આ બ્લૉગ શોધો

લેબલ ઇકબાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઇકબાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

16 જાન્યુઆરી, 2019

તરાનાએ હિંદી

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા
હમ બુલબુલેં હૈં ઇસકી યહ ગુલસિતાં હમારા
ગુરબતમેં હોં અગર હમ રહતા હૈ દિલ વતનમેં
સમઝો વહીં હમેંભી દિલ હો જહાં હમારા
પરબત વહ સબસે ઊંચા, હમસાયા આસમાં કા
વહ સંતરી હમારા, વહ પાસબાં હમારા
ગોદીમેં ખેલતી હૈં ઇસકી હજારોં નદિયાં
ગુલશન હૈ જિન કે દમ સે રશ્કે જિનાં હમારા
અય આબરૂદે ગંગા! વહ દિન હૈ યાદ તુઝકો
ઉતરા તેરે કિનારે જબ કારવાં હમારા
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ, હિન્દોસ્તાં હમારા
યૂનાન વ મિસ્ર વ રૂમા સબ મિટ ગએ જહાં સે
અબતક મગર હૈ બાકી નામો નિશાં હમારા
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
સદિયોં રહા હૈ દુશ્મન દૌરે ઝમાં હમારા
ઇકબાલ! કોઈ મહેરમ અપના નહીં જહાં મેં
મા’લૂમ કયા કિસી કો દર્દે નિહાં હમારા


આ ગીત ડા. ઇકબાલે ત્યારે કહ્યું હતું જ્યારે તેઓ એક દેશભક્ત તરીકે અખંડ ભારતને જ પોતાનું સર્વસ્વ સમજતા હતા. એક દેશપ્રેમી શાયરની હેસિયતથી એમનું મગજ આ પંક્તિઓમાં દરેક જાતના મતભેદો અને ઘૃણાથી પવિત્ર દૃષ્ટિગોચર થાય છે. એમના મનમાં એ વખતે મુખ્ય પ્રશ્ન માત્ર ને માત્ર અંગ્રેજી ગુલામીનો હતો. તેથી આ
પંક્તિઓમાં ક્યાંક ક્યાંક એના વિશે ઇશારો પણ મળી જાય છે.
આનું વિવરણ વાંચવા માટે લિંક પર ક્લિક કરો

21 ઑગસ્ટ, 2018

અબ્રે કોહસાર (પર્વતમાળાનું વાદળ)

ડો. ઇકબાલની આ કવિતા કુદરતી દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. અહીં એમણે જે સુંદર પ્રાકૃતિક દૃશ્યનું વર્ણન કર્યું છે એ દાદને કાબેલ છે. આખી કવિતા ઊંચા ઊંચા પહાડો અને ડુંગરો ઉપર છવાયેલા વાદળોના સંવાદ ઉપર આધારિત છે. વાદળો વરસે છે તો ખેતરો લીલાછમ થઈ જાય છે. ખેડૂતો ખેતીમાં આનાથી ઘણો લાભ મેળવે છે. બગીચાઓમાં ફલો અને ફૂલોની ખેતી પણ વાદળો વિના શક્ય નથી.

(૧)
હૈ બુલંદી સે ફલક બોસ નશેમન મેરા
અબ્રે કોહસાર હું ગુલપાશ હૈ દામન મેરા
કભી સેહરા, કભી ગુલઝાર હૈ મસ્કન મેરા
શહેર વ વીરાના મેરા, બહર મેરા, બન મેરા
કિસી વાદીમેં જા મન્ઝૂરહો સોના મુઝકો
સબ્ઝહએ કુહ હૈ મખમલકા બિછોના મુઝકો
પ્રથમ બંદઃ-
શબ્દાર્થ: નશેમન-માળો, અબ્ર-વાદળ, કોહસાર-પર્વતમાળા, ગુલપાશ-ફૂલ વરસાવનાર, ફલકબોસ- આકાશને અડનાર, ઊંચું,
ભાવાર્થ: કવિતાની બધી જ પંક્તિઓમાં પ્રથમ પુરૃષ એકવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં પર્વતમાળાના વાદળ સંવાદ કરીને કહે છે કે મારૃ રહેવાનું સ્થળ ઊંચા ઊંચા પર્વતો ઉપર છે. પરંતુ ધરતી ઉપર ફૂલ વિખેરૃં છું. અર્થાત્ જ્યાં સુધી વરસું નહીં ત્યાં સુધી ફૂલો ઉગે નહીં. ક્યારેક રણમાં વરસું છું તો ક્યારેક ઉદ્યાનોમાં, આમ, શહેરો ઉપરાંત વેરાન પ્રદેશોમાં અને જંગલોમાં પણ હું વરસી પડું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે ધરતી ઉપરના સ્થળોને સંતૃપ્ત કરે છે.
વાદળ કહે છે ક્યારેક પહાડો ઉપર અને ખીણોમાં વરસું છું તો ત્યાં ઉગેલી મખમલ જેવી હરિયાળી જાણે મારી આરામગાહ બની જાય છે.
(૨)
મુઝકો કુદરતને સિખાયા હૈ દૂર્રેઅફશાં હોના
નાકએ શાહિદે રહમત કા હુદી ખ્વાં હોના
ગમઝદએ દિલે અફશુરદા દહેકાં હોના
રોનકે બઝમે જવાનાં ગુલિસ્તાં હોના
બનકે ગેસુ રૂખે હસ્તી પે બિખર જાતા હું
શાના મોજા સરસર સે સંવર જાતા હું


બીજો બંદઃ-
શબ્દાર્થ: દુર્રે અફશાં – મોતી વિખેરનાર, નાકા-ઊંટણી, હુદીખ્વાંં-ઊંટ ચરાવનારનં ગીત
ભાવાર્થ: આ બંદમાં પણ પર્વતમાળાના વાદળ કહે છે કે કુદરતે મને વરસાદના ટીપાના સ્વરૃપમાં ધરતી ઉપર મોતી વિખેરવાનું શીખવાડયું છે. આ ટીપાઓ જાણે કિંમતી મોતીઓ છે. હું જ્યારે વરસું છું એ દરમ્યાન ઉત્પન્ન થતો અવાજ ઊંટ ચરાવનારાઓના ગીતોથી પણ મધુર હોય છે. આખું વાતાવરણ જાણે સંગીતમય બની જાય છે. અને જ્યારે શુષ્ક અને વેરાન ખેતરો ઉપર વરસું છું તો ન જ મૃતઃપાય ધરતી પરંતુ એના માલિકો એવા ખેડૂતોના ઉદાસ હૃદયમાં પણ આનંદ અને ખુશી છવાઈ જાય છે. જ્યારે બગીચાઓ ઉપર વરસું છું ત્યાં ફળો અને ફૂલો ઉપર તાજગી અને સૌંદર્ય છલકાઈ ઉઠે છે.
મારૃં અસ્તિત્વ તો જીવન અને સૃષ્ટિ માટે હૃદયને ખુશ કરવા માટે છે. જ્યારે હવાઓ ચાલે છે ત્યારે હું એકજૂટ થઈ ધરતી ઉપર વરસું અને એને નવપલ્લવિત કરૃ છું. એમાં હવાની મદદ હોય છે. કહેવાનું તાત્પર્ય આ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે માત્ર કૃષિ ઉત્પાદનોમાં વધારો થાય છે, ફલો અને ફૂલોને પણ જીવન મળે છે અને આખી ધરતી લીલા રંગની ચુંદડી ઓઢી પોતાનું સૌંદર્ય વિખેરે છે.
(૩)
દૂર સે દીદએ ઉમ્મીદ કો તરસાતા હું
કિસી બસ્તી સે જા ખામોશ ગુઝર જાતા હું
સૈર કરતા હુઆ જિસ દમ લબે જુ આતા હું
બાલિયાં નહર કો ગરદાબકી પહેનાતા હું
સબ્ઝએ મઝરઆ નવખૈઝ કી ઉમ્મીદ હું મૈં
ઝાદએ બહર હું, પરવરદએ ખુરશીદ હું મૈં
ત્રીજો બંદઃ-
શબ્દાર્થ: મઝરઅ નવખેઝ-નવું ઉગેલું પાક, ઝાદએ બહર- જે સમુદ્રથી જન્મ્યું હોય
ભાવાર્થ:આ બંદમાં પર્વતમાળાનું વાદળ સંવાદ કરે છે કે આગળ કહ્યું એનાથી થોડું અળગું જો હું કોઈ વસ્તી ઉપરથી વરસ્યા વિના પસાર થઈ જાઉં તો જે ખેડૂતો અને માળીઓ મારા વરસવાની પ્રતિજ્ઞાા કરતા હોય તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ ઇશ્વરથી વરસાદ માટે પ્રાર્થના કરવા લાગે છે. અને જ્યારે કોઈ નદી ઉપર જોરથી વરસું છું ત્યાં પાણીમાં ભંવર સર્જાય છે.
વાસ્તવિકતા તો આ છે કે મારા અસ્તિત્વથી જ તાજા ઉગેલા પાક અને ઉદ્યાનોની હરિયાળી છે. હું એમના માટે આશા અને બળ છું. હું સમુદ્રમાં ઉત્પન્ન થયો છું અને સૂર્યએ મારો ઉછેર કર્યો છે. પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક નિયમો મુજબ સૂર્યની ગરમીના કારણએ સમુદ્રનું પાણી વરાળ બની ઉપર ઊડી જાય છે અને પછી અમુક જથ્થામાં ભેગું થતું રહે છે. જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે વાદળનું નિર્માણ થાય છે અને એ પાછુ પાણી સ્વરૃપે ધરતી ઉપરવરસે છે. આ પંક્તિમાં ઇકબાલે આ જ વૈજ્ઞાાનિક નિયમ તરફ ઇશારો કર્યો છે.
(૪)
ચશ્મએ કુહ કો દી શોરીશે કુલ્ઝુમ મૈને
ઔર પરીન્દો કો કિઆ મહુએ તરન્નુમ મૈંને
સર પે સબ્ઝા કે ખડો હો કે કહા કુમ મૈં ને
ગુન્ચએ ગુલકો દીયા ઝૌકે તબસ્સુમ મૈ ને
ફૈઝસે મેરે નમૂને હૈ શબીસ્તાનો કે
ઝોંપડે દામને કોહસાર મેં દેહકાનો કે
ચોથો બંદઃ-
શબ્દાર્થ: ચશ્મએ કૂહ – ઝરણુ, કુમ-ઉઠ, ઊભો થા, શબિસ્તાનોં- અમીરોના ઊંઘવાનું સ્થળ
ભાવાર્થ: આ છેલ્લા બંદમાં પર્વતમાળાનું વાદળ કહે છે કે પર્વતોમાંથી નીકળતા ઝરણાને મે જ જોશ અને મસ્તી આપી છે. મારા કારણે જ ગરમીથી ત્રસ્ત પક્ષીઓ સુખના શ્વાસ લઈ ગીતો ગાય છે. મારા કારણે જ પાયમાલ અને મુરઝાયેલ છોડવાસો ફરીથી નવપલ્લવિત થાય છે. એ હું જ છું કે જ્યારે ઉદ્યાનોમાં વરસું છું તો કળીઓ ખુશ્બુદાર ફૂલોમાં પરિવર્તિત થઈ જાય છે. અર્થાત્ મારા વિના આ બધું શક્ય નથી.
મારી કૃપાઓ અને ઉપકારથી જ પર્વતમાળાઓમાં વસ્તા ખેડૂતોની ઝુંપડપટ્ટીમાં પણ હર્ષોલ્લાસ વ્યાપી જાય છે, એટલા માટે કે મારા કારણે જ એમના ખેતરોમાં પાક લહેરાય છે અને એમને પ્રસન્નચિત રાખે છે. હું ખેડૂતો માટે હર્ષનું કારણ બનું છું.
 ('યુવાસાથી' સામાયિક ,ઓગષ્ટ ૨૦૧૮ માં પ્રકાશિત મારો લેખ) 

2 માર્ચ, 2018

તસ્વીરે દર્દ (દર્દનાક ચિત્ર)-2

અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમાં ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાંચતા એમાં 'તસ્વીરે દર્દઅથવા'દર્દનાક ચિત્રપણ એક છે. આ કવિતામાં એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસંવેદનશીલતાનું વર્ણન કર્યું છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સંપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.


(૩૬) થી (૪૦)
કીયા રિફઅત કી લઝ્ઝત સે ન દિલ કો આશ્ના તૂને
ગુઝારી ઉમ્ર પસ્તીમેં મિસાલે નકશે પા તૂને
રહા દિલ બસ્તએ મહેફિલ મગર અપની નિગાહોં કો
ફિદા કરતા રહા દિલકો હસીનોં કી અદાઓં પર
મગર દેખી ન ઇસ આઈનેમેં અપની અદા તૂને
તઅસ્સુબ છોડ નાદાંદહર કે આઈના ખાને મેં
યહ તસ્વીરે હૈં તેરી જિનકો સમઝા હૈ બુરા તૂને
સરાપા નાલ એ બેદાદ સોઝે ઝિન્દગી હો જા
સપન્દ આસાગરહમેં બાંધ રખી હૈ સદા તૂને
        (શબ્દાર્થ - રિફઅતઃ ઊંચાઈબુલંદી આશ્નાઃ ઓળખીતો પસ્ત ઃ અધમતાનીચતા મિશાલે નકશે પા ઃ નિશાનની જેમ ;દિલ બસ્તએ મહેફિલઃ મહેફિલ કે સભાનો શોખીન દહર ઃ સમયકાળદુનિયા)
        ભાવાર્થ ઃ આ બંદમાં ઇકબાલ આલિમે બે અમલ અર્થાત્ આચરણહિન ધાર્મિક વિદ્વાનને સંબોધે છે જે ધર્મનો ઠેકેદાર બની બેઠો છે. કેટલાક વિવેચકોએ આના વિવેચનમાં રાજકીય કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને મદેનઝર રાખ્યું છે પરંતુ એવું નથી. ઇકબાલનું સંબોધન ધર્મના ઠેકેદાર મુલ્લાઓ વિરુદ્ધ છે જેમણે તુચ્છ મતભેદોને મોટા મોટા બતાવી લોકોના હૃદયમાં ઘૃણાના બીજ વાવી દીધા છે. કહે છે દિલને ઉચ્ચતા આપવાનો કદી પ્રયત્ન જ ન કર્યો અને જીવન પગના નિશાનની જેમ અધમતામાં જ વિતાવ્યું. અર્થાત્ સમગ્ર જીવન વેરઝેર અને ઘૃણામાં જ પ્રસાર કર્યું. તું તારી જાતમાં જ સમેટાઈને મહેફિલોમાં પણ સ્વકેન્દ્રી જ રહ્યો. આ મહેફિલોની બહાર પણ ઘણું બધું છે એ તેં જોયું જ નહીં. બીજાઓની સુંદરતા ઉપર મોહિત થતો રહ્યો પરંતુ તારી અંદર જ છુપાયેલી સુંદરતાને જોવા જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. કુદરતે કરેલા સર્જનોમાં તું પક્ષપાત કરતો રહ્યો. દેશ અને દેશવાસીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ એના બદલે તેં આંખ આડા કાન  કરી લીધા અને જીભને સીવી લીધીજાણે કશું થયું જ નથી. આશય એ છે કે જે બાબતોમાં વિરોધ કરવો જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં વિરોધ કરતો નથી કે અવાજ ઉઠાવતો નથી.
(૪૧) થી (૪૫)
સફાએ દિલકો કિયા આરાઈશે રંગે તઅલ્લુકસે
કફે આઈના પર બાંધી હૈ અય નાદાં! હિના તૂને
ઝમીં કયા આસ્માં ભી તેરી કજબીની પે રોતા હૈ
ગજબ હૈ સતરે કુર્આં કો ચલીપા કર દિયા તૂને
ઝબાં સે ગર કિયા તૌહીદ કા દાવા તો કયા હાસિલ
બનાયા હૈ બુતે પિન્દારકો અપના ખુદા તૂને
કુંવે મેં તૂને યૂસુફ કો જો દેખા ભી તો કયા દેખા
અરે ગાફિલ! જો મુતલક થા મુકય્યદ કર દિયા તૂને
હવસ  બાલાએ મિમ્બર હૈ તુઝે રંગીં બયાની કી
નસીહત ભી તિરી સૂરત હૈઇક અફસાના ખ્વાની કી
        (શબ્દાર્થ - હિના ઃ મહેંદી કજબીની ઃ વક્રદૃષ્ટિ ચલીપા ઃ શૂળીખ્રિસ્તીક્રોસ તૌહીદ ઃ એકેશ્વરવાદ બુત ઃ મૂર્તિ પિંદાર ઃ વિચારકલ્પનાઅભિમાન મુતલક ઃ પ્રકટજાહેર મુકય્યદ ઃ કેદી)
        ભાવાર્થ ઃ જો અંતઃકરણ પવિત્ર-નિર્મળ હોય તો પછી કોઈ જાતના રંગની આવશ્યકતા નથી હોતીપરંતુ હે આલિમે બેઅમલ! (આચરણ વિનાના વિદ્વાન) તેંે તો દર્પણની સ્વચ્છ સપાટી ઉપર મહેદી લગાવી એને રંગવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. તું એટલો વક્રદૃષ્ટા છે કે માત્ર ધરતી જ નહીં આકાશ પણ તારા આ અભિગમથી વિરુદ્ધ થઈ દુઃખી  થઈ ગયા છેએ પણ રડે છે. તે તો કુઆર્નની આયતોના ખોટા અર્થઘટન કર્યા છે. તું તારી જીભથી તો અલ્લાહના એક હોવા (એકેશ્વરવાદ) વિશે ગવાહી આપે છે પરંતુ કાર્મિક રીતે પોતાના નિજી સ્વાર્થ માટે વિચારો અને કલ્પનાઓની ઘણી મૂર્તિઓને વસાવી રાખી છે. તેં હઝરત યૂસુફ અ.સ.ની હકીકત વર્ણવતાં હદ અને કેદથી સ્વતંત્ર ઘણી બાબતોને તેંે હદ અને કેદના વર્તુળમાં કેદ કરી દીધી. તારો આશય તો આ જ છે કે મિમ્બર ઉપર રંગીંબયાની અર્થાત્ જોરદાર તકરીરો કરતા રહેવી પરંતુ તું જે નસીહતો કરે છે એ માત્ર અફસાનાખ્વાની (કથા કરણી)થી વધુ કંઈ નથી.
(૪૬) થી (૫૨)
દિખા વહ હુસ્ને આલમ સોઝ અપની ચશ્મે પુરનમકો
જો તડપાતા હૈ પરવાનેકોરૃલાતા હૈ શબનમકો
તિરા નઝારા હી અય બુલહવસ! મકસદ નહી ંઇસકા
બનાયા હૈ કિસીને કુછ સમઝ કર ચશ્મે આદમકો
અગર દેખા ભી ઇસને સારે આલમકો તો કયા દેખા
નઝર આઈ ન કુછ અપની હકીકત જામ સે જમકો
શજર હૈ ફિરકા આરાઈતઅસ્સુબ હૈ સમર ઇસકા
યહ વહ ફલ હૈ કિ જન્નતસે નિકલવાતા હૈ આદમ કો
ન ઉઠા જઝ્બએ ખુરશીદસે ઇક બર્ગે ગુલ તક ભી
યહ રિફઅતકી તમન્ના હૈ કિ લે ઊડતી હૈ શબનમકો
ફિરા કરતે નહીં મજરૃહે ઉલ્ફત ફિક્રે દરમાંમેં
યહ ઝખ્મી આપ કર લેતે હૈં પૈદા અપને મરહમ કો
મહબ્બતકે શરરસે દિલ સરાપા નૂર હોતા હૈ!
ઝરાસે બીજસે પૈદા રિયાઝે તૂર હોતા હૈ
        (શબ્દાર્થ - ચશ્મે પુરનમ ઃ ભીની આંખો પરવાના ઃ પતંગિયું બુલહવસ ઃ ખૂબ જ લાલચુ શજર ઃ વૃક્ષ ઝાડ સમર ઃ ફળ ખુરશીદ ઃ સૂર્ય બર્ગે ગુલ ઃ ફૂલની પાંખડી ફિક્રે દરમાં ઃ ઇલાજની ચિંતા શરર ઃ ચિંગારી)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ પોતાના સમકાલીન આલિમે બે અમલને સલાહ આપે છે કે પોતાની ભીની આંખોમાં એ સૌંદર્ય પેદા કર કે જે પતંગિયાના હૃદયમાં તડપ જન્માવે છે અને એના કારણે ઝાકળને અશ્રુભીના થવું પડે છે. તું જે રીતે સૃષ્ટિના મામલાઓને જુએ છે એ કુદરતે સમજી વિચારીને સહેતુક કરેલા નિર્માણને અનુસરે છેકેમકે ઈશ્વરે માનવ આંખને કોઈ કારણથી જ નિર્માણ કરી છે. ઈરાનના રાજા જમશેદે જમ નામના જે પ્યાલાનું નિર્માણ કરાવ્યું હતું એમાં એ વિશ્વભરના દૃશ્યોને જોઈ લેતો હતો એમ છતાંય  વાસ્તવિકતાના દૃશ્યો જોવાથી એ વંચિત જ રહ્યો. પોતાની હકીકતને ક્યારે પણ સમજી શક્યો નહીં. સાંભળી લેફિરકા પરસ્તી,પક્ષપાતભેદભાવ આ બધા એ વૃક્ષ સમાન છે જેના ફળ વેર-દ્વેષ જ છે. અર્થ એ છે કે ફિરકાપરસ્તીથી સમાજમાં તોડફોડ થાય છે,સમાજને જ નુકસાન ભોગવવું પડે છે. હઝરત આદમ અને ફરિશ્તાઓ વચ્ચે જે ભેદભાવ થયા એના પરિણામે જ આદમને જન્નતમાંથી નીકળવું પડ્યું.  આગળની પંક્તિમાં ઇકબાલ કહે છે સૂર્ય આટલી દૂર રહીને પણ પોતાનું કાર્ય કરે છે એમ છતાંય એક ફૂલની પાંદડી પણ એનાથી ઊંચકાતી નથી. આનાથી વિપરિત ઝાકળ ઊડીને અવકાશમાં ભળી જાય છે કેમ કે તે બુલંદ ફિત્રત- ઉચ્ચતાના સ્વભાવની માલિક છે. પ્રેમ બાણથી વીંધાયેલા લોકો ઇલાજની ચિંતા કરતા નથીતેઓ તો જાતે જ પોતાનું મરહમ બનાવી લે છે. એમને તબીબની દવાની કોઈ હાજત નથી હોતી. આ મહોબ્બતની ચિંગારી જ છે જેના થકી હૃદય પ્રકાશમાન થાય છે. મહોબ્બતના નાનકડા બીજથી જ તૂર પર્વત ઉપર ઉદ્યાનોનું નિર્માણ થાય છે. ઇકબાલનો આશય એ છે કે મહોબ્બતની ભાવના થકી જ માનવ હૃદય કાર્યકારી રીતે ઈશ્વરના નૂર (પ્રકાશ)થી પ્રકાશિત થઈ જાય છે.
(૫૩) થી (૬૧)
દવા હર દુખ કી હૈ મજરૃહ તેગએ આરઝૂ રહના
ઇલાજ એ ઝખ્મ હૈ આઝાદ અહસાન સે રફૂ રહના
શરાબે બેખુદીસે તા ફલક પરવાઝ હૈ મેરી
શિકસ્તે રંગસે સીખા હૈ મૈંને બનકે બૂ રહના
થમે કયા દીદએ ગિરયાં વતનકી નોહા ખ્વાનીમેં
ઇબાદત ચશ્મે શાઇર કી હૈ હરદમ બાવઝૂ રહના
બનાએં કયા સમઝ કર શાખે ગુલ પર આશિયાં અપના
ચમનમેં આહ! કયા રહના જો હો બે આબરૃ રહના
જો તૂ સમઝે તો આઝાદી હૈ પોશીદા મહોબ્બત મેં
ગુલામી હૈ અસીર ઇમ્તિયાઝે મા વ તૂ રહના
યહ ઇસ્તિગ્ના હૈ પાની મેં નગૂં રખતા હૈ સાગર તો
તુઝે ભી ચાહીએ મિસલે હબાબ આબરૃ રહના
ન રેહ અપનોંસે બેપરવા ઇસીમેં ખૈર હૈ તેરી
અગર મંઝૂર હૈ દુનિયામેં ઓ બેગાના ખૂ રહના
શરાબે રૃહ પરવહ હૈ મહબ્બત નૌએ ઇન્સાં કી
સિખાયા ઇસને મુઝકો મસ્ત બે જામ વ સબૂ રહના
મહબ્બત હીસે પાઈ હૈ શિફા બીમાર કૌમોંને
કીયા હૈ અપને બખ્તએ ખુફતા કો બેદાર કૌમોંને
મહબ્બત હી સે પાઈ હૈ શિફા બીમાર કૌમોં ને
કિયા હૈ અપને બખ્તએ ખુફતા કો બેદાર કૌમોંને
        (શબ્દાર્થ - તેગ ઃ તલવાર મજરૃહ ઃ ઘાયલજખ્મી રફૂ ઃ ફાટેલા કપડાને દોરાથી ગૂંંથી લેવું બેખુદી ઃ બેશુદ્ધિઅજ્ઞાન ;તા ફલક ઃ આકાશ સુધી પરવાઝ ઃ ઉડાન નોહાખ્વાની ઃ રડવું પોશીદા ઃ છુપાયેલી અસીર ઃ કેદી ઇસ્તિગ્ના ઃ લાપરવાહી હુબાબઃ પાણીનો પરપોટો ; નૌએ ઇન્સાં ઃ માનવજાતિ બખ્તએ ખુફતા ઃ સૂતેલું ભાગ્ય)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ યુગની સ્થિતિ વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતાં કહે છે કે દુનિયામાં જેટલાં દુઃખ-દર્દ છે એનો ઇલાજ મહોબ્બત છે. મારા વિચારોની ઉડાન આકાશ સુધી છે એનું કારણ આ છે કે મેં ફૂલોથી પ્રેરણા મેળવી છે. એમનો રંગ ભલે ઊડી જાય પરંતુ તેઓ વાતાવરણને પોતાની ખુશ્બૂથી મહેકાવી દે છે. દેશ અને દેશવાસીઓની અસંવેદનશીલતા માટે હું કહું છું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. માત્ર મારા માટે જ નહીં પરંતુ દરેક કવિ માટે આ કાર્ય બંદગીથી ઓછું નથી કે તે પોતાના સર્જન થકી આ પરિસ્થિતિ વિશે ચર્ચા કરતો રહે. પરંતુ દેશવાસીઓની અકર્મણ્યતા પરાકાષ્ઠા ઉપર હોય તો એક જાગૃત અને સ્વાભિમાની સર્જક માટે આ વિચારવાની બાબત છે કે જ્યાં ઇજ્જત-આબરૃ  ન હોય ત્યાં વસવાથી શો ફાયદોદરેક માણસે એ સમજવું જોઈએ કે સ્વતંત્રતા મહોબ્બતમાં છુપાયેલી છે. એનાથી વિપરિત પક્ષપાત અને વેર-દ્વેષમાં ગુલામી છે.
        આ નિસ્પૃહા કે બેપરવાઇ જ છે જે પ્યાલાને પાણીમાં ડુબાડી રાખે છે. બિલકુલ એવી જ રીતે જેમ કોઈ નદીના પાણીમાં પરપોટા ઉપર નીચે થયા કરે છે પરંતુ ડૂબતા નથી. તારા માટે આવશ્યક છે કે તું પણ નિઃસ્પૃહ થઈ જાય. તેં તો વેરઝેર અને ઘૃણાથી પોતાની જાતને બીજાથી અલગ કરી રાખી છેજો જગતમાં રહેવું હોય તો આ રીત છોડી દેઅને બધાથી મળીને સંપીને રહે. કારણ કે પ્રેમ અને મહોબ્બત જ માનવજાતિને આનંદી અને પ્રસન્ન રાખે છે. હું શરાબ પીધા વિના પણ મસ્ત અને ચૂર રહું છું એનું કારણ પ્રેમ છે. પ્રેમની ભાવના જ એવી છે જેનાથી બીમાર કોમો સાજી થાય છે. અને એના કારણે જ એમનામાં જાગૃતિ આવે છે. અહીં ઇકબાલનો આશય એ છે કે ઘૃણા અને ભેદભાવને લીધે કોમો કે જાતિઓ વિનાશ નોંતરે છે અને પ્રેમની ભાવના જ છે જેનાથી કોમો કે જાતિઓ સફળતા મેળવે છે.
(૬૨) થી (૬૯)
બયાબાને  મહબ્બત દશ્તે ગુરબત ભીવતન ભી હૈ
યહ વીરાના કફસ ભીઆશિયાના ભીચમન ભી હૈ
મહબ્બત હી વહ મંઝિલ હૈ કિ મંઝિલ ભી હૈ સહરા ભી
જરસ ભીકારવાં ભીરાહબર ભીરાહઝન ભી હૈ
મર્ઝ કહતે હૈં સબ ઇસકોયહ હૈ લેકિન મર્ઝ ઐસા
છુપા જિસમેં ઇલાજે ગરદિશે ચર્ખે કુહન ભી હૈ
જલાના દિલકા હૈ ગોયા સરાપા નૂર હો જાના
યહ પરવાના જો સોઝાં હોતો શમ્એ અંજૂમન ભી હૈ
વહી ઇક હુસ્ન હૈલેકિન નઝર આતા હૈ હર શયમેં
યહ શીરીં ભી હૈ ગોયાબે સુતૂં ભી કોહકન ભી હૈ
ઉજાડા હૈ તમીઝે મિલ્લત વ આઈને કૌમોંકો
મિરે અહલે વતન કે દિલમેં કુછ ફિક્રે વતન ભી હૈ?
સુકૂત આમોઝ તોલ દાસ્તાને દર્દ હૈ વરના
ઝબાં ભી હૈ હમારે મુંહ મેં ઔર તાબે સુખન ભી હૈ
"નમી ગર દીદ કો તહરિશ્તએ મ્આની રિહા કરદમ
હિકાયત બૂદ બે પાયાંબખામોશી અદા કરદમ"
        (શબ્દાર્થ - જરસ ઃ એ ઘંટ કે કાફલાની રવાનગી વખતે વગાડવામાં આવે છે ;  મર્ર્ઝ ઃ બીમીરી)
        ભાવાર્થ ઃ કવિતાના છેલ્લા બંદમાં ઇકબાલ આ નિર્ણય ઉપર આવે છે કે આ જગતમાં પ્રેમ જ બધું છે. એનાથી જ સૃષ્ટિ ટકેલી છે. પ્રેમ ક્યારેક વેરાન રણ તો ક્યારેક દેશનું પ્રતીક બની જાય છે. ક્યારેક બગીચો. ક્યારેક વીરાનોક્યાંક ચમનનું રૃપ ધારણ કરી લે છે. પ્રેમ ભાવના છે જે મંઝિલ તો ક્યારેક રેગિસ્તાનતો ક્યારેક કાફલાને રવાના કરતા સમયે વગાડવામાં આવતું ઘંટતો ક્યારેક કાફલો પોતે જક્યારેક માર્ગદર્શક તો ક્યારેક લુંટારો બની જાય છે. આમ તો લોકો પ્રેમને એક બીમારી સાથે સરખાવે છેપરંતુ આ એક એવી બીમારી છે જેમાં સૃષ્ટિની બીમારીઓનો ઇલાજ છુપાયેલો છે. આ ભાવનાથી જ્યારે હૃદય બળે છે ત્યારે સરાસર પ્રકાશ પથરાઈ જાય છે કેમકે આ એક એવું પતંગિયું  છે જે મીણબત્તીની તાકતનું પરિણામ બની જાય છે.
        પ્રેમ એક એવું સૌંદર્ય છે જે બધી જ વસ્તુઓમાં ઝલકે છે. શીરીંફરહાદમાં આમ તો ઘણો
 તફાવત છે પરંતુ પ્રેમની અનુભૂતિએ જ એમને એકબીજાથી પ્રભાવિત કરી રાખ્યા છે. વેરઝેર
 અને ઘૃણાએ કોમો કે જાતિઓની બરબાદી નોંેતરી છે. પરંતુ અફસોસ મારા દેશવાસીઓને
 આ બાબતે કોઈ ચિંતા નથી. આ કથા આમ તો હજી પણ લાંબી ચાલી શકે એમ છે કારણ કે 
મારા વિચારોની અમાપતા ઘણી છે. કવિતાને તેઓ નઝીરીના ફારસી શે'ર સાથે પૂર્ણ કરે છે
 જેનો અર્થ એ છે કે વિષયની લંબાઈ પૂર્ણ થતી ન હોતી તેથી મેં એને છોડી દીધો. આ એક એવું
 વર્ણન છે જે ખૂબ જ વિસ્તૃત છે. તેથી ચુપ થઈ જવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય
 નથી.  
("યુવાસાથી" સામાયિક ,માર્ચ ૨૦૧૮માં પ્રકાશિત મારો લેખ)

21 ડિસેમ્બર, 2017

તસ્વીરે દર્દ

તસ્વીરે દર્દ-1
-ડોક્ટર ઇકબાલ
રજૂઆત:મોહમ્મદ સઈદ શેખ (૯૬૨૪૦૪૬૬૭૭)
અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમાં ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાંચતા એમાં 'તસ્વીરે દર્દઅથવા 'દર્દનાક ચિત્રપણ એમાંથી એક છે. આ કવિતામાં એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસંવેદનશીલતાનું વર્ણન કર્યું છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સંપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.
(૧) થી (૪)
નહીં મિન્નત કશે તાબે શનીદન દાસ્તાં મેરી
ખમોશી ગુફતગુ હૈબેઝબાની હૈ ઝુબાં મેરી
યહ દસ્તૂરે ઝબાંબંદી હૈ કૈસા તેરી મહેફિલમેં
યહાં તો બાત કરનેકો તરસતી હૈ ઝુબાં મેરી
ઉઠાએ કુછ વર્ક લાલેનેકુછ નરગિસનેકુછ ગુલને
ચમનમેં હર તરફ બિખરી હુઈ હૈ દાસ્તાં મેરી
ઉડા લી કમરિયોંનેતૂતિયોંનેઅન્દલીબોંને
ચમન વાલોંને મિલ કર લૂટ લી તર્ઝે ફુગાં મેરી
        (શબ્દાર્થ - મિન્નત કશે તાબે શનીદન ઃ કોઈ સાંભળવાની હિમ્મત નથી કરી શકતું  દસ્તૂરે ઝુબાંબંદી ઃ વાત કરવાની મનાઈ)
        ભાવાર્થ ઃ મારી દાસ્તાન કે કથા સાંભળવાની કોઈ હિમ્મત નથી કરી શકતું. એ વાતનો મને દુઃખ છે કે મારી કથા પ્રત્યે કોઈએ ધ્યાન નથી આપ્યું. તેથી મેં ચુપ રહેવાનું યોગ્ય માન્યું છે. આવી સ્થિતિમાં મારી ચુપ જ મારી ભાષા બની ગઈ છે. બીજા શે'રમાં તેઓ દેશવાસીઓ કહે છે તારી સભામાં વાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે જો કે મને અહીં કોઈની સાથે વાત કરવાની ખૂબ તલબ છે. એમ છતાંય આ પણ વાસ્તવિકતા છે કે મારી કથાના કેટલાક પૃષ્ઠો કેટલાક ફૂલોએ અર્થાત્ કેટલાક છોડોએ ઊઠાવી લીધા છે. જ્યારે આ પૃષ્ઠો બાગમાં વિખરાયેલા પડયા હતા. આવી રીતે કેટલાક લોકોએ મારી શૈલી અને વિચારો ઉપર કબજો કરીને એને લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો છે.
(૫) થી (૮)
ટપક એ શમ્અ! આંસૂ બનકે પરવાને કી આંખોસે
સરાપા દર્દ હૂંહસરત ભરી હૈ દાસ્તાં મેરી
ઇલાહી! ફિર મઝા કયા હૈ યહાં દુનિયામેં રહનેકા?
હયાતે જાવેદાં મેરીન મર્ગે નાગેહાં મેરી
મિરા રોના નહીંરોના હૈ યહ સારે ગુલિસ્તાંકા
વહ ગુલ હૂં મૈંખિઝાં હૂં હર ગુલકી હૈ ખિઝાં મેરી
"દરીં હસરત સરા ઉમરયસ્ત અફસૂને જરસ દારમ
ઝ ફૈઝે દિલ તબીદન હા ખરોશે બે નફસ દારમ"
(શબ્દાર્થ - ખિઝાં ઃ પાનખર)
        ભાવાર્થ ઃ આ સ્થિતિમાં ઇકબાલ શમ્અ/ મીણબત્તીને સંબોધીને કહે છે કે હું તો પગથી માથા સુધી દર્દ બનીને રહી ગયો છું. અને મારી કથામાં હવે અભિલાષાઓ સિવાય બીજું કશું નથી. એ શમઅ! તું મારા દુઃખ દર્દની સાથી બની જા અને પતંગિયાની આંખમાંથી અશ્રુ બનીને ટપકી જા. આશય આ છે કે જેવી રીતે હું કૌમના દર્દ માટે અશ્રુ વહાવી રહ્યો છું એમાં તું પણ મારો સાથ આપ. આગળના શે'રમાં ઇકબાલ ઈશ્વરથી કહે છે કે તું મને બતાવ હે ઈશ્વર! કે તારા બનાવેલા આ જગતમાં જીવવા માટે કે રહેવા માટે મને આનંદ કેમ પ્રાપ્ત નથીન તો મારા જીવન ઉપર ન જ મારા મૃત્યુ ઉપર મને કોઈ અધિકાર છે! અને આ કંઈ મારા એકલાની ફરિયાદ નથી. આ તો બધા જ લોકોની ફરિયાદ છે. હું તો એક એવા પુષ્પની જેમ છું જે સમગ્ર ઉદ્યાનની પાનખર અને બરબાદીને પોતાની પાનખર સમજે છે. અભિલાષા અને નિરાશાની આ દુનિયામાં મારી જાત તો આગાહી કરવાવાળી એક ઘંટી સમાન છે. જે તડપની અનુભૂતિ હું કરૃં છું એનું પ્રાગટ્ય પણ જોશપૂર્વક મારી કવિતામાં કરૃ છુંપરંતુ અફસોસ આ છે કે મારા દર્દાનુભૂતિ ઉપર કોઈ ધ્યાન નથી આપતું.
(૯) થી (૧૬)
રિયાઝે દહરમેં નાઆશનાએ બઝમે ઇશરત હૂં
મૈં હર્ફે ઝેરે લબશરમિંદએ ગોશે સમાઅત હૂં
પરેશાં હૂંં મૈં મુશ્તે ખાકલેકિન કુછ નહીં ખુલતા
સિકંદર હૂંં કિ આઈના હૂંં યા દર્દે કદૂરત હૂં
યહ સબકુછ હૈ મગર હસ્તી મિરી મકસદ હૈ કુદરતકા
સરાપા નૂર હો જિસકી હકીકતમેં વહ ઝુલ્મત હૂં
ખઝીના હૂંંછુપાયા મુઝકો મુશ્તે ખાકે સેહરાને
કિસીકો કયા ખબર હૈ મેં કહાં હૂં ં કિસકી દૌલત હૂં
નઝર મેરી નહીં મમનૂને સૈર એ અરસએ હસ્તી
મૈં વહ છોટી સી દુનિયા હૂં કિ આપ અપની વિલાયત હૂં
ન સેહબા હૂંન સાકી હૂંન મસ્તી હૂંન પૈમાના
મૈં ઇસ મયખાનાએ હસ્તીમેં હર રાયકી હકીકત હૂં
મુઝે રાઝે દો આલમ દિલકા આઇના દિખાતા હૈ
વહી કહતા હું જો કુછ સામને આંખોકે આતા હૈ
        (શબ્દાર્થ - હુર્ફે ઝેરે લબ ઃ ધીમા અવાજે બોલવું જેથી બીજાને સંભળાઈ ન શકે શર્મિન્દએ ગોશે સમાઅત ઃ જે વાત કાન સુધી ન પહોંચે સૈર અરસએ હસ્તી ઃ જીવનના મેદાનનું ભ્રમણ શહેબા ઃ દારૃ)
        ભાવાર્થ ઃ હું દુનિયાના બગીચામાં એવી વ્યક્તિ છું જે આનંદ અને ઉલ્લાસથી વંચિત છે. હું તો એ લોકોમાંથી છું જેના પર આનંદ-ઉલ્લાસ પણ અશ્રુ વહાવે છે. મારા બગડેલા ભાગ્યનું વર્ણન પણ કરી શકું એમ નથી. મારો અવાજ હોંટો સુધી સીમિત રહી જાય છે. તેથી બીજા લોકો એ સાંભળવાથી પણ વંચિત રહી જાય છે. હું આમ તો મુઠ્ઠીભર માટી સમાન છું પરંતુ આજ દિન સુધી નથી સમજી શકયો કે હું અડધી દુનિયાના વિજેતા સિકંદરની જેમ છું કે પછી જમશેદના એ પ્યાલા જેવો કે જેમાં સમગ્ર વિશ્વના દૃશ્યો એ જોઈ લેતો હતોકે પછી ધૂળ જેવો તુચ્છ. આશય એ છે કે ફાની દુનિયામાં મેં અસ્તિત્વ તો ટકાવી રાખ્યું છે પરંતુ એને સમજી નથી શકયો. આ બધી અનુભૂતિઓ છતાંય એટલું તો નક્કી છે કે મારા અસ્તિત્વ પાછળ કુદરતનો કોઈ હેતુ છેઅને હું એક એવા અંધકાર સમાન છું જે હકીકતમાં પ્રકાશ સમાન છે. હું એક એવા ખજાના સમાન છું જે કોઈ રણની રેતીમાં છુપાયેલો છે. આ જ કારણ છે કે હજી સુધી કોઈ જાણી નથી શકયું કે હકીકત શું છે અને હું કોની મત્તા છુંમારી દૃષ્ટિને શું આવશ્યકતા છે કે જીવનની સાથે સમગ્ર સૃષ્ટિ ઉપર નાખેજ્યારે કે મારી જાત પોતે જ એક નાનકડી દુનિયા સમાન છે જેમાં મારી પોતાની સલ્તનત છે.
        ઇકબાલ કહે છે કે ન તો હું શરાબ છુંન સાકી છુંન મસ્તી છું ન પ્યાલો. આનાથી વિપરીત જીવનના શરાબખાનામાં ઉપસ્થિત દરેક વસ્તુની વાસ્તવિકતાનો પ્રતીક છું. આશય આ છે કે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરે માનવને કુલ મુખત્યાર બનાવીને મોકલ્યો છે. એના વિના જીવન અપૂર્ણ અને અર્થહીન છે. મારૃં હૃદય એવા અરીસા સમાન છે જેમાં લોક-પરલોકના રહસ્યો સ્પષ્ટરૃપે પ્રતિબિંબિત થાય છે આ જ કારણ છે કે હું મારી પંક્તિઓમાં એ વાસ્તવિકતાઓને સામે લાઉ છું જેને હું જોઉં છું.
(૧૭) થી (૨૦)
અતા ઐસા બયાં મુઝકો હુઆ રંગીં બયાનોંમેં
કિ બામે અર્શકે તાઇર હૈં મેરે હમઝબાનોંમેં
અસર યહ ભી હૈ ઇક મેરે જુનૂને ફિત્નએ સામાંકા
મિરા આઈનાએ દિલ હૈ કઝીકે રાઝદાનોંમેં
રુલાતા હૈ તિરા નઝારાએ હિન્દુસ્તાં! મુઝકો
કિ ઇબરતખૈઝ હૈ તેરા ફસાના સબ ફસાનોંમેં
દિયા રોના મુઝે ઐસા કિ સબ કુછ દે દિયા ગોયા
લિખા કલકે અઝલને મુઝકો તેરે નોહા ખ્વાનોંમેં
        (શબ્દાર્થ - જુનૂને ફિત્નએ સામાં ઃ એ જુનૂન કે જોશ જે અવ્યવસ્થા સર્જે ઇબરતખૈઝ ઃ પાઠ શીખવા જેવો)
        ભાવાર્થ ઃ ઇકબાલ કહે છે કે કુદરતે મને રંગીબયાં અર્થાત્ વાક્ચતુર લોકોમાં એવા ઉચ્ચ સ્થાને બિરાજ્યો છે કે ફરિશ્તાઓ પણ મને સાંભળે છે. મારી પ્રેમની ભાવનાને કારણે હું મારી કવિતામાં જીવન-મરણના રહસ્યો પ્રકટ કરવાની ક્ષમતા ધરાવું છું. એ પછી ઇકબાલ પોતાના સમયના ભારતની દર્દનાક તસ્વીર રજૂ કરે છે અને કહે છે તારી અફસોસજનક સ્થિતિ ઉપર મારૃં હૃદય ખૂબ રડે છે કેમકે દુનિયાના બીજા અફસાના કે કથાઓમાં તારી કથાથી પાઠ શીખવા જેવો છે. તારી દર્દનાક સ્થિતિ ઉપર રડવાથી કુદરતે મારૃં નામ રડનારાઓમાં સામેલ કરી દીધું છે.
(૨૧) થી (૨૪)
નિશાને બર્ગે ગુલ તક ભી ન છોડા ઇસ બાગમેં ગુલચી
તિરી કિસ્મતસે રઝમ આરાઈયાં હૈં બાગબાનોમેં
છુપા કર આસ્તીંમેં બિજલિયાં રખી હૈં ગરદૂંને
અનાદિલ બાગકે ગાફિલ ન બેઠેં આશિયાનોંમેં
સુન એ ગાફિલ સદા મેરી! યહ ઐસી ચીઝ હૈ જિસકો
વઝીફા જાન કર પળ્હતે હૈં તાઇર બોસ્તાનોંમેં
વતનકી ફિક્ર કર નાદાં! મુસીબત આનેવાલી હૈ
તિરી બરબાદીયોંકે મશ્વરે હૈં આસમાનોમેં
        (શબ્દાર્થ - રઝમ આરાઇયાં ઃ લડાઈ માટે કતારબદ્ધ થવું ગરદૂં ઃ આકાશ અનાદિલ ઃ કોયલ ગાફિલઃ બેધ્યાન સદા ઃ અવાજ વઝીફા ઃ રટણ કરવુંમંત્રોચ્ચાર તાઇર ઃ પક્ષીઓ)
        ભાવાર્થ ઃ ઇકબાલ ફૂલ તોડનાર અર્થાત્ દુશ્મનથી સંબોધીને કહે છે કે જ્યારે બાગના માળી અને રખેવાળ જ અરસપરસ લડતા હોય તો બાગની બરબાદીમાં પછી કોઈ શંકા રહેતી નથી. આમ પણ આકાશે વીજળીઓ છુપાવી રાખી છે એવામાં બાગની કોયલો અર્થાત્ વતનવાસીઓએ બેધ્યાન રહેવું જોઈએ નહીં. નહિંતર બરબાદી સિવાય કશું જ મળવાનું નથી. મારો અવાજ ધ્યાનથી સાંભળો! આ એવો અવાજ છે જે બાગમાં પક્ષીઓ મંત્રોચ્ચાર સમજીને ઉચ્ચારે છે અર્થાત્ બીજા લોકો તો મારી વાત સાંભળે છે પરંતુ વતનવાસીઓ તમે બેધ્યાની વર્તો છો. મારા પ્રિય! તું કેટલો નાદાન-ભોળોભાળો છે કે દેશની રક્ષા કરવાનો તને ખ્યાલ પણ નથીજ્યારે કે આકાશમાં તારી બરબાદીની ચર્ચા-વિચારણા ચાલુ છે.
(૨૫) થી (૨૮)
ઝરા દેખ ઇસ કો જો કુછ હો રહા હૈહોને વાલા હૈ
ધરા કયા હૈ ભલા અહદે કુહનકી દાસ્તાનોંમેં
યહ ખામોશી કહાં તકલઝ્ઝતે ફરિયાદ પૈદા કર
ઝમીં પર તૂ હોઔર તેરી સદા હો આસમાનોંમેં
ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તાં વાલો!
તુમ્હારી દાસ્તાં તક ભી ન હોગી દાસ્તાનોંમેં
યેહી આઇને કુદરત હૈ યેહી અસ્લૂબે ફિતરત હૈ
જો હૈ રાહે અમલમેં ગામઝન મહબૂબે ફિતરત હૈ
(શબ્દાર્થ - અસ્લૂબે ફિતરત ઃ કુદરતનો કાનૂન)
        ભાવાર્થ ઃ થોડુંક અવલોકન આ દૃશ્ય વિશે પણ કર કે જે થઈ રહ્યું છે અને જે થવાનું છેપરંતુ તું ભૂતકાળની વાર્તાઓમાં ખોવાયેલો છેવર્તમાનમાં આવી વાર્તાઓનું કોઈ મહત્ત્વ નથી. જરા બતાવ! તું કયાં સુધી ચુપ રહીશપોતાનો અવાજ ઊંચો કર કે જેથી તુંઃ ધરતી ઉપરથી ફરિયાદ કરે તો એનો પડઘો આકાશ સુધી પહોંચે. ભારતવાસીઓને સંબોધીને ઇકબાલ કહે છે કે મારી ચેતવણીઓ છતાંય જો તમે જાગૃત થાવ અને જે કાંઇ ગતિવિધિ થઈ રહી છે એના ઉકેલ માટે સંઘર્ષરત્ નહીં થાવ તો પછી ભૂતકાળ અને વર્તમાનકાળની દાસ્તાનમાં - કથાનકોમાં તમારો ઉલ્લેખ પણ નહીં હોય. કુદરતનો કાનૂન આ જ છે કે જે લોકો સંઘર્ષ કરે છે એ જ કુદરતના પ્રિય હોય છે.
(૨૯) થી (૩૨)
હુવૈદા આજ અપને ઝખ્મે પિન્હાં કરકે છોડૂંગા
લહૂ રો રો કે મહફિલકો ગુલિસ્તાં કરકે છોડૂંગા
જલાના હે મુઝે હર શમ્અએ દિલકો સોઝે પિન્હાંસે
તિરી તારીક રાતોંમેં ચરાગાં કરકે છોડૂંગા
મગર ગુન્ચેકી સૂરત હો દિલે દર્દ આશ્ના પૈદા
ચમનમેં મુશ્તે ખાક અપની પરેશાં કરકે છોડૂંગા
પિરોના એક હી તસ્બીહમેં ઇન બિખરે દાનોંકો
જો મુશ્કિલ હૈ તો મુશ્કિલકો આસાં કરકે છોડૂંગા
        (શબ્દાર્થ - હુવૈદા ઃ પ્રકટજાહેર ઝખ્મે પિન્હાં ઃ છુપાયેલા જખમ સોઝે પિન્હાં ઃ છુપાયેલી બળતરા)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ ખૂબ જ દુઃખ પરંતુ જુસ્સાપૂર્વક એલાન કરે છે કે આજે હું મારા છુપાયેલો જખ્મોને પ્રકટ કરીને રહીશ. મારી આંખોમાંથી લોહી વહેશે જે આખા બાગ અને વતનમાં ફેલાઈ જશે. મારા હૃદયની બળતરાથી દરેક હૃદયની મીણબત્તી પ્રજવલિત કરીશઅને આ જ મીણબત્તીઓથી અય વતન હું તારી અંધકારભરી રાતોને જગમગાવી દઈશ. હું તો મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું શરત એ છે કે તારા વાસીઓના અંતરમાં દર્દે દિલ પેદા થઈ જાય. મારા દેશવાસીઓ ઘૃણા અને નફરતની આગમાં બળી રહ્યા છે એમની વચ્ચે એકતાની ભાવના જન્માવવી મુશ્કેલ કાર્ય છે.  એમ છતાંય આ મુશ્કેલ કાર્યને હું સરળ કરીને જ જંપીશ.
(૩૩) થી (૩૫)
મુઝે અય હમનશીં! રહને દે શુગલે સીના કાવી મેં
કિ મૈં દાગે મુહબ્બતકો નુમાયાં કરકે છોડૂંંગા
દિખા દૂંગા જહાંકો જો મિરી આંખોને દૈખા હૈ
તુઝે ભી સૂરતે આઈના હૈરાં કરકે છોડૂંગા
જો હૈ પરદોંમે પિન્હાંચશ્મે બીના દેખ લેતી હૈ
ઝમાનેકી તબિઅતકા તકાઝા દેખ લેતી હૈ
(શબ્દાર્થ - શુગલે સીના કાવીઃ તડપવામાં વ્યસ્ત નુમાયાં ઃ જાહેરસ્પષ્ટ)
        ભાવાર્થ ઃ મને એ મારા મિત્ર! મારી છાતીના જખ્મોને ખોદવામાં અને મને તડપવામાં વ્યસ્ત રહેવા દે કે જેથી પ્રેમના દાગ પ્રકટ થઈ જાય. મારી નજરોએ જે વાસ્તવિક દૃશ્યો જોયા છે એને દુનિયાને પણ દેખાડી દઈશ. જેથી તેઓ વેર અને ઘૃણાને છોડી એકસંપ થઈ શકે. પછી ઇકબાલ કહે છે કે માત્ર હું જ નહીં પરંતુ જેઓ છુપી દૃષ્ટિ રાખે છે તેઓ વાસ્તવિકતાને જોઈ લે છે અને પોતાના પ્રવર્તમાન તકાદાઓને પણ ઓળખી લે છે.