પરંતુ એના માટે મગજને સતત સક્રીય રાખવું પડે છે. સતત માનસિક કસરતો કરતી રહેવી પડે છે. જેમને આપણે ખૂબ સફળ અને મેઘાવી પુરૃષો તરીકે ઓળખીએ છીએ એવા લોકો – માર્ગેટથી બિલ ગેટ્સ સુધી – એક ખાસ લાક્ષણિકતા ધરાવતા હોય છે. તેઓ પોતાની સ્કીલ્સ અર્થાત્ કૌશલ્યને વિકસાવવા માટે ખંતપૂર્વક લાગેલા રહે છે અને પોતાની જાત સાથે કમિટેડ વચનબદ્ધ હોય છે. તેઓ સખત મહેનતુ હોય છે. બની શકે કે કેટલાક લોકોમાં કુદરતી પ્રતિભા બીજા કરતા વધારે હશે પરંતુ આ બધા જ જીનીયસ લોકોમાં ‘ઇશ્વરીય ભેટ’ પ્રતિભા કરતા સખત પરિશ્રમથી મેળવેલ માસ્ટરી વધારે જોવા મળે છે.
જેટલા પણ સફળ ખેલાડીઓ થયા તેઓ સખત પરિશ્રમ થકી જ અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા. ટાઈગર વુડ્સે ૨૧ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી પરંતુ એ માટે એણે ૧૮ વર્ષ સખત પરિશ્રમ કર્યો હતો. સેરેના વિલીયમ્સ, વિનસ વિલીયમ્સ, સ્ટેફી ગ્રાફ, યુસુૈન બોલ્ડ, માઈકલ ફેલ્પસ, સુમાકર, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી… લિસ્ટ ઘણું લાંબુ છે. આ બધા જ લોકો સખત અને સતત પ્રેકટીસ થકી જ સફળ થયા છે. એ માટે મહત્ત્વની વસ્તુ છે ધ્યેયલક્ષી પ્રેકટીસ. ધ્યેયલક્ષી પ્રેકટીસ જ મગજ ઉપર ચમત્કાર કરી શકે છે. ફ્લોરીડાના મનોવિજ્ઞાનના અધ્યાપક એન્ડર્સ એરીક્સને પણ કહ્યું છે કે “આ સમજાવવું ખૂબ જ જટીલ છે કે જીનીયસ અથવા નિષ્ણાંતો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેઓ શા માટે અલ્પસંખ્યામાં હોય છે. જો ધ્યેયલક્ષી અને સુધારાવાદી પ્રયત્નો કરવામાં ન આવે તો કાબેલિયત ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે.”
એ.આર.રેહમાન વિશે આપણે જાણીએ છીએ કે ઈશાની/ રાત્રિની નમાઝ પછી પોતાનું સંગીત બનાવવા માટે અડધી અડધી રાત સુધી સખત મહેનત કરે છે. રહેમાનથી પણ ચઢિયાતા એવા સિમ્ફનીઓના રચયેતા માોર્ગેટ પણ સખત પરિશ્રમ કરતા હતા. એક મિત્રને એમણે પત્રમાં લખ્યું હતું કે લોકો એમ વિચારે છે કે મારી કલા મને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ છે. હું ખાતરી આપું છું દોસ્ત કે, મારા જેટલો સમય વિચારવા અને સંગીત બનાવવા માટે બીજા કોઈએ આપ્યો નહીં હોય. કોઈ એવો પ્રસિદ્ધ સંગીતકાર નથી જેના વિશે મેં ઉદ્યમપૂર્વક અભ્યાસ કર્યો ન હોય.
માઈકલ ફેલ્પ્સ સ્વીમીંગમાં ૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યા એ વિના મહેનતે નથી મેળવ્યા. દરરોજ ૮ થી ૧૦ કલાક એ સ્વીમીંગપુલમાં પ્રેકટીસ કરતો હતો. સચિન તેંડુલકરને મહાન બનાવ્યો એની સતત અને સખત પ્રેકટીસે. વિરાટ કોહલી બીજો સચિન બને તો નવાઈ નહીં. એ પણ પોતાની સાતત્યપૂર્ણ દેખાવ માટે સખત નેટપ્રેકટીસ કરે છે. એટલું જ નહીં વેકેશનમાં પણ એ તો જીમમાં જઈ વર્કઆઉટ કરે છે જેથી ફિટનેસ જાળવી શકાય. મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડીસન સતત નિષ્ફળતાઓ છતાં પણ જ્યાં સુધી સંપૂર્ણ પણે શોધ ન થઈ જાય ત્યાં સુધી જંપતો નહોતો એ માટે એ ખાવાપીવાની કે ઊંઘવાની પણ પરવા કરતો ન હતો. લેબોરેટરીમાં જ એ ઝોંકા ખાઈ લેતો અને પોતાના કામમાં વળગેલો રહેતો.  ૧૦૯૩ પેટન્ટસ કઈ અમથી નથી મળતી. સખત પરિશ્રમની સાથે બીજી એક બાબત પણ આવા મેઘાવી લોકોને સતત પ્રેરણા આપતી રહે છે – જિજ્ઞાસા. તમે પણ જો તમારી જિજ્ઞાસાને પૂર્ણ કરવા લાગ્યા રહો તો કોઈ અર્થપૂર્ણ કાર્ય કરવા તમને પ્રેરિત કરશે. જિજ્ઞાસા જ હોય છે જે તમને નવા વિશ્વમાં લઈ જાય છે. જિજ્ઞાસાને સંતોષો તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, સાથે સાથે તમે અહોભાવથી બીજા વિશ્વમાં પહોંચી જાવ છો. એ માટે ધીરજ જોઈએ આપણી મુશ્કેલી એ છે કે બહુ જલ્દીથી આપણે કોઈ એક કાર્યમાં કંટાળી જઈએ છીએ અને એને છોડી દઈએ છીએ. આ જ એક બાબત છે જે આપણને જીનીયસોથી અલગ પાડે છે. તમારામાં અને આઈન્સટાઈન કે પિકાસો કે એવા બીજા જીનીયસો વચ્ચે મુખ્ય તફાવત આ જ હોય છે કે તેઓએ પોતાના કામમાં-પ્રવૃત્તિમાં માસ્ટરી કેળવી હોય છે. તેમણે વધારે સમય કેનવાસ ઉપર કે ગિટાર ઉપર કે કોમ્પ્યુટર ઉપર ગાળ્યો હોય છે એમની આત્મા અને મન  પોતાના મનગમતા કાર્યમાં લાગેલા હોય છે. તેઓ પોતાની સઘળી શક્તિઓ એમાં લગાવી દે છે. સ્પેસએક્સના સ્થાપક એલન મુસ્ક વિશે એના સાથીદાર જીમ કન્ટ્રેલ કહે છે કે માત્ર બુદ્ધિ થકી જ તમે સફળ થતા નથી. ૨૦૦૧માં સ્પેશએક્સ સ્થાપના કરવામાં આવી ત્યારે એનલ મુસ્કને સ્પેસ વિશે કે લોંચ વ્હીકલ કે રોકેટ સાયન્સ વિશે કોઈ ખાસ જ્ઞાન ન હતું પરંતુ પોતાની સખત મહેનત અને જે કાર્ય હાથમાં લીધું એને છેલ્લે સુધી જકડી રાખવાની વચ્ચેથી ન છોડવાની ટેવને લીધે એ સફળ  થયો જીમ કન્ટ્રેલ કહે છે કે સફળતા માત્ર ત્રણ સાદી બાબતો ઉપર નિર્ભર કરે છે. એક તો તમે જે કામમાં જોશ ચડતું હોય તમે જે માટે પેશનર હોવ એ કામ કરો. જોશ કે જુસ્સા વિના તમારૃં કામ એ તમારો પ્રેમ બની શકતો નથી. બીજું, તમે જેમાં સારા હોવ અને જે કામની પ્રતિભા ધરાવતા હોવ એ કામ કરો. ત્રીજું જેના થકી કોઈ મૂલ્યનું સર્જન થતુ હોય અને જેને માર્કેટમાં અત્યારે કે ભવિષ્યમાં વેચી શકાય એવું કંઈક નિર્માણ કરો. પોતાના સ્વાર્થ કરતા બીજાના ભલા માટે વિચારીને કરશો તો સફળતાની સાથે તમે આર્થિક ઉપાર્જન પણ કરી શકશો.
એટલે સફળ થવા માટે બહુ બુદ્ધિશાળી હોવું કે ખૂબ ઊંચુ આઈક્યુ – બુદ્ધિઆંક ધરાવવો જરૃરી નથી. જેનો બુદ્ધિઆંક ૧૬૦ હતો એવો જીનીયસ આઈન્સ્ટાઈન પણ પોતાની જાતને શું જીનીયસ કે ગિફટેડ માનતો હતો? ના. એણે એક વખત લખ્યું હતું કે “એવું નથી કે હું ખૂબ સ્માર્ટ – હોશિયાર છું. પરંતુ હું મુશ્કેલી સામે વધારે સમય સુધી ટકી રહું છું. (એને હલ કરવા માટે સખત પરિશ્રમ કરતો રહું છું.) મોટાભાગના લોકો કહે છે કે આ બુદ્ધિ જ છે જે મહાન વૈજ્ઞાનિક બનાવે છે. તેઓ ખોટા છે. ચારિત્ર્યથી મહાન બનાય છે.” 

(યુવાસાથી મેગેઝીન ,ઓક્ટોબર ૨૦૧૭માં પ્રકાશિત મારો લેખ )