આ બ્લૉગ શોધો

14 જાન્યુઆરી, 2016

હું તારો પ્રેમ છું.......

એક પ્રેમ ગીત સ્ફૂરી ગયું........ એ રજુ કરું છું.....ગમે તો દિલ થી દાદ આપજો ને ના ગમે તો કડક ટીકા પણ કરજો .......મને ગમશે ....

હું તારો પ્રેમ છું.........

તારા દિલની દરેક ધડકન માં હું
તારી ચૂડીઓ ની ખનખન માં હું
તારા આભૂષણોમાં ચાંદી ને હેમ છું........... હું તારો પ્રેમ છું......


તારી નીંદોમાં તારા સપનાઓ માં હું
તારા દર્પણમાં તારી અદાઓ માં હું
તું જેવું જુએ મને હું તેમ છું ... હું તારો પ્રેમ છું...........

તારી એકલતામાં હું તારો સાથ છું
તારા વિચારો માં પણ દિન રાત છું
તારી મેમરી માટે હું જ તો રેમ છું........હું તારો પ્રેમ છું......

હું પાનખર છું ને હું જ વસંત છું
તારા બધા દુખો નો હું જ અંત છું
હું ખુશી છું તારી ને હું જ વ્હેમ છું ......હું તારો પ્રેમ છું....

આ જે આપણી વચ્ચે જે કઈ હેત છે
એમાં ઈશ્વર નો જ કોઈ સંકેત છે
વિચાર,હું તારા માટે જ કેમ છું?..... હું તારો પ્રેમ છું...

તું મારો પ્રેમ ને હું તારો પ્રેમ છું....હું તારો પ્રેમ છું.....

-સઈદ શેખ



2 જાન્યુઆરી, 2016

ઇકબાલ ની પ્રસિદ્ધ ગઝલ

ડોક્ટર મોહમ્મદ ઇકબાલ ઉર્દુ ના પ્રસિદ્ધ શાયર થઇ ગયા. કુરાન ની ઇસ્લામી ફિલસુફી ને  એમણે  પોતાના કાવ્યો માં  આબાદ રીતે પ્રદર્શિત કરી છે...એમતો એમની દરેક પંક્તિ માણસ ને વિચાર કરતી કરી મુકે  એવી છે। .....એમની એક પ્રસિદ્ધ ગઝલ ના કેટલાક શેર અહી અનુવાદ સાથે રજુ કરું છું......

                             ગઝલ 

1)    જિન્હેં મેં ઢુંઢતા થા  આસમાનો મેં ઝમીનો મેં
       વહ નિકલે મેરે ઝુલ્મત ખાનાએ દિલ કે મકીનો મેં

શબ્દાર્થ : ઝુલ્મતખાના : અંધેર ઘર
               મકીન : રહેવાસી

ભાવાર્થ :    આ પંક્તિ માં ડૉ.ઇકબાલ કહે છે કે એક ઈશ્વર - અલ્લાહ સુધી પહોંચવા માટે ધરતી અને આકાશોને ખંખોળી નાખ્યા પરંતુ જયારે બારીકાઈથી જોયું તો એ મારા હૃદય માં જ ઉપસ્થિત હતો. અહી એ વાત યાદ રાખવી જોઈએ કે ઈશ્વર તો માણસ ના હૃદય માં રહે છે પરંતુ એની શોધ માટે એનો પરિચય પણ થયેલો હોવો જોઈએ।.અરબી ઉર્દુ માં આને મારેફત કહે છે।

2)     હકીકત અપની આંખો પર નુમાયાં જબ હુઈ અપની
        મકાં નિકલા હમારે ખાન એ દિલ કે મકીનો મેં

શબ્દાર્થ    : નુમાયાં :સ્પષ્ટ થવું
                 મકા    : મકાન,ઘર
                 ખાન એ દિલ  : હૃદય રૂપી ઘર

ભાવાર્થ   : આનો અર્થ પણ લગભગ પ્રથમ પંક્તિ જેવો જ છે। આમાં કહેવામાં આવ્યું છે કે જયારે મને જાણ   થઈ કે મારી વાસ્તવિકતા શું છે તો  આ જ્ઞાન પણ થઇ ગયું કે ઈશ્વર -અલ્લાહ તો સ્વયં મારા હૃદય માં મોજુદ છે ,એને બહાર શોધવાની કોઈ જરૂર નથી.   

3)       કભી અપના ભી નઝારા કિયા હૈ તુને એ મજનું ?
          કે લૈલા કી તરહ તું ખુદ ભી હૈ મહમિલ નશીનોમે

 શબ્દાર્થ  : નઝારા : જોવું , નિહારવું, દર્શન
                મહમિલ નશી : ઊંટના પલાણમાં બેસનાર

ભાવાર્થ    :  કવિ ઇકબાલ અરબસ્તાન ના પ્રસિદ્ધ પ્રેમી મજનું (વાસ્તવિક નામ કૈસ) ને સંબોધીને કહે છે કે આટલું બતાવી દે કે પ્રેમ માં મગન રહેવા સિવાય પણ તે કદી તારી જાત માં ઝાંકીને જોયું છે ?મારા મત મુજબ તો તું પણ ઊંટ ના પલાણ માં - પડદાં ની આડ માં બેઠેલી લૈલા જેવો જ છે। અર્થાત જ્યાં સુધી માણસ પોતાની જાત થી બહાર નીકળી ને પોતાને જોતો નથી ત્યાં સુધી પોતાને ઓળખતો નથી।

4)       મહીને વસ્લ કે ઘડિયો  કી સુરત ઉડે જાતે હૈ
           મગર ઘડિયાં જુદાઈ કી ગુઝરતી હૈ મહીનો મેં
શબ્દાર્થ     : વસ્લ   : મિલન
                   ઘડી : ક્ષણ , સમય
                   ગુઝરવું  : પસાર થવું

ભાવાર્થ     :  કવિ કહે છે કે પ્રિય પાત્ર -પ્રેમી કે પ્રેમિકા -સાથે મિલન નો સમય બહુ જલ્દી વીતી જાય છે મહિનાઓ પણ જાણે ક્ષણો ની જેમ પસાર થઈ જાય છે ,પરંતુ વિયોગ આવી પડે તો નાની ક્ષણો પણ મહિનાઓ જેવી વીતે છે ,સમય જાણે ખૂટતુ જ નથી।

5)       તમન્ના દર્દે દિલ કી હો તો ખિદમત કર ફકીરો કી
          નહીં મિલતા યહ ગૌહર બાદશાહો કે ખઝીનોમેં
શબ્દાર્થ     : તમન્ના  : ઈચ્છા
                   ખિદમત  : સેવા
                   ફકીર : ભિક્ષુક ,સંત
                   ગૌહર  : મોતી ,રત્ન ,મણી
                   ખઝીના : ખજાનો

ભાવાર્થ   : જો તું ઈચ્છતો હોય કે તારા હૃદય માં પ્રેમ ની ભાવના જન્મે તો આમતેમ દરબદર ભટકવા કરતા એ ફકીરો -સંત પુરુષો ની સેવા કર જેઓ દુનિયા ની દરેક ભૌતિક વસ્તુ થી બેપરવા થઈ સામાન્ય માણસો ને કામ આવે છે। આ પણ જાણી લે કે પ્રેમ ની ભાવના રૂપી રત્ન કોઈ રાજા મહારાજા ના ખજાના માં પણ નથી મળતો।

6)       ખમોશ એ દિલ ! ભરી મહફિલ મેં ચિલ્લાના નહિ અચ્છા
          અદબ પહેલા કરીના હૈ મોહબ્બત કે કરીનો મેં

શબ્દાર્થ   : અદબ : રીત ,સંસ્કાર
                 કરીના  : આચરણ
   
ભાવાર્થ  : ઇકબાલ કહે છે એ દિલે નાસબુર ! તને તો તારા વાસ્તવિક મહેબૂબ (ઈશ્વર) થી પ્રેમ નો દાવો છે તો પણ ભરી સભા માં રોક્કળ કરે છે.જે લોકો પ્રેમ ના દાવા કરે છે એમને એટલી તો સુઝ્બુઝ હોય છે કે પ્રણય ના શિષ્ટાચાર માં ખામોશી અને ઇઝ્ઝત પ્રથમ રીતભાત છે.

7)      બુરા સમઝૂં  ઉન્હેં ? મુઝસે તો ઐસા હો નહિ શકતા
          કે મેં ખુદ ભી તો હું 'ઇકબાલ' અપને નુક્તાચીનો મેં

શબ્દાર્થ   : નુક્તાચી : ટીકાકાર

ભાવાર્થ : ગઝલની અંતિમ પંક્તિ (મક્તા) માં ઇકબાલ કહે છે કે જે લોકો મારા ટીકાકારો કે વિવેચકો છે એમને હું કેવી રીતે ખરાબ માનું ? કારણ કે હું પોતેજ મારો સૌથી મોટો ટીકાકાર છું.