આ બ્લૉગ શોધો

લેબલ Iqbal સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Iqbal સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

5 માર્ચ, 2019

માનવ અને સૃષ્ટિ

માનવ અને સૃષ્ટિ

-ડો.મોહમ્મદ ઇકબાલ
વિવરણ: મોહમ્મદ સઈદ શેખ
સુબ્હ ખુરશીદે દરખ્શાં કો જા દેખા મૈંને
બઝ્મે મ્‌આમૂરહએ હસ્તીસે યહ પૂછા મૈંને
પરતવે મહેર કે દમસે હૈ ઉજાલા તેરા
સીમ સૈયાલ હૈ પાની તેરે દરિયાઓં કા
મહેરને નૂરકા ઝેવર તુઝે પહનાયા હૈ
તેરી મહફિલકો ઇસી શમ્‌અને ચમકાયા હૈ
ગુલ વ ગુલઝાર તેરે ખુલ્દકી તસ્વીરે હૈં
યહ સભી સૂરહ વશ્શમ્સ કી તફસીરેં હૈં
સુર્ખ પોશાક હૈ ફૂલોં કી દરખ્તોં કી હરી
તેરી મહફલિમેં કોઈ સબ્ઝ, કોઈ લાલ પરી
હૈ તેરે ખૈમાગરદોં કી તલાઈ ઝાલર
બદલિયાં લાલ સી આતી હૈં ઉફક પર જા નઝર
કયા ભલી લગતી હૈ આંખોં કો શફક કી લાલી
મય ગુલરંગ ખુમે શામ મેં તૂને ડાલી
રુતબા બડા હૈ તેરા હૈ બડા, શાન બડી હૈ તેરી
પરદએ નૂરમેં મસ્તૂર હૈ હર રાય તેરી
સુબ્હ ઇક ગીત સરાપા હૈ તિરી સતવત કા
ઝૈરે ખુરશીદ નિશાં તક ભી નહીં ઝુલ્મતકા
મૈંભી આબાદ હૂં ઇસ નૂરકી બસ્તીમેં મગર
જલ ગયા ફિર મિરી તકદીર કા અખ્તર ક્યૂંકર
નૂરસે દૂર હૂં ઝુલ્મતમેં ગિરફતાર હૂં મૈં
ક્યૂં સિયહ રોઝ, સિયહ બખ્ત, સિયાકાર હૂં મૈં
શબ્દાર્થ :- મ્‌આમૂરહએ હસ્તી = જીવનની વસ્તીમાં અર્થાત્‌ દુનિયા, પરતવે મહેર = સૂર્યનો અજવાળો, સીમે સૈયાલ = વહેતી ચાંદી, ખુલ્દ = સ્વર્ગ/ જન્નત, સૂરહ વશ્શમ્સ = કુઆર્નની એક સૂરહ (પ્રકરણ) જેનો પ્રારંભ વશ્શમ્સથી થાય છે, ખુમ = દારૂ ભરવાનો ઘડો કે માટલો, સતવત = રૂઆબ, ઝુલ્મત = અંધકાર, અંધારૂં, અખ્તર = તારો, સિયહ = સિયાહનું ટુંકું રૂપ, કાળું
ભાવાર્થ :
આ કવિતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જણાય  છે કે ડા. ઇકબાલે આમાં સૌ પ્રથમવાર “ખુદી” (પોતાની જાત, હું પણું, પોતાની ઓળખ, પોતાની વાસ્તવિકતાની જાણ)નો ઉલ્લેખ અપ્રત્યક્ષ રીતે કર્યા છે અને આ જ ફિલસૂફી આગળ જઈને એમના કાવ્યચિંતન મૂળભૂત કેન્દ્ર બની.
કવિતાના પ્રથમ શે’રમાં ઇકબાલ કહે છે કે ચળકતા સૂર્યને જ્યારે સવારે મેં જાયું તો આ સૃષ્ટિ વિશે ચિંતન કર્યું કે આમાં મારી પોતાની જાત પણ અસ્તિત્વ ધરાવે છે અને જે અજવાળું છે એ સૂર્યપ્રકાશને લીધે છે, અને ધરતી ઉપરની ચાંદી જેવો નદીઓનો પાણી પણ આને લીધે જ છે. આ સૂર્ય જ છે જેણે તને નૂર (પ્રકાશ)નું આભૂષણ પહેરાયું છે અને આ સૂર્યનું અસ્તિત્વ તારી સભામાં એક શમ્‌અ (મીણબત્તી)ની જેમ છે, જેના પ્રકાશની દરેક વસ્તુ ચમકતી દેખાય છે. હે સૃષ્ટિ! આ તારા પાલવમાં જે ફૂલો અને ઉદ્યાનો છે એ સ્વર્ગનું પરિદૃશ્ય રજૂ કરે છે. એવું લાગે છે જાણે આ બધું કુઆર્ન કરીમની સૂરઃ (પ્રકરણ) વશ્શમ્સનું વિવેચન હોય! ઉપરોકત વર્ણવેલ  બાગો/ ઉદ્યાનોમાં જે ફૂલો અને વૃક્ષો મોજૂદ છે, એમનો પોશાક લાલ અને લીલા રંગનું લાગે છે, બિલકુલ એવી જ રીતે જાણે તારી સભામાં કોઈ સુંદર પરી જેણે લાલ પોષાક અને લીલાં પોષાક ધારણ કર્યા હોય એવું લાગે છે.
હે દુનિયા, તારૂં જે આકાશ છે એ એક એવા તંબુની જેમ છે જેની આપપાસ સોનેરી ઝાલરો લટકેલી હોય અને ક્ષિતિજ ઉપર જે લાલાશ ભરી વાદળીઓ છે એમની સાથે સાંજની લાલાશ પણ બહુ સુંદર લાગે છે. હે દુનિયા, તારો રૂતબો અને તારી પ્રતિષ્ઠા ઊંચી છે. તેથી તારા પાલવમાં જે કાંઈ વસ્તુઓ ઉપસ્થિત છે એ પ્રકાશના પડદામાં છુપાયેલી છે. સવારને જાઈએ તો જણાય છે કે આ પણ તારી મહાનતાના ગીતો ગાય છે. અને જ્યાં સુધી સૂર્યનો સંબંધ છે તો એના પરિદૃશ્યમાં અંધકારનો વિચાર પણ નથી કરી શકાતો. તારી આ પ્રકાશભરી વસ્તીનો હું પણ રહેવાસી છું પરંતુ આનું શું કારણ છે કે મારા ભાગ્યનો તારો પ્રકાશથી વંચિત છે? તારા આ પ્રકાશથી દૂર હોવા છતાં મારૂં અસ્તિત્વ અંધકાર કોટડીના એક કેદી જેવો છે તેથી હું તને પૂછું છું કે શું કારણ છે કે હું જ તારા પાલવમાં રહેવા છતાંય દુર્ભાગ્યનો શિકાર છું?
(૨)
મૈં યહ કરતા થા કિ આવાઝ કહીં સે આઈ
બામએ ગરદૂં સે યા સહને ઝમીં સે આઈ
હૈ તિરે નૂરસે વાબસ્તા મિરી બૂદ વ ન બૂદ
બાગબાં હૈ તિરી હસ્તી પએ ગુલઝારે વજૂદ
અંજુમન હુસ્નકી હૈ તૂ તિરી તસ્વીર હૂં મેં
ઇશ્ક કા તૂ હૈ સહીફા, તેરી તફસીર હૂં મેં
મેરે બિગડે હુએ કામોં કો બનાયા તૂને
બાર જા મુઝસે ન ઉઠા, વહ ઉઠાયા તૂને
નૂરએ ખુરશીદ કી મુહતાજ હૈ હસ્તી મેરી
ઔર બે મિન્નત એ ખુરશીદ ચમક હૈ તેરી
હો ન ખુરશીદ તો વીરાં હો ગુલિસ્તાં મેરા
મંઝિલે એશ કી જા, નામ હો ઝિન્દાં મેરા
આહ! અય રોઝે અયાં કે ન સમઝને વાલે
હલકએ દામએ તમન્ના  મેં ઉલઝને વાલે
હાએ ગફલત! કિ તિરી આંખ હૈ પાબંદે મજાઝ
નાઝે ઝૈબા થા તુઝે, તૂ હૈ મગર ગર્મે નિયાઝ
તૂ અગર અપની હકીકતસે ખબરદાર રહે
ન સિયહ રોઝ રહે ફિર, ન સિયહ કાર રહે
શબ્દાર્થ :- બૂદ વ ન બૂદ = હોવું ન હોવું, સહીફા = આકાશી ગ્રંશ, ઝિન્દાં= જેલ, સિયહકાર = દુર્ભાગ્યશાળી
ભાવાર્થ : કવિતાના આ બીજા ભાગનું વર્ણન કરતાં કવિ ઇકબાલ કહે છે કે હું મારા પોતાના આ વિચારોમાં મગ્ન હતો કે ક્યાંકથી મારા કાનમાં અવાજ ગૂંજી પરંતુ હું આ નથી કહી શકતો કે આ સદા આકાશમાંથી ગૂંજી કે પછી ધરતીમાંથી.
હે માનવ! આ વાસ્તવિકતાને જાણી લે કે સૃષ્ટિનું અસ્તિત્વ રોજ સવારે ઉદય પામતા સૂરજના દમથી નથી પરંતુ તારી જાતથી છે. તારી જ જાત છે જે મારા બાગ માટે એક માળી સમાન છે. હે માનવ!  તારૂં અસ્તિત્વ જ દરેક પ્રકારના સાંદર્યનો સંગ્રહ છે. જ્યાં સુધી મારો સંબંધ છે હું તો આ સોંદર્ય અને પ્રકૃતિની ઉપમાઓ સમાન છું. તું પ્રેમના આકાશી ગ્રંથ સમાન છે જેનું વિવરણ મારી જાત છે. તું જ છે જેણે મારા બગડેલા કાર્યોને સુલઝાવી પૂર્ણ કર્યા છે. આટલું જ નહીં આ કારકિર્દી સંબંધે જે બોજા હું ઉઠાવી ન શક્યો એ તેં જ ઉપાડ્યો છે.
(આકાશ અને ધરતી કહે છે કે) જ્યાં સુધી મારી જાતનો સંબંધ છે આમ જાવા જઈએ તો એ સૂર્યપ્રકાશ ઉપર નિર્ભર છે, જ્યારે કે તારામાં જે ચમક દમક છે એના માટે સૂર્યપ્રકાશની કોઈ આવશ્યકતા નથી. જા સૂર્યનું અસ્તિત્વ ન હોય તો મારા ઉદ્યાનો અને મારી હયાતી એક વેરાન રણપ્રદેશમાં પરિવર્તિત થઈને રહી જાય. આનાથી ઊલટું તારી જાત સૂર્યના કોઈ ચમકારાની મોહતાજ નથી. સૂર્ય વગર મારા બધા જ એશઆરામના સ્થળો કેદખાના/ જેલમાં બદલાઈ જાય.
ઓફસોસ! હે માનવ, તું એ રહસ્યને પણ ન સમજી શક્યો જે એકદમ જાહેર છે. આવું સંભવિત કારણ આ છે કે તું તારી ઇચ્છાઓની જાળમાં ફસાઈ ગયો છે. આ કેવું બેધ્યાનપણું છે કે તારી આંખો માત્ર જાહેરી વસ્તુઓ જાવા લાયક જ રહી ગઈ છે અને આ સાથે જ વાસ્તવિકતાઓથી અજાણ પણ છે. તારી પ્રતિષ્ઠા તો પ્રેમી અને પ્રેમિકા સમાન છે જ્યારે કે પોતાની અણસમજના કારણે તું માત્ર માગનાર બનીને રહી ગયો છે. આખરી વાત તો આ છે કે જા તું તારી વાસ્તવિકતાઓ ઉપર વિચાર-ચિંતન મનન કરે તો એ પછી તારૂં દુર્ભાગ્ય ખતમ થઈ જશે.

('યુવાસાથી' જાન્યુઆરી ૨૦૧૯માં પ્રકાશિત મારો લેખ)

16 જાન્યુઆરી, 2019

બિલાદે ઇસ્લામિયહ (ઇસ્લામી શહેરો)

ડો. મુહમ્મદ ઇકબાલે આ કવિતામાં વિશ્વભરના એ પાંચ મોટા શહેરોની મોટાઈ-બુલંદી-મહાનતા તરફ ધ્યાન દોર્યું છે જે ભૂતકાળમાં મુસલમાન શાસકોની મહાનતા અને શાનો-શૌકતની યુદ્ધભૂમિ હતા.
(૧)
સરઝમીં દિલ્લીકી મસ્જૂદે દિલે ગમદીદા હૈ
ઝર્રે ઝર્રેમેં લહૂ અસ્લાહકા ખ્વાબીદા હૈ
પાક ઇસ ઉજડે ગુલિસ્તાંકી ન હો ક્યૂંકર ઝમીં
ખાનકાહે અઝમતે ઇસ્લામ હૈ યહ સરઝમીં
સોતે હૈં ઇસ ખાકમેં ખૈરુલ ઉમમકે તાજદાર
ન્ઝ્મ આલમકા રહા જિન્કી હુકૂમત પર મદાર
દિલકો તડપાતી હૈ અબ તક ગરમીએ મહેફિલકી યાદ
જલ ચુકા હાસિલ મગર મહફૂઝ હૈ હાસિલ કી યાદ
પ્રથમ બંદઃ
શબ્દાર્થઃ- બિલાદે ઇસ્લામિયા – બિલાદ બલદનું બહુ વચન છે એટલે શહેરો – આ કવિતામાં વિશ્વના પાંચ ઇસ્લામી શહેરોનું વર્ણન છે. – મસ્જૂદ – સજ્દો કરવાની જગ્યા – ખૈરુલ ઉમમ – શ્રેષ્ઠ સમુદાય
ભાવાર્થ:- આ બંદમાં ઇકબાલ ભારતના મહત્ત્વના અને ઐતિહાસિક શહેર દિલ્હીનું વર્ણન કરતાં કહે છે કે આ મહાન શહેર માટે હું સજદો કરૂં છું. આના પતનની કથા હૃદયને ગમગીન બનાવી દે છે. આ જ એ શહેર છે જેના કણ કણમાં પૂર્વજાની મહાનતાની દાસ્તાનો છુપાયેલી છે. જા કે ઇસ્લામની મહાનતાના પ્રતીક સમી આ નગરી હવે ઉજડી ચૂકી છે, છતાં આની સાથે સંકળાયેલી સ્મૃતિઓ વિસરાતી નથી. દિલ્હીની માટીમાં ઇસ્લામી જગતની એ મહાન વિભૂતિઓ દફન છે જેમનું શાસન સમગ્ર વિશ્વ – શાસન વ્યવસ્થા સાથે સંકળાયેલું રહ્યું. આ મહાન શાસકોના શાસનકાળમાં આ શહેરની જે મહાનતા અને જાહોજલાલી હતી, એના વિચારમાત્રથી હૃદય તડપીને રહી જાય છે. જા કે હવે આ શાન, શૌકત અને જાહોજલાલી ભૂતકાળની વાત બની ગઈ છે તો પણ એ સ્મરણોઓમાં જીવિત છે.
વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો

તરાનાએ હિંદી

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા
હમ બુલબુલેં હૈં ઇસકી યહ ગુલસિતાં હમારા
ગુરબતમેં હોં અગર હમ રહતા હૈ દિલ વતનમેં
સમઝો વહીં હમેંભી દિલ હો જહાં હમારા
પરબત વહ સબસે ઊંચા, હમસાયા આસમાં કા
વહ સંતરી હમારા, વહ પાસબાં હમારા
ગોદીમેં ખેલતી હૈં ઇસકી હજારોં નદિયાં
ગુલશન હૈ જિન કે દમ સે રશ્કે જિનાં હમારા
અય આબરૂદે ગંગા! વહ દિન હૈ યાદ તુઝકો
ઉતરા તેરે કિનારે જબ કારવાં હમારા
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ, હિન્દોસ્તાં હમારા
યૂનાન વ મિસ્ર વ રૂમા સબ મિટ ગએ જહાં સે
અબતક મગર હૈ બાકી નામો નિશાં હમારા
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
સદિયોં રહા હૈ દુશ્મન દૌરે ઝમાં હમારા
ઇકબાલ! કોઈ મહેરમ અપના નહીં જહાં મેં
મા’લૂમ કયા કિસી કો દર્દે નિહાં હમારા


આ ગીત ડા. ઇકબાલે ત્યારે કહ્યું હતું જ્યારે તેઓ એક દેશભક્ત તરીકે અખંડ ભારતને જ પોતાનું સર્વસ્વ સમજતા હતા. એક દેશપ્રેમી શાયરની હેસિયતથી એમનું મગજ આ પંક્તિઓમાં દરેક જાતના મતભેદો અને ઘૃણાથી પવિત્ર દૃષ્ટિગોચર થાય છે. એમના મનમાં એ વખતે મુખ્ય પ્રશ્ન માત્ર ને માત્ર અંગ્રેજી ગુલામીનો હતો. તેથી આ
પંક્તિઓમાં ક્યાંક ક્યાંક એના વિશે ઇશારો પણ મળી જાય છે.
આનું વિવરણ વાંચવા માટે લિંક પર ક્લિક કરો

5 સપ્ટેમ્બર, 2018

એક આરજૂ (ઇચ્છા)


દુનિયાકી મહેફિલોંસે ઉકતા ગયા હું યારબ
ક્યા લુત્ફ અંજુમનકા જબ દિલહી બુઝ ગયા હો
સૌરિશસે ભાગતા હું, દિલ ઢુંઢતા હૈ મેરા
ઐસા સુકૂત જિસ પર તકરીરભી ફિદા હૌ
મરતા હું ખામશી પર યહ આરઝૂ હૈ મેરી
દામનમેં કોહ કે એક છોટાસા ઝોપડા હો
આઝાદ ફિક્ર સે હું, ઉઝલતમેં દિન ગુઝારૂં
દુનિયાકે ગમકા દિલસે કાંટા નિકલ ગયા હો
લઝ્ઝત સરોદકી હો ચિડીયોંકી ચેહચહોંમેં
ચશ્મે કી શોરિશોં મેં બાજાસા બજ રહા હો
ગુલકી કલી ચિટક કર પૈગામ દે કિસી કા
સાગર ઝરાસા ગોયા મુઝકો જહાં નુમાહો
હો હાથકા સિરહાના સબ્ઝહકાહો બિછૌના!
શરમાએ જિસસે જલ્વત, ખલ્વતમેં વહ સદાહો
માનૂસ ઇસ કદરહો સૂરત સે મેરી બુલબુલ
નન્હે સે દિલમેં ઇસકે ખટકા ન કુછ મિરા હો
સફ બાંધે દોનોં જાનિબ બૂટે હરે હરે હોં
નદીકા સાફ પાની તસ્વીર લે રહા હો
હો દિલફરેબ ઐસા કોહસારકા નઝારા
પાનીભી મોજ બનકર ઉઠ ઉઠ કે દેખતા હો
આગોશમેં ઝમીંકી સોયા હુઆ હો સબ્ઝહ
ફિર ફિર કે ઝાડીયોં મેં પાની ચમક રહા હો
પાની કો છૂ રહી હો ઝૂક ઝૂક કે ગુલકી ટહેની
જૈસે હસીન કોઈ આઈના દેખતા હો
મહેંદી લગાએ સૂરજ જબ શામકી દુલ્હન કો
સુરખી લિએ સુનહરી હર ફૂલ કી કબા હો
રાતો કો ચલને વાલે રહ જાએં થક કે જિસ દમ
ઉમ્મીદ ઉનકી મેરા ટૂટા હુઆ દિયા હો
બિજલી ચમક કે ઉનકો કુટિયા મિરી દિખા દે
જબ આસમાં પે હરસૂ બાદલ ઘિરા હુઆ હો
પિછલે પહરકી કોયલ, વહ સુબ્હકી મોઅઝ્ઝન
મૈં ઉસકા હમનવા હું, વહ મેરી હમનવા હો
કાનોં પે હો ન મેરે દેરો હરમ કા એહસાં!
રોઝન હી ઝોંપડીકા મુઝકો સહરનુમા હો
ફૂલોં કો આએ જિસદમ શબનમ વુઝુ કરાને
રોના મિરા વુઝુ હો, નાલહ મિરી દુઆ હો
ઈસ ખામશીમેં જાએં ઇતને બુલંદ નાલે
તારોંકે કાફલે કો મેરી સદા દરા હો
હર દર્દમંદ દિલ કો રોના મિરા રૂલા દે
બેહોશ જા પડે હૈં શાયદ ઉન્હે જગા દે
-અલ્લામા ઇકબાલ 
આ કવિતાને હમીદ એહમદખાનના મંતવ્ય મુજબ જા સેમ્યુઅલ રોજર્સની કવિતા ‘A wish’ સ્વતંત્ર અનુવાદ સમજી લેવામાં આવે તો પણ ‘એક આરઝુ’ (‘એક ઇચ્છા’) માસ્ટર પીસ બનીને ઉભરે છે. કવિતાની પ્રારંભિક બે-ત્રણ પંક્તિઓમાં નિરાશા છલકે છે પરંતુ એ પછી આખી કવિતામાં આશાવાદનો સંચાર થાય છે, જેમાં ઇકબાલ પોતાના હૃદયેચ્છાઓ વિશે વર્ણન કરે છે.

શબ્દાર્થઃ દિલહી બુઝ ગયા હો – દિલ ઉદાસ થઈ જવું, શોરિશ – શોરબકોર, સુકુત – શાંતિ, કોહ – પર્વત, ઉઝલત – એકાંત, સાગર – પ્યાલો, જલ્વત – ભીડ, બધાની હાજરી હોય એવું, ખલ્વત – એકાંત, માનૂસ – આકર્ષિત, સફ – કતારબદ્ધ, દિલફરેબ – દિલને આકર્ષિત કરનાર, કબા – એક પ્રકારનો આગળથી ખુલ્લો લાંબો ડગલો, હમનવા – સમાન વિચારસરણી વાળું, મિત્ર; દેર – મંદિર, હરમ- એ સ્થળ જેની ઇઝ્ઝત કરવામાં આવે – અહીં આશય છે મસ્જિદથી, રોઝન – છિદ્ર, કાણું.

ભાવાર્થઃ
ઇકબાલ અલ્લાહને સંબોધીને કહે છે કે દુનિયાની મહેફિલો અને દોડધામથી હું કંટાળી ગયો છું.એટલા માટે કે જ્યારે ઝમાનામાં ઘટતી ઘટનાઓથી હૃદય નિરાશ થઈ ગયો હોય તો આવી મહેફિલો/ સભાઓનો કોઈ અર્થ નથી. હવે દુનિયાના શોરબકોરથી ગભરાટ થાય છે. મને તો એવી શાંતિ જોઈએ જેના ઉપર તકરીર (પ્રવચન)ને પણ ઇર્ષ્યા આવે.
હું તો એવા શાંત જીવન ઉપર વારી જવાનો ઇચ્છુક છું અને એટલી જ ઇચ્છા છે કે કોઈ પહાડનાં પાલવમાં એક નાનકડી ઝુંપડી હોય, જેમાં શાંતિ અને નિરવતાથી જીવન પસાર કરૂં. એકાંતમાં દિવસો પસાર કરૂં. દરેક પ્રકારની ચિંતાઓથી મુક્ત થઈ જાઉં. એવો કોઈ શોક કે ખેદ ન હોય જે મારી શાંતિને છીનવી લે.
મારા નિવાસથી આસપાસ એવું નિર્મળ વાતાવરણ હોય જ્યાં ચકલીઓના કલરવમાં ગીતો ગુંંજતા હોય, અને વહેતા ઝરણાના ખળબળાટમાં વાજા વાગતા હોય એવી અનુભૂતિ થાય. ફુલોની કળીઓ ચટકે તો એવું લાગે જાણે એ કોઈનો સંદેશ આપી રહી છે. કળીઓ અને ફૂલોના ઝુમખાં મારા માટે એ પ્યાલા જેવા ભાસે જેમાં બધા જ પ્રાકૃતિક દૃશ્યોનું દર્શન કરી શકું.
આ ઝુંપડામાં જ્યારે આરામ કરવાની ઇચ્છા થાય ત્યારે જમીન પર ઉગેલી લીલી ઘાસ મારૂં પાથરણું બને અને મારા હાથ ઓશીકાની ગરજ સારે. આ ક્ષણોમાં એવું એકાંત હોય જે ભરેલી મહેફિલોથી પણ વધુ મનભાવન પ્રતીત થાય. ત્યાં ઉપસ્થિત કોયલ અને બીજા નાના નાના પક્ષીઓ મારાથી એવી રીતે આકર્ષિત થાય કે એમના મનમાંથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય.
આટલું જ નહીં પરંતુ દરેક દિશામાં લીલા લીલા છોડવા ગર્વથી ખીલી ઉઠ્‌યા હોય. સામે નદીનું ચોખ્ખું નિર્મળ પાણી એવી રીતે વહી રહ્યું હોય જેમાં આ છોડવાઓનું પ્રતિબિંબ દિલને હરી લે. અહીં ઉપસ્થિત પર્વતોના દૃશ્યો પણ એટલા લોભામણા અને હૃદય આકર્ષક હોય કે નદી અને ઝરણાઓનું પાણી લહેરો બનીને ઊંચે ઉઠે અને એને જોઈ શકે.
અહીં આ વાતનું નિર્દેશ કરવામાં આવે તો એ બિનજરૂરી નહીં લેખાય કે ઇકબાલે આખી કવિતામાં કુદરતી દૃશ્યોના નિરૂપણ માટે જે દૃશ્યફલક (ઇમેજરી) રજૂ કર્યું છે એનો કોઈ જવાબ નથી. તેથી આગળ એ કહે છે કે ધરતી ઉપર પથરાયેલી લીલી ઘાસેજાણે ધરતીને પોતાની બાહુપાશમાં લઈ લીધી છે. અને વહેતા પાણીની વાત છે તો એ ઝાડીઓમાંથી પસાર થતાં સાફ સ્પષ્ટ દર્પણની જેમ ચમકી રહ્યું હોય. આ વહેતા પાણીને ફૂલોની ડાળખીઓ એવી રીતે સ્પર્શતી હોય જાણે કોઈ ખૂબસૂરત ચહેરાવાળી મુગ્ધા દર્પણ જોતી હોય!
ખૂબસુરત દૃશ્યોનું વર્ણન કરતાં ઇકબાલ કહે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યની લાલાશ અને સોનેરી કિરણો એવા ભાસે છે જાણે દુલ્હન (વધૂ)ને મહેંદી રચાવવામાં આવી રહી હોય! ફૂલોની મનઃસ્થિતિપણ એવી હોય જાણે લાલ અને સોનેરી ડગલા પહેર્યા હોય. નિશંકપણે સૂર્યાસ્ત સમયના સૂર્યનું વર્ણન આનાથી વધારે સારી રીતે દૃશ્યાંકન શક્ય જ ન હતું.
આગળ ઇકબાલ કહે છે કે રાતના રાહી (મુસાફર) જ્યારે યાત્રા કરતા કરતા થાકી જાય તો મારા ઝૂંપડાના દીપકનો ધુંધળો અજવાશ એમના માટે આશાનું કિરણ બને. અને જ્યારે આકાશમાં ચારે તરફ વાદળો છવાયેલા હોય અને માર્ગ દૃષ્ટિગોચર ન થતો હોય ત્યારે વીજળી ચમકી ઉઠે અને આના પ્રકાશમાં થાકેલા મુસાફરોને મારું ઝુંપડું દેખાઈ આવે.
આટલું જ નહીં જ્યારે રાતની અંતિમ ક્ષણોમાં – નિશાંતે – ઉગાના મોઅઝ્ઝન  (અઝાન પોકારનાર) એવી કોયલનો સાદ બુલંદ થાય તો હું પણ એના સાદમાં સાદ પરોવું. મસ્જિદો અને મંદિરોથી ઉગાના ઇબાદત કરનારા અને પૂજારીઓને ખબર કરવા માટે જે અઝાનો અને આરતીઓના સાદ ગુંજે છે, મને એમની કોઈ આવશ્યકતા નથી. પરંતુ ઉદય થતા સૂર્યના કિરણો મારી ઝુંપડીના છિદ્રોમાંથી અંદર પ્રવેશે અને મને જગાડે.
અને જ્યારે સવારે ફૂલો ઉપર ઝાકળએવી રીતે વરસે જાણે એમને વુઝુ કરાવે, ત્યારે મારા હૃદયની આહ અને પોકાર મારા માટે વુઝુ અને દુઆનું કામ કરે. આ નિઃશબ્દ વાતાવરણમાં મારી પોકાર એટલી ઊંચે જાય કે તારાઓના કાફલાઓ માટે યાત્રા આરંભનું કારણ બની જાય. આમ, મારૂં રડવું એવું અસરકારક હોય કે દરેક દર્દથી ભરેલ હૃદય મારી સાથે રડવા માંડે અને મારા હૃદયની દર્દભરી પોકાર એ લોકો માટે જાગૃતિનું કારણ બની જાય જેઓ એક મુદ્દતથી મસ્ત અને બેહોશ પડ્‌યા છે. 
(my article published in Yuva saathi magazine,Sept.18)

21 ઑગસ્ટ, 2018

અબ્રે કોહસાર (પર્વતમાળાનું વાદળ)

ડો. ઇકબાલની આ કવિતા કુદરતી દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. અહીં એમણે જે સુંદર પ્રાકૃતિક દૃશ્યનું વર્ણન કર્યું છે એ દાદને કાબેલ છે. આખી કવિતા ઊંચા ઊંચા પહાડો અને ડુંગરો ઉપર છવાયેલા વાદળોના સંવાદ ઉપર આધારિત છે. વાદળો વરસે છે તો ખેતરો લીલાછમ થઈ જાય છે. ખેડૂતો ખેતીમાં આનાથી ઘણો લાભ મેળવે છે. બગીચાઓમાં ફલો અને ફૂલોની ખેતી પણ વાદળો વિના શક્ય નથી.

(૧)
હૈ બુલંદી સે ફલક બોસ નશેમન મેરા
અબ્રે કોહસાર હું ગુલપાશ હૈ દામન મેરા
કભી સેહરા, કભી ગુલઝાર હૈ મસ્કન મેરા
શહેર વ વીરાના મેરા, બહર મેરા, બન મેરા
કિસી વાદીમેં જા મન્ઝૂરહો સોના મુઝકો
સબ્ઝહએ કુહ હૈ મખમલકા બિછોના મુઝકો
પ્રથમ બંદઃ-
શબ્દાર્થ: નશેમન-માળો, અબ્ર-વાદળ, કોહસાર-પર્વતમાળા, ગુલપાશ-ફૂલ વરસાવનાર, ફલકબોસ- આકાશને અડનાર, ઊંચું,
ભાવાર્થ: કવિતાની બધી જ પંક્તિઓમાં પ્રથમ પુરૃષ એકવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં પર્વતમાળાના વાદળ સંવાદ કરીને કહે છે કે મારૃ રહેવાનું સ્થળ ઊંચા ઊંચા પર્વતો ઉપર છે. પરંતુ ધરતી ઉપર ફૂલ વિખેરૃં છું. અર્થાત્ જ્યાં સુધી વરસું નહીં ત્યાં સુધી ફૂલો ઉગે નહીં. ક્યારેક રણમાં વરસું છું તો ક્યારેક ઉદ્યાનોમાં, આમ, શહેરો ઉપરાંત વેરાન પ્રદેશોમાં અને જંગલોમાં પણ હું વરસી પડું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે ધરતી ઉપરના સ્થળોને સંતૃપ્ત કરે છે.
વાદળ કહે છે ક્યારેક પહાડો ઉપર અને ખીણોમાં વરસું છું તો ત્યાં ઉગેલી મખમલ જેવી હરિયાળી જાણે મારી આરામગાહ બની જાય છે.
(૨)
મુઝકો કુદરતને સિખાયા હૈ દૂર્રેઅફશાં હોના
નાકએ શાહિદે રહમત કા હુદી ખ્વાં હોના
ગમઝદએ દિલે અફશુરદા દહેકાં હોના
રોનકે બઝમે જવાનાં ગુલિસ્તાં હોના
બનકે ગેસુ રૂખે હસ્તી પે બિખર જાતા હું
શાના મોજા સરસર સે સંવર જાતા હું


બીજો બંદઃ-
શબ્દાર્થ: દુર્રે અફશાં – મોતી વિખેરનાર, નાકા-ઊંટણી, હુદીખ્વાંં-ઊંટ ચરાવનારનં ગીત
ભાવાર્થ: આ બંદમાં પણ પર્વતમાળાના વાદળ કહે છે કે કુદરતે મને વરસાદના ટીપાના સ્વરૃપમાં ધરતી ઉપર મોતી વિખેરવાનું શીખવાડયું છે. આ ટીપાઓ જાણે કિંમતી મોતીઓ છે. હું જ્યારે વરસું છું એ દરમ્યાન ઉત્પન્ન થતો અવાજ ઊંટ ચરાવનારાઓના ગીતોથી પણ મધુર હોય છે. આખું વાતાવરણ જાણે સંગીતમય બની જાય છે. અને જ્યારે શુષ્ક અને વેરાન ખેતરો ઉપર વરસું છું તો ન જ મૃતઃપાય ધરતી પરંતુ એના માલિકો એવા ખેડૂતોના ઉદાસ હૃદયમાં પણ આનંદ અને ખુશી છવાઈ જાય છે. જ્યારે બગીચાઓ ઉપર વરસું છું ત્યાં ફળો અને ફૂલો ઉપર તાજગી અને સૌંદર્ય છલકાઈ ઉઠે છે.
મારૃં અસ્તિત્વ તો જીવન અને સૃષ્ટિ માટે હૃદયને ખુશ કરવા માટે છે. જ્યારે હવાઓ ચાલે છે ત્યારે હું એકજૂટ થઈ ધરતી ઉપર વરસું અને એને નવપલ્લવિત કરૃ છું. એમાં હવાની મદદ હોય છે. કહેવાનું તાત્પર્ય આ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે માત્ર કૃષિ ઉત્પાદનોમાં વધારો થાય છે, ફલો અને ફૂલોને પણ જીવન મળે છે અને આખી ધરતી લીલા રંગની ચુંદડી ઓઢી પોતાનું સૌંદર્ય વિખેરે છે.
(૩)
દૂર સે દીદએ ઉમ્મીદ કો તરસાતા હું
કિસી બસ્તી સે જા ખામોશ ગુઝર જાતા હું
સૈર કરતા હુઆ જિસ દમ લબે જુ આતા હું
બાલિયાં નહર કો ગરદાબકી પહેનાતા હું
સબ્ઝએ મઝરઆ નવખૈઝ કી ઉમ્મીદ હું મૈં
ઝાદએ બહર હું, પરવરદએ ખુરશીદ હું મૈં
ત્રીજો બંદઃ-
શબ્દાર્થ: મઝરઅ નવખેઝ-નવું ઉગેલું પાક, ઝાદએ બહર- જે સમુદ્રથી જન્મ્યું હોય
ભાવાર્થ:આ બંદમાં પર્વતમાળાનું વાદળ સંવાદ કરે છે કે આગળ કહ્યું એનાથી થોડું અળગું જો હું કોઈ વસ્તી ઉપરથી વરસ્યા વિના પસાર થઈ જાઉં તો જે ખેડૂતો અને માળીઓ મારા વરસવાની પ્રતિજ્ઞાા કરતા હોય તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ ઇશ્વરથી વરસાદ માટે પ્રાર્થના કરવા લાગે છે. અને જ્યારે કોઈ નદી ઉપર જોરથી વરસું છું ત્યાં પાણીમાં ભંવર સર્જાય છે.
વાસ્તવિકતા તો આ છે કે મારા અસ્તિત્વથી જ તાજા ઉગેલા પાક અને ઉદ્યાનોની હરિયાળી છે. હું એમના માટે આશા અને બળ છું. હું સમુદ્રમાં ઉત્પન્ન થયો છું અને સૂર્યએ મારો ઉછેર કર્યો છે. પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક નિયમો મુજબ સૂર્યની ગરમીના કારણએ સમુદ્રનું પાણી વરાળ બની ઉપર ઊડી જાય છે અને પછી અમુક જથ્થામાં ભેગું થતું રહે છે. જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે વાદળનું નિર્માણ થાય છે અને એ પાછુ પાણી સ્વરૃપે ધરતી ઉપરવરસે છે. આ પંક્તિમાં ઇકબાલે આ જ વૈજ્ઞાાનિક નિયમ તરફ ઇશારો કર્યો છે.
(૪)
ચશ્મએ કુહ કો દી શોરીશે કુલ્ઝુમ મૈને
ઔર પરીન્દો કો કિઆ મહુએ તરન્નુમ મૈંને
સર પે સબ્ઝા કે ખડો હો કે કહા કુમ મૈં ને
ગુન્ચએ ગુલકો દીયા ઝૌકે તબસ્સુમ મૈ ને
ફૈઝસે મેરે નમૂને હૈ શબીસ્તાનો કે
ઝોંપડે દામને કોહસાર મેં દેહકાનો કે
ચોથો બંદઃ-
શબ્દાર્થ: ચશ્મએ કૂહ – ઝરણુ, કુમ-ઉઠ, ઊભો થા, શબિસ્તાનોં- અમીરોના ઊંઘવાનું સ્થળ
ભાવાર્થ: આ છેલ્લા બંદમાં પર્વતમાળાનું વાદળ કહે છે કે પર્વતોમાંથી નીકળતા ઝરણાને મે જ જોશ અને મસ્તી આપી છે. મારા કારણે જ ગરમીથી ત્રસ્ત પક્ષીઓ સુખના શ્વાસ લઈ ગીતો ગાય છે. મારા કારણે જ પાયમાલ અને મુરઝાયેલ છોડવાસો ફરીથી નવપલ્લવિત થાય છે. એ હું જ છું કે જ્યારે ઉદ્યાનોમાં વરસું છું તો કળીઓ ખુશ્બુદાર ફૂલોમાં પરિવર્તિત થઈ જાય છે. અર્થાત્ મારા વિના આ બધું શક્ય નથી.
મારી કૃપાઓ અને ઉપકારથી જ પર્વતમાળાઓમાં વસ્તા ખેડૂતોની ઝુંપડપટ્ટીમાં પણ હર્ષોલ્લાસ વ્યાપી જાય છે, એટલા માટે કે મારા કારણે જ એમના ખેતરોમાં પાક લહેરાય છે અને એમને પ્રસન્નચિત રાખે છે. હું ખેડૂતો માટે હર્ષનું કારણ બનું છું.
 ('યુવાસાથી' સામાયિક ,ઓગષ્ટ ૨૦૧૮ માં પ્રકાશિત મારો લેખ) 

21 ડિસેમ્બર, 2017

તસ્વીરે દર્દ

તસ્વીરે દર્દ-1
-ડોક્ટર ઇકબાલ
રજૂઆત:મોહમ્મદ સઈદ શેખ (૯૬૨૪૦૪૬૬૭૭)
અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમાં ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાંચતા એમાં 'તસ્વીરે દર્દઅથવા 'દર્દનાક ચિત્રપણ એમાંથી એક છે. આ કવિતામાં એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસંવેદનશીલતાનું વર્ણન કર્યું છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સંપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.
(૧) થી (૪)
નહીં મિન્નત કશે તાબે શનીદન દાસ્તાં મેરી
ખમોશી ગુફતગુ હૈબેઝબાની હૈ ઝુબાં મેરી
યહ દસ્તૂરે ઝબાંબંદી હૈ કૈસા તેરી મહેફિલમેં
યહાં તો બાત કરનેકો તરસતી હૈ ઝુબાં મેરી
ઉઠાએ કુછ વર્ક લાલેનેકુછ નરગિસનેકુછ ગુલને
ચમનમેં હર તરફ બિખરી હુઈ હૈ દાસ્તાં મેરી
ઉડા લી કમરિયોંનેતૂતિયોંનેઅન્દલીબોંને
ચમન વાલોંને મિલ કર લૂટ લી તર્ઝે ફુગાં મેરી
        (શબ્દાર્થ - મિન્નત કશે તાબે શનીદન ઃ કોઈ સાંભળવાની હિમ્મત નથી કરી શકતું  દસ્તૂરે ઝુબાંબંદી ઃ વાત કરવાની મનાઈ)
        ભાવાર્થ ઃ મારી દાસ્તાન કે કથા સાંભળવાની કોઈ હિમ્મત નથી કરી શકતું. એ વાતનો મને દુઃખ છે કે મારી કથા પ્રત્યે કોઈએ ધ્યાન નથી આપ્યું. તેથી મેં ચુપ રહેવાનું યોગ્ય માન્યું છે. આવી સ્થિતિમાં મારી ચુપ જ મારી ભાષા બની ગઈ છે. બીજા શે'રમાં તેઓ દેશવાસીઓ કહે છે તારી સભામાં વાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે જો કે મને અહીં કોઈની સાથે વાત કરવાની ખૂબ તલબ છે. એમ છતાંય આ પણ વાસ્તવિકતા છે કે મારી કથાના કેટલાક પૃષ્ઠો કેટલાક ફૂલોએ અર્થાત્ કેટલાક છોડોએ ઊઠાવી લીધા છે. જ્યારે આ પૃષ્ઠો બાગમાં વિખરાયેલા પડયા હતા. આવી રીતે કેટલાક લોકોએ મારી શૈલી અને વિચારો ઉપર કબજો કરીને એને લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો છે.
(૫) થી (૮)
ટપક એ શમ્અ! આંસૂ બનકે પરવાને કી આંખોસે
સરાપા દર્દ હૂંહસરત ભરી હૈ દાસ્તાં મેરી
ઇલાહી! ફિર મઝા કયા હૈ યહાં દુનિયામેં રહનેકા?
હયાતે જાવેદાં મેરીન મર્ગે નાગેહાં મેરી
મિરા રોના નહીંરોના હૈ યહ સારે ગુલિસ્તાંકા
વહ ગુલ હૂં મૈંખિઝાં હૂં હર ગુલકી હૈ ખિઝાં મેરી
"દરીં હસરત સરા ઉમરયસ્ત અફસૂને જરસ દારમ
ઝ ફૈઝે દિલ તબીદન હા ખરોશે બે નફસ દારમ"
(શબ્દાર્થ - ખિઝાં ઃ પાનખર)
        ભાવાર્થ ઃ આ સ્થિતિમાં ઇકબાલ શમ્અ/ મીણબત્તીને સંબોધીને કહે છે કે હું તો પગથી માથા સુધી દર્દ બનીને રહી ગયો છું. અને મારી કથામાં હવે અભિલાષાઓ સિવાય બીજું કશું નથી. એ શમઅ! તું મારા દુઃખ દર્દની સાથી બની જા અને પતંગિયાની આંખમાંથી અશ્રુ બનીને ટપકી જા. આશય આ છે કે જેવી રીતે હું કૌમના દર્દ માટે અશ્રુ વહાવી રહ્યો છું એમાં તું પણ મારો સાથ આપ. આગળના શે'રમાં ઇકબાલ ઈશ્વરથી કહે છે કે તું મને બતાવ હે ઈશ્વર! કે તારા બનાવેલા આ જગતમાં જીવવા માટે કે રહેવા માટે મને આનંદ કેમ પ્રાપ્ત નથીન તો મારા જીવન ઉપર ન જ મારા મૃત્યુ ઉપર મને કોઈ અધિકાર છે! અને આ કંઈ મારા એકલાની ફરિયાદ નથી. આ તો બધા જ લોકોની ફરિયાદ છે. હું તો એક એવા પુષ્પની જેમ છું જે સમગ્ર ઉદ્યાનની પાનખર અને બરબાદીને પોતાની પાનખર સમજે છે. અભિલાષા અને નિરાશાની આ દુનિયામાં મારી જાત તો આગાહી કરવાવાળી એક ઘંટી સમાન છે. જે તડપની અનુભૂતિ હું કરૃં છું એનું પ્રાગટ્ય પણ જોશપૂર્વક મારી કવિતામાં કરૃ છુંપરંતુ અફસોસ આ છે કે મારા દર્દાનુભૂતિ ઉપર કોઈ ધ્યાન નથી આપતું.
(૯) થી (૧૬)
રિયાઝે દહરમેં નાઆશનાએ બઝમે ઇશરત હૂં
મૈં હર્ફે ઝેરે લબશરમિંદએ ગોશે સમાઅત હૂં
પરેશાં હૂંં મૈં મુશ્તે ખાકલેકિન કુછ નહીં ખુલતા
સિકંદર હૂંં કિ આઈના હૂંં યા દર્દે કદૂરત હૂં
યહ સબકુછ હૈ મગર હસ્તી મિરી મકસદ હૈ કુદરતકા
સરાપા નૂર હો જિસકી હકીકતમેં વહ ઝુલ્મત હૂં
ખઝીના હૂંંછુપાયા મુઝકો મુશ્તે ખાકે સેહરાને
કિસીકો કયા ખબર હૈ મેં કહાં હૂં ં કિસકી દૌલત હૂં
નઝર મેરી નહીં મમનૂને સૈર એ અરસએ હસ્તી
મૈં વહ છોટી સી દુનિયા હૂં કિ આપ અપની વિલાયત હૂં
ન સેહબા હૂંન સાકી હૂંન મસ્તી હૂંન પૈમાના
મૈં ઇસ મયખાનાએ હસ્તીમેં હર રાયકી હકીકત હૂં
મુઝે રાઝે દો આલમ દિલકા આઇના દિખાતા હૈ
વહી કહતા હું જો કુછ સામને આંખોકે આતા હૈ
        (શબ્દાર્થ - હુર્ફે ઝેરે લબ ઃ ધીમા અવાજે બોલવું જેથી બીજાને સંભળાઈ ન શકે શર્મિન્દએ ગોશે સમાઅત ઃ જે વાત કાન સુધી ન પહોંચે સૈર અરસએ હસ્તી ઃ જીવનના મેદાનનું ભ્રમણ શહેબા ઃ દારૃ)
        ભાવાર્થ ઃ હું દુનિયાના બગીચામાં એવી વ્યક્તિ છું જે આનંદ અને ઉલ્લાસથી વંચિત છે. હું તો એ લોકોમાંથી છું જેના પર આનંદ-ઉલ્લાસ પણ અશ્રુ વહાવે છે. મારા બગડેલા ભાગ્યનું વર્ણન પણ કરી શકું એમ નથી. મારો અવાજ હોંટો સુધી સીમિત રહી જાય છે. તેથી બીજા લોકો એ સાંભળવાથી પણ વંચિત રહી જાય છે. હું આમ તો મુઠ્ઠીભર માટી સમાન છું પરંતુ આજ દિન સુધી નથી સમજી શકયો કે હું અડધી દુનિયાના વિજેતા સિકંદરની જેમ છું કે પછી જમશેદના એ પ્યાલા જેવો કે જેમાં સમગ્ર વિશ્વના દૃશ્યો એ જોઈ લેતો હતોકે પછી ધૂળ જેવો તુચ્છ. આશય એ છે કે ફાની દુનિયામાં મેં અસ્તિત્વ તો ટકાવી રાખ્યું છે પરંતુ એને સમજી નથી શકયો. આ બધી અનુભૂતિઓ છતાંય એટલું તો નક્કી છે કે મારા અસ્તિત્વ પાછળ કુદરતનો કોઈ હેતુ છેઅને હું એક એવા અંધકાર સમાન છું જે હકીકતમાં પ્રકાશ સમાન છે. હું એક એવા ખજાના સમાન છું જે કોઈ રણની રેતીમાં છુપાયેલો છે. આ જ કારણ છે કે હજી સુધી કોઈ જાણી નથી શકયું કે હકીકત શું છે અને હું કોની મત્તા છુંમારી દૃષ્ટિને શું આવશ્યકતા છે કે જીવનની સાથે સમગ્ર સૃષ્ટિ ઉપર નાખેજ્યારે કે મારી જાત પોતે જ એક નાનકડી દુનિયા સમાન છે જેમાં મારી પોતાની સલ્તનત છે.
        ઇકબાલ કહે છે કે ન તો હું શરાબ છુંન સાકી છુંન મસ્તી છું ન પ્યાલો. આનાથી વિપરીત જીવનના શરાબખાનામાં ઉપસ્થિત દરેક વસ્તુની વાસ્તવિકતાનો પ્રતીક છું. આશય આ છે કે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરે માનવને કુલ મુખત્યાર બનાવીને મોકલ્યો છે. એના વિના જીવન અપૂર્ણ અને અર્થહીન છે. મારૃં હૃદય એવા અરીસા સમાન છે જેમાં લોક-પરલોકના રહસ્યો સ્પષ્ટરૃપે પ્રતિબિંબિત થાય છે આ જ કારણ છે કે હું મારી પંક્તિઓમાં એ વાસ્તવિકતાઓને સામે લાઉ છું જેને હું જોઉં છું.
(૧૭) થી (૨૦)
અતા ઐસા બયાં મુઝકો હુઆ રંગીં બયાનોંમેં
કિ બામે અર્શકે તાઇર હૈં મેરે હમઝબાનોંમેં
અસર યહ ભી હૈ ઇક મેરે જુનૂને ફિત્નએ સામાંકા
મિરા આઈનાએ દિલ હૈ કઝીકે રાઝદાનોંમેં
રુલાતા હૈ તિરા નઝારાએ હિન્દુસ્તાં! મુઝકો
કિ ઇબરતખૈઝ હૈ તેરા ફસાના સબ ફસાનોંમેં
દિયા રોના મુઝે ઐસા કિ સબ કુછ દે દિયા ગોયા
લિખા કલકે અઝલને મુઝકો તેરે નોહા ખ્વાનોંમેં
        (શબ્દાર્થ - જુનૂને ફિત્નએ સામાં ઃ એ જુનૂન કે જોશ જે અવ્યવસ્થા સર્જે ઇબરતખૈઝ ઃ પાઠ શીખવા જેવો)
        ભાવાર્થ ઃ ઇકબાલ કહે છે કે કુદરતે મને રંગીબયાં અર્થાત્ વાક્ચતુર લોકોમાં એવા ઉચ્ચ સ્થાને બિરાજ્યો છે કે ફરિશ્તાઓ પણ મને સાંભળે છે. મારી પ્રેમની ભાવનાને કારણે હું મારી કવિતામાં જીવન-મરણના રહસ્યો પ્રકટ કરવાની ક્ષમતા ધરાવું છું. એ પછી ઇકબાલ પોતાના સમયના ભારતની દર્દનાક તસ્વીર રજૂ કરે છે અને કહે છે તારી અફસોસજનક સ્થિતિ ઉપર મારૃં હૃદય ખૂબ રડે છે કેમકે દુનિયાના બીજા અફસાના કે કથાઓમાં તારી કથાથી પાઠ શીખવા જેવો છે. તારી દર્દનાક સ્થિતિ ઉપર રડવાથી કુદરતે મારૃં નામ રડનારાઓમાં સામેલ કરી દીધું છે.
(૨૧) થી (૨૪)
નિશાને બર્ગે ગુલ તક ભી ન છોડા ઇસ બાગમેં ગુલચી
તિરી કિસ્મતસે રઝમ આરાઈયાં હૈં બાગબાનોમેં
છુપા કર આસ્તીંમેં બિજલિયાં રખી હૈં ગરદૂંને
અનાદિલ બાગકે ગાફિલ ન બેઠેં આશિયાનોંમેં
સુન એ ગાફિલ સદા મેરી! યહ ઐસી ચીઝ હૈ જિસકો
વઝીફા જાન કર પળ્હતે હૈં તાઇર બોસ્તાનોંમેં
વતનકી ફિક્ર કર નાદાં! મુસીબત આનેવાલી હૈ
તિરી બરબાદીયોંકે મશ્વરે હૈં આસમાનોમેં
        (શબ્દાર્થ - રઝમ આરાઇયાં ઃ લડાઈ માટે કતારબદ્ધ થવું ગરદૂં ઃ આકાશ અનાદિલ ઃ કોયલ ગાફિલઃ બેધ્યાન સદા ઃ અવાજ વઝીફા ઃ રટણ કરવુંમંત્રોચ્ચાર તાઇર ઃ પક્ષીઓ)
        ભાવાર્થ ઃ ઇકબાલ ફૂલ તોડનાર અર્થાત્ દુશ્મનથી સંબોધીને કહે છે કે જ્યારે બાગના માળી અને રખેવાળ જ અરસપરસ લડતા હોય તો બાગની બરબાદીમાં પછી કોઈ શંકા રહેતી નથી. આમ પણ આકાશે વીજળીઓ છુપાવી રાખી છે એવામાં બાગની કોયલો અર્થાત્ વતનવાસીઓએ બેધ્યાન રહેવું જોઈએ નહીં. નહિંતર બરબાદી સિવાય કશું જ મળવાનું નથી. મારો અવાજ ધ્યાનથી સાંભળો! આ એવો અવાજ છે જે બાગમાં પક્ષીઓ મંત્રોચ્ચાર સમજીને ઉચ્ચારે છે અર્થાત્ બીજા લોકો તો મારી વાત સાંભળે છે પરંતુ વતનવાસીઓ તમે બેધ્યાની વર્તો છો. મારા પ્રિય! તું કેટલો નાદાન-ભોળોભાળો છે કે દેશની રક્ષા કરવાનો તને ખ્યાલ પણ નથીજ્યારે કે આકાશમાં તારી બરબાદીની ચર્ચા-વિચારણા ચાલુ છે.
(૨૫) થી (૨૮)
ઝરા દેખ ઇસ કો જો કુછ હો રહા હૈહોને વાલા હૈ
ધરા કયા હૈ ભલા અહદે કુહનકી દાસ્તાનોંમેં
યહ ખામોશી કહાં તકલઝ્ઝતે ફરિયાદ પૈદા કર
ઝમીં પર તૂ હોઔર તેરી સદા હો આસમાનોંમેં
ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તાં વાલો!
તુમ્હારી દાસ્તાં તક ભી ન હોગી દાસ્તાનોંમેં
યેહી આઇને કુદરત હૈ યેહી અસ્લૂબે ફિતરત હૈ
જો હૈ રાહે અમલમેં ગામઝન મહબૂબે ફિતરત હૈ
(શબ્દાર્થ - અસ્લૂબે ફિતરત ઃ કુદરતનો કાનૂન)
        ભાવાર્થ ઃ થોડુંક અવલોકન આ દૃશ્ય વિશે પણ કર કે જે થઈ રહ્યું છે અને જે થવાનું છેપરંતુ તું ભૂતકાળની વાર્તાઓમાં ખોવાયેલો છેવર્તમાનમાં આવી વાર્તાઓનું કોઈ મહત્ત્વ નથી. જરા બતાવ! તું કયાં સુધી ચુપ રહીશપોતાનો અવાજ ઊંચો કર કે જેથી તુંઃ ધરતી ઉપરથી ફરિયાદ કરે તો એનો પડઘો આકાશ સુધી પહોંચે. ભારતવાસીઓને સંબોધીને ઇકબાલ કહે છે કે મારી ચેતવણીઓ છતાંય જો તમે જાગૃત થાવ અને જે કાંઇ ગતિવિધિ થઈ રહી છે એના ઉકેલ માટે સંઘર્ષરત્ નહીં થાવ તો પછી ભૂતકાળ અને વર્તમાનકાળની દાસ્તાનમાં - કથાનકોમાં તમારો ઉલ્લેખ પણ નહીં હોય. કુદરતનો કાનૂન આ જ છે કે જે લોકો સંઘર્ષ કરે છે એ જ કુદરતના પ્રિય હોય છે.
(૨૯) થી (૩૨)
હુવૈદા આજ અપને ઝખ્મે પિન્હાં કરકે છોડૂંગા
લહૂ રો રો કે મહફિલકો ગુલિસ્તાં કરકે છોડૂંગા
જલાના હે મુઝે હર શમ્અએ દિલકો સોઝે પિન્હાંસે
તિરી તારીક રાતોંમેં ચરાગાં કરકે છોડૂંગા
મગર ગુન્ચેકી સૂરત હો દિલે દર્દ આશ્ના પૈદા
ચમનમેં મુશ્તે ખાક અપની પરેશાં કરકે છોડૂંગા
પિરોના એક હી તસ્બીહમેં ઇન બિખરે દાનોંકો
જો મુશ્કિલ હૈ તો મુશ્કિલકો આસાં કરકે છોડૂંગા
        (શબ્દાર્થ - હુવૈદા ઃ પ્રકટજાહેર ઝખ્મે પિન્હાં ઃ છુપાયેલા જખમ સોઝે પિન્હાં ઃ છુપાયેલી બળતરા)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ ખૂબ જ દુઃખ પરંતુ જુસ્સાપૂર્વક એલાન કરે છે કે આજે હું મારા છુપાયેલો જખ્મોને પ્રકટ કરીને રહીશ. મારી આંખોમાંથી લોહી વહેશે જે આખા બાગ અને વતનમાં ફેલાઈ જશે. મારા હૃદયની બળતરાથી દરેક હૃદયની મીણબત્તી પ્રજવલિત કરીશઅને આ જ મીણબત્તીઓથી અય વતન હું તારી અંધકારભરી રાતોને જગમગાવી દઈશ. હું તો મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું શરત એ છે કે તારા વાસીઓના અંતરમાં દર્દે દિલ પેદા થઈ જાય. મારા દેશવાસીઓ ઘૃણા અને નફરતની આગમાં બળી રહ્યા છે એમની વચ્ચે એકતાની ભાવના જન્માવવી મુશ્કેલ કાર્ય છે.  એમ છતાંય આ મુશ્કેલ કાર્યને હું સરળ કરીને જ જંપીશ.
(૩૩) થી (૩૫)
મુઝે અય હમનશીં! રહને દે શુગલે સીના કાવી મેં
કિ મૈં દાગે મુહબ્બતકો નુમાયાં કરકે છોડૂંંગા
દિખા દૂંગા જહાંકો જો મિરી આંખોને દૈખા હૈ
તુઝે ભી સૂરતે આઈના હૈરાં કરકે છોડૂંગા
જો હૈ પરદોંમે પિન્હાંચશ્મે બીના દેખ લેતી હૈ
ઝમાનેકી તબિઅતકા તકાઝા દેખ લેતી હૈ
(શબ્દાર્થ - શુગલે સીના કાવીઃ તડપવામાં વ્યસ્ત નુમાયાં ઃ જાહેરસ્પષ્ટ)
        ભાવાર્થ ઃ મને એ મારા મિત્ર! મારી છાતીના જખ્મોને ખોદવામાં અને મને તડપવામાં વ્યસ્ત રહેવા દે કે જેથી પ્રેમના દાગ પ્રકટ થઈ જાય. મારી નજરોએ જે વાસ્તવિક દૃશ્યો જોયા છે એને દુનિયાને પણ દેખાડી દઈશ. જેથી તેઓ વેર અને ઘૃણાને છોડી એકસંપ થઈ શકે. પછી ઇકબાલ કહે છે કે માત્ર હું જ નહીં પરંતુ જેઓ છુપી દૃષ્ટિ રાખે છે તેઓ વાસ્તવિકતાને જોઈ લે છે અને પોતાના પ્રવર્તમાન તકાદાઓને પણ ઓળખી લે છે.