આ બ્લૉગ શોધો

લેબલ Bharat સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Bharat સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

8 માર્ચ, 2021

વિરોધ કરવાના લોકતાંત્રિક અધિકારો પર તરાપ


 ટીકા ટીપ્પણી વિના સ્વસ્થ લોકશાહીની કલ્પના કરી શકાય નહિ, એટલે જ આલોચનાને લોકશાહીનો આત્મા કહેવામાં આવ્યો છે. આલોચના ન જ માત્ર સરકારને નિરંકુશ થતા અટકાવે છે, પરંતુ એને જવાબદાર, સંવેદનશીલ અને પારદર્શક પણ બનાવે છે. એટલા માટે આલોચનાનું રચનાત્મક હોવું અને સરકારનું  જનતા પ્રત્યે જવાબદાર હોવું ખૂબ જ આવશ્યક છે. દુર્ભાગ્યવશ ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં પાછલા કેટલાક વરસોમાં ટીકા અને વિરોધના અધિકારોને સીમિત જ નહિ સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બાબત દેશના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવી વર્ગ બહુ સારી રીતે સમજી રહ્યું છે કે મહત્વના મુદ્દાઓ પર સરકારની ટીકા કરનારા ટીકાકારો, લેખકો, પત્રકારો, સમાજ સેવકો, શિક્ષકો, લોકાધિકાર માનવ અધિકાર કાર્યકર્તાઓ, એક્ટીવિસ્ટો અને સંસ્થાઓને દમનનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશની આંતરિક દશા કેટલી ચિંતાજનક છે-એને બ્રિટનમાં રહેતા સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પણ સારી રીતે અનુભવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુંમાં એમણે આ સત્ય સ્વીકાર્યું કે લોકોનો અવાજ દબાવવા માટે ભારતમાં મરજી મુજબની રીતો અપનાવવામાં આવી રહી છે.હાવર્ડ યુનીવર્સીટીમાં પ્રોફેસર સેને કહ્યું કે જે વ્યક્તિ સરકારની કડક ટીકા કરે છે અથવા સરકારને જે પસંદ નથી આવી રહ્યું,એને આતંકવાદી ઘોષિત કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે.ભારતમાં અસહમતિ અને ચર્ચાની શક્યતા ઓછી થતી જઈ રહી છે.લોકો પર દેશદ્રોહનો મનમાન્યા આરોપો લગાવી કેસ ચલાવ્યા વિના જ જેલમાં નાખવામાં આવી રહ્યાં છે.

વિચારણીય બાબત આ છે કે પાછલા કેટલાક વરસોમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ સીએએ, એનઆરસી, એનપીઆર, કૃષિ સુધારા જેવા વિવાદિત કાયદાઓ અને નોટબંધી, જીએસટી તથા કોરોનાના કારણે લોકડાઉન જેવા નિર્ણયો વિરુધ જનાંદોલન,વિરોધ,ટીકા અને મતભેદોનું વર્તુળ વધ્યું છે. બીજી બાજુ જનતાનો અવાજ સાંભળવાની જગ્યાએ,આ આંદોલનોને દબાવવા ,કચડી નાખવા,બદનામ કરવા અને એમની વિરુધ અરાજક તત્વોને ખુલ્લી છૂટ આપવા માટે ઘણા સ્તરો પર સરકારની કડક આલોચના પણ થઇ છે.વિરોધના સૂરને દાબી દેવા માટે સરકાર તરફથી કરવામાં આવતા અયોગ્ય બળપ્રયોગને માનવ અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યા છે.દેશની અંદર અને બહાર વૈશ્વિક સ્તરે અને બુદ્ધિજીવીઓ,માનવ અધિકારવાદી સંગઠનો તરફથી વર્તમાન દશા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આની ગુંજ સંસદમાં પણ ત્યારે સંભળાઈ જયારે અમરોહાના બસપા સાંસદ કુંવર દાનીશઅલીએ આ મામલાને ઉઠાવતા કહ્યું હતું કે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુધ શાંતિપૂર્ણ આંદોલન કરનારા જેએનયુ  અને જામીયાના આંદોલનકારીઓ વિરુધ યુએપીએ જેવા ગંભીર કાયદાનો ઉપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે.સંસદનું કાર્ય કાનૂન બનાવવું છે, જો સામાન્ય જનતા એનાથી સંતુષ્ટ નથી તો આંદોલન કરવું એનો અધિકાર છે.એમણે કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં થનારા પ્રદર્શનનો સંદર્ભ આપતા કહ્યું કે કિસાનો માર્ગો પર છે અને તેઓ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.આંદોલનકારી કિસાનોને પણ દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે.

એમણે આરોપ લગાવ્યો કે આંદોલનકારી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્રો.અપૂર્વાનંદ જેવી વ્યક્તિને પણ દિલ્હી પોલીસનું સ્પેશ્યલ સેલ પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરે છે.પોલીસ જાણીજોઈને ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરે છે,જેથી આંદોલનકારીઓને વધુમાં વધુ દિવસો સુધી વિના ટ્રાયલે જેલમાં ગોંધી રાખી શકાય ,કેમકે પોલીસને ખબર છે કે પોતાની પાસે એમની વિરુધ કોઈ પુરાવા નથી.ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સીએએ કાનૂન વિરુધ સંવિધાનિક અધિકાર હેઠળ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગેન્ગસ્ટર એક્ટ,ગુંડા એક્ટ, રાસુકા અને તડીપાર જેવા કડક કાયદાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારે આલોચકો અને વિરોધીઓની સંપત્તિ જપ્ત કરી,એમના પોસ્ટર લગાવડાવ્યા.લોકઅધિકારો માટે કામ કરતી સંસ્થા ‘રિહાઈ મંચ’, એના અધ્યક્ષ એડવોકેટ શોએબ દારાપુરી સહીત ઘણા બુદ્ધિજીવીઓનો અવાજ કચડી નાખવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવી.કેટલાક લોકોને નજરકેદ કરવામાં આવ્યા તો કેટલાકને જેલમાં મોકલવામાં આવ્યા.

જેએનયુ હોસ્ટેલમાં પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી.કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસીને વિદ્યાર્થીઓને માર્યા અને તોડફોડ ની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ .એવી જ રીતે દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલનોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી.સીએએ વિરોધી આંદોલન દરમ્યાન શાહીનબાગને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ ‘ગોલી મારો’ના નારા લગાવ્યા, અને પછી કપિલ ગુર્જર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો.કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા હિંસા ભડકાવનારા નેતાઓ અને  હિંસા આચરનારા ઉપદ્રવીઓના કાર્યોની વિડીઓ ઉપલબ્ધ છે.જામિયા મિલિયા ઇસ્લામિયા યુનીવર્સીટીના કેમ્પસ અને પુસ્તકાલયમાં તંત્રની અનુમતિ વિના પ્રવેશી પોલીસે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને માર્યા,કેટલાકના હાથપગ ભાંગી ગયા.આના પણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.

આખું વર્ષ વીતી ગયું,ઘણા પીડિતોને ઝૂઠા આરોપો હેઠળ જેલમાં નાખવામાં આવ્યા,પરંતુ કોઈ પણ દોષી વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.આ વાત સર્વવિદિત છે કે આ બધા મામલાઓ ,હિંસા અને ગોલી મારોના નારા વિરોધના અધિકારો અને વિરોધના સૂર દબાવી દેવા માટે કરવામાં આવ્યા હતા.આ બધા વિરોધ કરવાવાળાઓને દેશદ્રોહી ,પાકિસ્તાની,નક્સલી,અને ચીનપ્રેમીઓ કહેવામાં આવ્યા.જોકે લોકશાહી સરકાર અને લોક્પ્રતિનીધીઓનો વ્યવહાર જનતાથી સંવાદ સાધી એમની સમસ્યાઓને સાંભળવી અને નિરાકરણ કરવાનું હોવું જોઈએ, ના કે જીદ કરવી અને અનાવશ્યક બળ પ્રયોગ કરવું-જેવું પાછલી સરકારો કરતી આવી છે.

આ ઉપરાંત આંદોલનકારીઓ,સમાજસેવકો, છાત્ર નેતાઓ અને બુદ્ધિજીવીઓ ને જેલમાં નાખી એમના પર ટોર્ચર કરવામાં આવે છે. ઉમર ખાલીદે એક કોર્ટની હાજરી દરમ્યાન જણાવ્યું કે કેટલાક દિવસથી એના દાંતમાં દર્દ છે,પરંતુ એનો ઈલાજ કરવામાં નથી આવી રહ્યો.સાથે જ એણે એમ પણ કહ્યું કે ચાર્જશીટની કોપી મીડિયામાં લીક કરવામાં આવી રહી છે,પણ એને એની નકલ આપવામાં નથી આવી રહી, તેથી પોતાના પર લાગેલા પોલીસના આક્ષેપોને એ જાણી શક્યો નથી.દિલ્હી પોલીસે ડીસેમ્બરના અંતમાં ઉમર ખાલીદ વિરુધ ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં એના પર દેશ વિરોધી ભાષણ આપવા,રમખાણો ભડકાવવા અને એનું ષડ્યંત્ર રચવા જેવા કેટલાય ગંભીર આરોપોમાં કલમો લગાવવામાં આવી હતી.પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે ૮ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે શાહીન બાગમાં ઉમર ખાલીદ,ખાલીદ સૈફી અને તાહિર હુસેને મળીને દિલ્હી રમખાણોની યોજના બનાવવા માટે મીટીંગ કરી હતી.આ દરમ્યાન ઉમર ખાલીદે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્રમાં ભાગ લીધો હતો અને ભડકાઉ ભાષણો આપ્યા અને લોકોને ઉશ્કેર્યા હતા.

સફૂરા ઝરગરને દિલ્હી રમખાણોમાં આરોપી બનાવી ૭૪ દિવસો સુધી તિહાર જેલમાં રાખવામાં આવી.એ પણ ત્યારે જયારે એ ગર્ભવતી હતી.દેશ વિદેશમાંથી એના માટે સરકાર પર ઘણો દબાવ આવ્યો.અહી સુધી કે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આને માનવ અધિકારનો ઉલ્લંઘન બતાવતા કહ્યું કે એક ગર્ભવતી સ્ત્રીને તમે જેલમાં કેવી રીતે ગોંધી રાખી શકો? ત્યારબાદ એને જામીન પર છોડવામાં આવી.છુટ્યા પછી એનું કહેવું હતું કે પોલીસે એને પાયાની સુવિધાઓ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.એનો જરૂરી સામાન પણ જેલમાં લઇ જવા દેવાની પરવાનગી ન હતી.ચાલીસ દિવસો સુધી એને ઘરે ફોન કરવા દેવામાં નહોતું આવ્યું.ન જ એને કોઈનાથી મળવા દેવામાં આવતી હતી.તેથી કેટલાક સામાન માટે એને બીજા કેદીઓ પર નિર્ભર રહેવું પડતું.આ દરમ્યાન એના સાથી કેદીઓએ એને ચપ્પલ,આંતર વસ્ત્રો અને કામળો આપ્યો.કોર્ટમાં યાચિકા નાખવામાં આવી ત્યારે એને પાંચ જોડી કપડા લેવાની મંજુરી આપવામાં આવી!

વિરોધનો અવાજ કચડી નાખવા માટે કલબુર્ગી,પનસરે અને ગૌરી લંકેશ ની હત્યા કરી દેવામાં આવી.૨૦૧૮માં ભીમા કોરેગાંવમાં હિંસક ઝડપો થઇ હતી –એને આધાર બનાવી ૧૬ સમાજ સેવકો,કવિઓ અને વકીલોની ધરપકડ કરવામાં આવી.એમના ઉપર પણ દેશદ્રોહ સંબંધી આરોપો લગાવવામાં આવ્યા.આનંદ તેલતુંમ્બ્ડે,માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા,કવિ વરવર રાવ,સ્ટેન સ્વામી.સુધા ભારદ્વાજ,અરુણ ફરેરા ,વર્નોન ગોન્જાલ્વીસ જેવી દેશની મોટી હસ્તીઓને જેલમાં નાખવામાં આવી.

એમના સંબંધીઓનું પણ કહેવું છે કે એમની સાથે જેલમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં બેંગ્લોરની એક ૨૨ વર્ષીય પર્યાવરણ એક્ટીવીસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી.એનાં પર આરોપ છે કે કિસાન આન્દોલનમાં એક ટૂલ કીટમાં ઓનલાઈન ફેરફાર કર્યો હતો.એ જ ટૂલ કીટની કોપીને વિશ્વની પ્રસિદ્ધ પર્યાવરણ એક્ટીવીસ્ટ ગ્રેટા થન્બર્ગે શેર કરી હતી.દિશા રવિ પર દેશદ્રોહનો આરોપ લગાવવમાં આવ્યો છે.આ લખાય છે ત્યારે દિશાને એક લાખના જામીન  પર મુક્તિ મળી ગઈ છે,પરંતુ એના વકીલનું કહેવું છે કે એક લાખ રૂપિયાનું બોન્ડ આપી શકે એમ નથી.

આ બધી ઘટનાઓ આ દર્શાવવા માટે પુરતી છે કે દેશની લોકશાહી બીમાર છે અને સંવિધાનિક સંસ્થાઓ પંગુ બની ચુકી છે.લોકશાહી અધિકારોને માચડે ચઢાવી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.વિરોધના સૂર દબાવવા માટે સામ,દામ,દંડ,ભેદની બધી યુક્તિઓ કામે લગાડવામાં આવી રહી છે.બુદ્ધિજીવીઓ અને કાર્યકર્તાઓ જેલમાં છે અને વાસ્તવમાં રમખાણો ભડકાવનારા ગુંડાઓ આઝાદીથી મહાલે છે.શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સામાજિક કાર્યકર્તાઓને દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવી યોગ્ય નથી.લોકશાહીમાં બધી જ જાતના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )

22 ઑગસ્ટ, 2019

ભારતની સ્વતંત્રતામાં મુસ્લિમોનો ફાળો-ર

ગયા લેખમાં આપણે જાયું હતું એમ અંગ્રેજાની ગુલામી સામે સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ૧૮પ૭માં થયો જેની આગેવાની બહાદુરશાહ ઝફર અને બીજા મુસ્લિમ નેતાઓએ લીધી હતી. ૧૮પ૭માં પાંચ લાખ મુસ્લિમોને ફાંસી આપવામાં આવી હતી એવું ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ નોંધ્યું છે. એ સંગ્રામમાં પુરૂષોની સાથે કેટલીક મુસ્લિમ મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કેટલાક ઈતિહાસકારો માત્ર બેગમ હઝરત મહલ અને બી-અમ્માનો અછડતો ઉલ્લેખ કરે છે. બીજી અસંખ્ય મહિલાઓ વિશે લખવાનું ટાળ્યું છે. આ માહિતી મનમોહન કૌરે તેણીના પુસ્તક ‘વિમેન  ઇન ઈન્ડિયાસ  ફ્રિડમ મૂવમેન્ટ’માં નોંધી છે. ૧૯પ૭ના સંગ્રામમાં કાઝી અ.રહીમના માતા અસગરીબેગમ પણ અંગ્રેજા સામે લડયા હતા જેમને અંગ્રેજાએ જીવતા બાળી દીધા હતા. આ ઉપરાંત રરપ મુસ્લિમ મહિલાઓએ આ સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
પ્રથમ લેખમાં આપણે નોંધ્યું હતું એમ અંગ્રેજા સામેના સ્વાતંત્ર્ય સંગ્રામને બે વિભાગમાં વહેંચી શકાય. ૧૮પ૭ પહેલાં અને ૧૮પ૭થી ૧૯૪૭ સુધી. બીજા વિભાગમાં ૧૮પ૭થી લઈ સ્વતંત્રતા સુધી ભારતીયો સતત સંઘર્ષ કરતા રહ્યા. આમાં દરેક ધર્મના લોકોએ ભાગ લીધો હતો. બધાએ ખભેખભા મિલાવી લડાઈ લડી હતી. ભારતના ઇતિહાસના દસ્તાવેજા દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ મ્યુઝિયમમાં સચવાયેલા છે.
અને આજે એ જ કહેવાતા રાષ્ટ્રવાદના ખોટા દાવેદારો ભારતીયોને ખોટો ઇતિહાસ ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મુસ્લિમોએ સ્વતંત્રતા આંદોલનમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. વાસ્તવિકતા તો આ છે કે આ કહેવાતા દાવેદરના સંસ્થા-કાર્યકરોને છોડી ઘણા ભારતીયોએ કુરબાનીઓ આપી હતી.
ઘણા મુસ્લિમ આગેવાનોના નામો આપણે જાણીએ છીએ અને ઘણા એવા છે જેમના વિશે બહુ કહેવાયું કે લખાયું નથી. પાઠય પુસ્તકોમાં અશફાકઉુલ્લાહખાન, ખાન અબ્દુલ ગફફારખાન, મૌલાના અબુલ કલામ આઝાદ, અલી બંધુઓ, હસરત મોહાની વગેરે વિશે ઉલ્લેખ આવે છે એટલે આપણે એમાંના વિશે જાણીએ છીએ. કેટલાક આગેવાનો એવા છે જેમના વિશે જાણવું જાઈએ.
ઝાકિર હુસૈન : ડો.ઝાકીરહુસેન આપણા દેશના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. જામિયા મિલિયા ઇસ્લામિયાના સર્વેસર્વા હતા. રર વર્ષ સુધી વાઈસ ચાન્સેલર રહ્યા. ગાંધીજીની અહિંસાની નીતિથી પ્રભાવિત થઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રહ્યા. ૩ મે, ૧૯૬૯ના દિવસે એમની ઓફિસમાં જ અવસાન થયું હતું. એમને ભારતનો સર્વોચ્ચ ઈલકાબ ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા હતા.
મૌલાના અબુલકલામ આઝાદઃ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા. સ્વતંત્રતા આંદોલનના એક મહત્વના આગેવાન હતા. હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. એમની દીર્ઘદૃષ્ટિના કારણે ભારતમાં આઈઆઈટી અને યુજીસી જેવી સંસ્થાઓ સ્થપાઈ. ૧૯ર૩માં કોંગ્રેસના સૌથી યુવાન પ્રમુખ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ છે. નાગપુરમાં ‘ધ્વજ સત્યાગ્રહ’ કર્યું હતું. ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.
ખાન અબ્દુલ ગફફારખાન : ‘ફ્રન્ટીયરના ગાંધી’  ‘ફખ્રે અફઘાનિસ્તાન’, ‘બાદશાહખાન’ અને ‘બાચાખાન’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફ્ફારખાન મહ¥વના સ્વાતંત્ર્ય સેનાની હતા. એમણે ૧૯ર૯માં ‘ખુદાઈ ખિદમતગાર’ ચળવળ શરૂ કરી હતી. આ ચળવળથી અંગ્રેજ સરકાર એટલી ગભરાઈ ગઈ હતી કે જગ્યા જગ્યાએ છાપા મારી આના કાર્યકરોને ત્રાસ આપવામાં આવતો. અમેણે અલગ પાકિસતાનની માગનો વિરોધ કર્યો હતો જ્યારે ભાગલા પડી ગયા ત્યારે એમણે કહ્યું હતું કે, ‘તમે અમને શિયાળોની સામે ફેંકી દીધા.’ ભાગલા પછી તેઓ પાકિસતાન જતા રહ્યા હતા અને ત્યાં અલગ બલોચ પ્રદેશ માટે સંઘર્ષ કર્યો હતો. ૧૯૪૮થી ૧૯૮૮ સુધી તેમને અનેક વખત જેલવાસ સહેવો પડયો હતો અથવા તો નજરકેદમાં રહ્યા. ૧૯૮૮માં અવસાન થયું ત્યારે હજારો લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૯૯૭માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
મૌલાના હસરત મોહાની : સ્વતંત્ર્ય સેનાની ઉપરાંત ઉર્દૂ ભાષાના સારા કવિ અને ભારતીય સામ્યવાદી પક્ષના સ્થાપક પણ હતા.  ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો આપ્યો. ૧૯ર૧માં અહમદઆબાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સ્વામી કુમારાનંદ સાથે એમણે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’ની માંગ કરી હતી. ૧૯રપમાં કાનપુરમાં ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી તેઓ સ્થાપકોમાંથી એક હતા.
બદરૂદ્દીન તૈયબજી  : કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ પ્રમુખ હતા. મુંબઈ હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય હતા. લંડનમાં ભણ્યા. ત્યાંથી પાછા આવી કોંગ્રેસમાં જાડાઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ લીધો. ૧૮૯પમાં મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકે નિમાનાર ત્રીજા ભારતીય અને પ્રથમ મુસ્લિમ હતા. સ્ત્રીઓની સ્વતંત્રતાના હિમાયતી હતા. પોતાની બે પુત્રીઓને ભણાવવા માટે લંડન પણ મોકલી હતી, એમના ધર્મપત્ની સુરૈયા તૈયબજીએ ભારતનો ધ્વજ જે હાલની સ્થિતિમાં છે એને ડિઝાઈન કર્યું હતું.
અત્યાર સુધી એવું મનાતું હતું કે આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ આપણું રાષ્ટ્રધ્વજ ડિઝાઈન કર્યું છે. પિંગલી વૈંકૈયાએ જે ધ્વજ ડિઝાઈન કર્યુ હતું એ માત્ર ત્રણ રંગનો હતો. ગાંધીજી ઈચ્છતા હતા કે લાલ, સફેદ અને લીલા રંગની વચ્ચે ચરખાનું ચિહન મૂકવામાં આવે. ૧૯૩૧માં ધ્વજ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેણે લાલને બદલે કેસરી રંગ સૂચવ્યું હતું. ૧૯૪૭માં સંસદીય સમિતિ દ્વારા ખરડો પસાર કરી ચરખાને બદલે અશોકચક્રનું ચિહન પસંદ કરવામાં આવ્યું હતું.
સંસદીય સમિતિએ પિંગલી વૈંકૈયા કે સુરૈયા તૈયબજીનો ડિઝાઈનર તરીકેનો કયાંય ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તાજેતરમાં સુરૈયા તૈયબજીની પુત્રી લેલા તૈયબજીએ ‘ધ વાયર’મા પુત્રી લૈલા તૈયબજીએ ‘ધ વાયર’માં એક લેખ લખ્યો હતો જેમાં એમણે જણાવ્યું હતું કે કેવી રીતે એમની માતાએ અશોકચક્રના ગ્રાફિક ડિઝાઈન બનાવી ડો.રાજેન્દ્રપ્રસાદની આગેવાની હેઠળની ધ્વજ સમિતિના પાસે પાસ કરાવી હતી અને કેવી રીતે એમની માતાએ ભારતનું રાષ્ટ્રધ્વજ એમના પિતા તૈયબજીની દેખરેખ હેઠળ બનાવ્યું એનું વર્ણન કર્યું છે.
મૌલાના શૌકતઅલી અને મોહમ્મદઅલી જોહર :
‘અલી બંધુઓ’ તરીકે જાણીતા છે. ખિલાફત ચળવળના આગેવાનોમાંથી હતા. શૌકતઅલીએ ભાઈ મોહમ્મદઅલી જાહરને ઉર્દૂ સાપ્તાહિક ‘હમદર્દ’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ને સ્થાપવામાં મદદ કરી હતી. અસહકારની ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો. ૧૯ર૮માં શૌકતઅલીએ નહેરૂ રિપોર્ટનો વિરોધ કર્યો હતો. એમણે મુસ્લિમો માટે અલગ ચૂંટણીની માંગ કરી હતી. આખરે ખિલાફત કમિટીએ નહેરૂ રિપોર્ટને ફગાવી દીધો હતો. શૌકતઅલી ઓલ ઇÂન્ડયા મુસ્લિમ લીગ સાથે ૧૯૩૬માં જાડાયા હતા. મોહમ્મદઅલી જાહર એક સારા પત્રકાર પણ હતા. ‘ધી ટાઇમ્સ’ (લંડન), ‘ધી માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધી ઓબ્ઝર્વર’ જેવા ઈંગ્લેન્ડના દેનિકોમાં કટાર લખતા હતા. એમણે ‘કોમરેડ’ અને ‘હમદર્દ’ સાપ્તાહિકો શરૂ કર્યા હતા. મુસ્લિમ લીગના સભ્ય હતા.
સૈયદ મોહમ્મદ શરફુદ્દીન કાદરી :  ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જાડાયા હતા. કટકની જેલમાં ગાંધીજી સાથે એક જ ખંડમાં હતા. ર૦૦૭માં ભારત સરકારે ભદ્મભૂષણથી નવાજ્યા. ૩૦  ડિસેમ્બર ર૦૧પમાં ૧૧૪ વર્ષની વયે અવસાન થયું.
આ ઉપરાંત કેટલાક  મહત્વના નામો આ પ્રમાણે છે જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનો ભાગ લીધો હતો.
ભોપાલના બરકતુલ્લાહ (ગદર પાર્ટીના સંસ્થાપક), સૈયદ રહમત શાહ (ગંદર પાર્ટીના સભ્ય, ફાંસીની સજા થઈ હતી), અલી મોહમ્મદ સિદ્દીકી (મલાયા અને બર્મામાં અંગ્રેજા વિરુદ્ધ બળવો કર્યો હતો. ૧૯૧૭માં ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા) ઉમર સુબ્હાની (મુંબઈના કરોડપતિ ઉદ્યોગપતિ કે જેમણે કોંગ્રેસના ખર્ચા માટે ગાંધીજીને કોરો ચેક આપી દીધો હતો),
મુહમ્મદ બશીર, ખુદાબક્ષ, અ.ઝકરિયા, અલ્લાહ નવાઝ, અબ્દુલ અઝીઝ જેવા હજારો મુસ્લિમોએ ભારતની સ્વતંત્રતા માટે બલિદાનો આપ્યા. આ ઉપરાંત અબાદી બેગમ (મૌલાના મો.અલીની માતા), અમજદી બેગમ (મૌલાના મો.અલીની પત્ની), નિશાતુન્નિસા (હઝરત મોહાનીના પત્ની), સદાતબાનુ કિચલુ (ડો.સૈફુદ્દીન કિચલુના પત્ની), બેગમ ખુરશીદ ખ્વાજા (એમ.એ. ખ્વાજાના પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આાઝાદના પત્ની), ખદીજા બેગમ અને ખુરશીદ સાહેબા, ફ્રન્ટીયરમાંથી મેહરતાજ (ખાન અ.ગફફારખાનની સુપુત્રી), ઝુબૈદાબેગમ દાઉદી (બિહારના રાષ્ટ્રવાદી શફી  દાઉદના પત્ની), કનીઝ સાજેદાબેગમ (બિહાર), મુનીરાબેગમ (મૌલાના મઝહરુલ હકની પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીના પત્ની), સુરૈયા તૈયબજી (બદરૂદ્દીન તૈયબજીના પત્ની), બેગમ સકીના લુકમાની (ડો.લુકમાનીના પત્ની અને બદરુદ્દીન તૈયબજીના સુપુત્રી). રેહાના તૈયબજી (અબ્બાસ તૈયબજીની સુપુત્રી), હમીદાના તૈયબજી (શમ્સુદ્દીન તૈયબજીની પૌત્રી), ફાતિમા તૈયબઅલી, સફિયા સાદખાન, શફાતુન્નિસા (મૌલાના હબીબુર્રહમાનના પત્ની), કુલસુમ સિયાની (ડો.જાનમોહમ્મદ સિયાનીના પત્ની), જેવી અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ પણ કોંગ્રેસના બેનર હેઠળ અથવા સ્વતંત્ર રીતે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવી ભાગ લીધો હતો. આ સ્ત્રી પુરૂષો, સ્વાતંત્ર્યકારોએ હિંદુ-મુસ્લિમ બનીને નહીં પરંતુ ‘ભારતીય’ બનીને ભાગ લીધો હતો અને એ સાબિત કરી દીધું હતું કે
‘સભી કા ખૂન શામિલ હૈ યહાં કી મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.’
(shaheenweekly માં છપાયેલ મારો લેખ)