આ બ્લૉગ શોધો

31 જાન્યુઆરી, 2018

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ-1

હાલમાં જ ભારત સરકારે મુસ્લિમ મહિલાઓને એક સાથે અપાતી ત્રણ તલાક વિરુદ્ધનું બિલ લોકસભામાં પસાર કર્યું હતું. જે રાજ્યસભામાં પાસ થયું નથી કેમ કે ત્યાં એનડીએ સરકાર લઘુમતીમાં છે. જ્યાં સુધી રાજ્યસભામાં બિલ પાસ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલી શકાય નહીં અને ત્યાં સુુધી આ કાયદો અસ્તિત્વમાં આવશે નહીં. આ બિલ વિરુદ્ધ મુસ્લિમ સમાજમાં ઉહાપોહ શરૃ થયો છે. પુરૃષો તો ઠીક પરંતુ ૮૦ ટકા જેટલી મુસ્લિમ મહિલાઓ પણ આની વિરુદ્ધ છે. સરકાર તરફથી દલીલ એવી આપવામાં આવી રહી છે કે એક જ ઝાટકે ત્રણ તલાક બોલી મહિલાને નિરાધાર કરી છૂટી કરી દેવામાં આવે છે. મહિલાઓ સાથે આ અન્યાય છે. સરકાર મહિલાઓને આ દયનીય સ્થિતિમાંથી બચાવવા માગે છે અને વિશ્વના ઘણાબધા મુસ્લિમ દેશોમાં ત્રણ તલાક ઉપર પ્રતિબંધ છે તો ભારતમાં કેમ નહીં ? સરકારની દલીલ તાર્કિક નહીં પરંતુ રાજકીય છે. માત્ર રાજકીય લાભ લેવા માટે કેટલીક મુસ્લિમ સંસ્થાઓને ખાસ  પક્ષ-સંસ્થા દ્વારા આર્થિક સહાય કરી આ મુદ્દો ચગાવવામાં આવ્યો છે. મુસ્લિમો દ્વારા બિલનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે આ એક સિવિલ બિલ હતું એને ક્રિમિનલ બિલ બનાવી દેવામાં આવ્યું છે. જે મહિલાને છૂટાછેડા આપવામાં આવ્યા હોય એ મહિલા પોલીસ ફરિયાદ કરે તો પોલીસ એના પતિને જેલમાં ધકેલી શકે છે અને આ માટે ત્રણ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. મુસ્લિમોનો વિરોધ આનાથી જ છે કે જો પતિ ત્રણ વર્ષ સુધી જેલમાં જાય તો સ્ત્રીનું ભરણ-પોષણ કોણ કરશે ? શું સરકાર આ મહિલાને ભરણ-પોષણ આપશે ? જે પતિ-પત્નીને પરસ્પર બનતું ન હોય અને છૂટા થવા માગતા હોય તો ઇસ્લામે તલાકની રીત નક્કી કરી છે. આમાં એક સમયે એક તલાક આપ્યા પછી પણ પતિ-પત્ની એક જ ઘરમાં (શારીરિક સંબંધ બાંધ્યા વિના) રહી શકે છે. જો એક મહિનામાં જ બંને ફરીથી રાજી થઈ જાય તો પતિ-પત્ની તરીકે ફરીથી જીવન શરૃ કરી શકે છે. જો કે એ એક તલાક ગણાઈ જશે. માની લો કે એક મહિનામાં પણ પતિ-પત્નીને કોઈ પશ્ચાતાપ થતો નથી અને મનમેળ થતો નથી તો પછી પતિ બીજા મહિને બીજી તલાક આપશે. હજી પણ મનમેળાપ ન થાય અને પતિ-પત્ની છૂટા થવા જ માગતા હોય તો ત્રીજા મહિને પતિ એને ત્રીજી તલાક આપશે. આમ ૯૦ દિવસની આ પ્રક્રિયામાં બંને પક્ષે નારાજગી રહે તો  પછી છૂટાછેડા થઈ જાય છે. એ પછી સ્ત્રીએ ઈદ્દતમાં બેસવું ફરજિયાત છે. હવે તેઓ કોઈપણ પરસ્પરનો સંબંધે તેઓ રાખી શકતા નથી. એમને ફરજિયાત છૂટા થવું જ પડશે. ઇસ્લામે આ ત્રણ મહિનાનો સમયગાળો એટલા માટે આપ્યો છે કે જો પતિ-પત્ની કોઈ સામાધાન કરીને ફરીથી જીવન શરૃ કરવા માગે તો કરી શકે છે. માણસ એકલો હોય ત્યારે પોતાની ભૂલો વિશે વિચારે. સામા પક્ષની ત્રુટિઓનો વિચાર કરતા પોતાનામાં રહેલી ખામીઓ વિશે પણ વિચારે અને કોઈ સમાધાનની શકયતા ઉભી થાય તો માત્ર બે જીવો જ નહીં બે કુટુંબો પણ ઘણી સમસ્યાઓમાંથી ઉગરી જાય. ઇસ્લામની આ એક મનોવૈજ્ઞાનીક ફોર્મ્યુલાને કેટલાક રાજકીય પક્ષો સત્તાની સીડીનું પગથિયું બનાવવા માગે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જે લોકો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા મેદાને પડયા છે એમને ત્યાં સ્ત્રીઓની સ્થિતિ એટલી ખરાબ છે જેનું સંપૂર્ણપણે અહીં વર્ણન શકય નથી.
મુસ્લિમો ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરે છે એનું એક કારણ એ પણ છે કે લોકો તલાક આપ્યા વિના સ્ત્રીને એના પિયર મોકલી દેશે. ન તો તલાક આપવાની જરૃર છે ન  જ ભરણપોષણ આપવાની. આનાથી તો સ્ત્રીઓની સ્થિતિ વધારે કફોડી થશે. એ ન તો પતિની રહેશે ન તો પિયરની. શકય છે કે એના પિયરવાળા એટલા સક્ષમ ન હોય કે એનું ભરણ-પોષણ કરી શકે. તો એ સ્થિતિમાં સ્ત્રીએ શું કરવું ? એમાં એ ખરાબ રસ્તે રઝળી પડે એવી શકયતા પણ છે. ભાજપ સરકાર મુસ્લિમ મહિલાઓની સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદી બનાવવા તો નથી માંગતી ને ? આ પ્રશ્નો છે જેને લીધે વિરોધના સૂર બુલંદ બન્યા છે. સોશિયલ મીડિયામાં સરકારની વિરુદ્ધ મજાક ચાલી રહી છે કે ભાઈ, મુસ્લિમ પુરૃષોએ ત્રણ તલાક આપવાની કયાં જરૃર છે ? આપણા વડાપ્રધાનશ્રીની જેમ પિયર મોકલી આપોને ! કોઈ ઝંઝટ જ નહીં. બીજી મજાક એ છે કે સ્વતંત્રતા સારી બાબત છે, પરંતુ બંધ પાંજરાનું બારણું જો બિલાડીએ જ ખોલવાનું હોય તો કબૂતર માટે કેદ જ સારી છે ! આ જ વાતની પ્રતીતિ કરાવતું કાર્ટૂન વોટ્સએપ ઉપર ફરી રહ્યું છે જેમાં બુરખો પહેરેલી સ્ત્રીઓ તારની વાડની એક બાજુએથી બીજી બાજુ જવાનો પ્રયત્ન કરી રહી છે અને જ્યારે કેટલીક સ્ત્રીઓ ગમે તે રીતે બીજી બાજુ પહોંચે છે તો એમનો બુરખો ફાટી ગયો છે અને તેઓ અર્ધનગ્ન અવસ્થામાં છે.
પશ્ચિમ બંગાળની ઈશરતજ્હાં નામની મહિલા કે જે ત્રણ તલાકથી પીડિત છે અને કેસ કરાવાવાળીઓમાંની એક હતી એ ભાજપમાં સામેલ થઈ ગઈ છે. આનાથી મુસ્લિમો  વધારે રોષે ભરાયા છે અને ભાજપ આર્થિક રીતે સહાય કરી આ મુદ્દાને વધારે રાજકીય ગરમી આપી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
ભાજપ જો આ દેશમાં સ્ત્રીઓની દુઃખદ સ્થિતિને બદલવા જ માંગતું હોય તો માત્ર મુસ્લિમ મહિલાઓ જ શા માટે ? સૌ પ્રથમ તો હિંદુ મહિલાઓની સ્થિતિ સુધારવા જેવી છે. બીજા ધર્મોની મહિલાઓની પણ દયાજનક સ્થિતિ છે. તો શું એમને અન્યાય નહીં થાય ?
આ દેશમાં સ્ત્રીઓ જ્યાં છેડતી, બળાત્કાર, દહેજને લીધે બાળી નાખવામાં આવે છે, દેવદાસી પ્રથા, બાળલગ્નો, કૂપોષણ, ઓનર કિલીંગ, સામાજિક, આર્થિક ભેદભાવ જેવી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહી છે. સરકારે ત્રણ તલાક જેવી નજીવી બાબત ઉપર ધ્યાન આપવાના બદલે સ્ત્રીઓની આ વિકરાળ સમસ્યાઓ ઉપર જલ્દીથી ધ્યાન આપવાની જરૃર છે. મુસ્લિમ મહિલાઓ માટે જેને એકદમ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એ ભાજપ સરકાર હજી સુધી ૩૩ ટકા મહિલાઓને ચૂંટણીમાં ટિકિટ આપતી નથી. સંઘના ૯૩ વર્ષના ઇતિહાસમાં કેમ કોઈ સ્ત્રી વડી બની નથી ? કોંગ્રેસે તો સ્ત્રીઓને પક્ષના પ્રમુખ બનાવ્યા છે પરંતુ ભાજપે પોતાના ૩૭ વર્ષના ઇતિહાસમાં કેમ કોઈ સ્ત્રીને પક્ષ પ્રમુખ બનાવી નથી ? આવા પ્રશ્નો જનતાના મનમાં ઉઠે એ સ્વાભાવિક છે. કારણ કે સંઘ અને ભાજપની મંશા સ્ત્રીઓને સશકત કરવાની કે એમનું કલ્યાણ કરવાની નથી પરંતુ એના નામે માત્ર રાજકીય રોટલા શેકવાનો છે. આવી ખોટી દાનતથી ભારતીય સ્ત્રીઓનું કલ્યાણ થવાનું નથી. જો સરકારે સ્ત્રીઓનું ભલુ કરવું હોય તો જે ભયાનક શોષણ સ્ત્રીઓ સામે થઈ રહ્યું છે એને અટકાવવાની જરૃર છે. ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉપર સરકારે વિચારણા કરવાની જરૃર છે.
આજે આપણે ભલે પોતાની જાતને સૌથી સુસંસ્કૃત ગણતા હોઈએ પરંતુ વાસ્તવિકતા આ છે કે ર૧મી સદીમાં પણ આખા વિશ્વમાં જેની અડધી વસ્તી છે એવી મહિલાઓ પુરૃષોના આધિપત્ય હેઠળ એમના શોષણનો શિકાર છે. જગત ભલે પ્રગતિ કરી રહ્યું હોય પરંતુ આ વાતનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી કે આજની માનવ સભ્યતાની સમસ્યાઓ ઉપભોકતાવાદી બજાર અને જીવન પ્રણાલિની તથા શાસન અને શક્તિની વિચારધારાની દેણ છે. વિકાસ, વિકાસના બણગાઓ વચ્ચે દરેક દેશ અને ખાસ કરીને આપણા ભારતમાં જે કેટલીક મોટી સમસ્યાઓ ઉદભવી છે એમાં કોમવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, શિક્ષણમાં પડતી, શિક્ષિત યુવાઓની બેરોજગારી અને લિંગભેદનો ઉલ્લેખ જરૃરી છે. દરેક સમસ્યા માટે આખું પ્રકરણ લખી શકાય એમ છે. સ્થળ સંકોચને લીધે અહીં માત્ર લિંગભેદના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.
વિકાસનો અર્થ સમાનતા, આર્થિક પ્રગતિ, અધિકાર સંપન્નતા અને સશક્તિકરણ છે, આ શભ્દો સાંભળવામાં બહુ સારા લાગે છે પરંતુ છે ખરેખર ભ્રામક,. વિકાસનો સિદ્ધાંત વિકાસશીલ દેશો તો ઠીક પરંતુ વિકસિત દેશોમાં પણ મહિલા શોષણને રોકવામાં નિષ્ફળ નીવડયો છે. પોતાને ખૂબ આધુનિક ગણાવતા દેશોએ પણ સ્ત્રીઓને મતદાનનો અધિકાર છેલ્લા ૮૦-૯૦ વર્ષોમાં જ આપ્યો છે. સમૃદ્ધ અને વિકસિત દેશોમાં પણ આજની તારીખે સ્ત્રીઓને પુરૃષોના શોષણનો શિકાર (ભોગ) બનવું પડે છે ત્યાં ગરીબ અને વિકાસશીલ દેશોની વાત જ શું કરવી. ત્યાં તો સ્થિતિ ખૂબજ ગંભીર છે. વિકાસની પ્રક્રિયા સ્ત્રી અને પુરૃષ બંનેને અલગ રીતે અસર કરે છે. કૃષિના આધુનિકરણના ફળસ્વરૃપે સ્ત્રી-પુરુષ શ્રમ સમીકરણમાં પરિવર્તન આવ્યું છે. મહિલાઓમાં નિર્ભરતા વધવાની સાથે કામનો બોજો પણ વધ્યો છે. સંસાધનો ઉપર મોટાભાગે પુરૃષોનું વર્ચસ્વ હોય છે તેથી સ્ત્રીઓ સંસાધનો ઉપર અધિકાર મેળવી શકતી નથી. વિકાસશીલ દેશોમાં મહિલાઓને માત્ર ઘર-પરિવારની જવાબદારી જ નિભાવવાની નથી હોતી, આ ઉપરાંત તેમને ઘરની સાથે સાથે ખેતરોમાં કે બહાર કામ પણ કરવું પડે છે. એમને લિંગભેદ અને પુરૃષપ્રધાન સમાજનું વર્ચસ્વ પણ સહન કરવું પડે છે. આજે જ્યારે આર્થિક અને સામાજિક અસમાનતા વધતી જઈ રહી છે ત્યારે લિંગભેદ જેવો મુદ્દો ખૂબ મહત્ત્વનો બની ગયો છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (વિશ્વ આર્થિક મંચ) ર૦૦૬થી દર વર્ષે વિશ્વના દેશોનું જેન્ડર ગેપ ઈન્ડેક્ષ અર્થાત્ લિંગભેદ ક્રમણિકા બહાર પાડે છે. એમાં મુખ્ય ચાર બાબતો ધ્યાનમાં લેવાય છે. આર્થિક સહભાગિતા, શૈક્ષણિક પ્રાપ્તિ, આરોગ્યલક્ષી જીવન અને રાજકીય સશક્તિકરણ, ર૦૧૭માં ૧૪૪ દેશોમાંથી ભારતનું સ્થાન ૧૦૮મું હતું. ભારત આર્થિક સહભાગિતામાં ૧૩૯મા ક્રમે, શૈક્ષણિક પ્રાપ્તિમાં ૧૧રમા ક્રમે, આરોગ્યલક્ષી જીવન બાબતે ૧૪૧મા ક્રમે હતું. એકમાત્ર સંતોષ લઈ શકાય એ બાબત હતી રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ જેમાં ભારતનો ક્રમ ૧પમો હતો.
આર્થિક સહભાગીતામાં ૧૩૯મા ક્રમનો અર્થ એ છે કે હજી પણ ઉદ્યોગ-ધંધા અને આર્થિક વ્યાપારમાં સ્ત્રીઓને સ્થાન મળતું નથી. સ્ત્રીઓનું યોગદાન નહિવત્ છે. એનું કારણ શિક્ષણ પણ હોઈ શકે છે. ઔદ્યોગિકરણથી સમાજમાં ગતિશીલતા આવે છે અને રોજગારીના અવસર વધે છે પરંતુ એનો આધાર શિક્ષણ ઉપર હોય છે. કમભાગ્યે ભારતમાં શિક્ષણના અભાવે ઔદ્યોગિકરણમાં પણ અસમાનતા જ પ્રવર્તે છે. સ્ત્રીના સંદર્ભમાં આ અસમાનતા વિકરાળ રૃપ ધારણ કરીને ઉભી છે. આપણે ત્યાં છોકરીને ભાર સમજવામાં આવે છે. પરિણામે સ્ત્રી ભ્રૂણ હત્યાના સૌથી વધુ કિસ્સા  દુુર્ભાગ્યે આપણા દેશમાં બને છે. તેથી આપણા વડાપ્રધાનને 'બેટી બચાવો-બેટી પઢાવો' જેવા સૂત્રો અપનાવવાની જરૃર ઉભી થાય છે. પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે છોકરીઓનું પ્રમાણ છોકરાઓ કરતાં ઓછું છે. ફરીથી એ જ ખોટી માન્યતા કે દીકરીને ભણાવીને શુું કરીશું ? એ તો સાસરે ચાલી જશે. આપણને શો ફાયદો થશે ? આ ખોટી માન્યતાના કારણે શિક્ષણ ક્ષેત્રે મહિલાઓની ઉપસ્થિતિ ઓછી છે. તેથી ઔદ્યોગિક મોરચે પણ એમની ભાગીદારી નહિવત છે. આ ઉપરાંત આપણા દેશમાં સ્ત્રીઓની આર્થિક અને શૈક્ષણિક પછાતપણાની સ્થિતિ માટે બીજા પરિબળો પણ અસર કરે છે. ભારતના કોઈ પછાત ક્ષેત્રની એક નિમ્ન જાતિની મહિલાને આત્મોત્થાન માટે જાતિ, વર્ગ, ક્ષેત્રીય વિષમતા અને લિંગ-ભેદ જેવા પરિબળોનો સામનો કરવો પડે છે. તેથી મહિલાઓ શૈક્ષણિક રીતે મજબૂત બને એ આવશ્યક છે. જો આમ થશે તો મહિલા સશક્તિકરણ તો આપોઆપ થશે. શિક્ષણ પ્રાપ્તિમાં દેશનું સ્થાન ૧૧રમું હોય એ સ્થિતિ ખૂબ દયનીય છે. માત્ર સૂત્રો આપવાથી આ અસમાનતા દૂર થવાની નથી. એ માટે સરકારે નવી શિક્ષણ નીતિ, નિયમો લાગુ કરવા પડશે. શાળા-કોલેજા, શિક્ષણના સાચા ધામ બને એ જોવું પડશે. બદલાતા જતા યુગ અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઈન કરવા પડશે. છોકરા-છોકરીઓ બંનેને શિક્ષણની સમાન તકો આપવી પડશે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી તો મહિલાઓની સ્થિતિ થોડી ઘણી પણ સારી છે પરંતુ ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. છોકરીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના કોર્સ ભણે અને તેઓ આગળ વધે એવા પ્રયાસ કરવા પડશે.
આરોગ્ય ક્ષેત્રે આપણો નંબર લગભગ છેલ્લે કહી શકાય એવું ૧૪૧મું હતું. આ શરમજનક બાબત છે. દેશના ભવિષ્યનો આધાર લોકોની તંદુરસ્તી ઉપર હોય છે. રોગી સમાજ કયારેય પ્રગતિ કરી શકે નહીં. દેશને પ્રગતિના પંથે લઈ જવો હોય તો સરકારે લોકોના આરોગ્યની સુવિધાઓ વધારવી રહી.
યુરોપ અને અમેરિકામાં થોડા વર્ષો પૂર્વે મહિલાઓની સ્વતંત્રતા ચળવળો કે જે 'ફેમીનીઝમ' નામે ઓળખાય છે એનો પ્રભાવ ત્યાં તો થોડો ઘણો પડયો છે પરંતુ ભારત જેવા દેશોમાં સ્ત્રીઓની સ્થિતિમાં સુધારા માટેની ચળવળોનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નથી. આધુનિક યુગમાં યુરોપ અમેરિકામાં સ્ત્રીઓ-પુરૃષો સમકક્ષ કાર્યો કરતી થઈ છે. ભારતમાં પણ એમની દેખાદેખ સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજી રહી છે પરંતુ આ ટકાવારી નગણ્ય છે. ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે અલગ અનામત બેઠકો રાખવામાં આવે છે. વિશેષત સરકારી નોકરીઓમાં. ખાનગી કંપનીઓમાં હજી સ્ત્રી અનામત જેવી કોઈ ઘટના જોવા મળતી નથી. ખાનગી ક્ષેત્રમાં સ્ત્રીની આર્થિક કે સામાજિક સ્થિતિ જોવા કરતા એની લાયકાત, પ્રતિભા અને કાર્ય પ્રત્યેની સજ્જતાને ધ્યાનમાં રાખીને નોકરી આપવામાં આવે છે પરંતુ આવી મહિલાઓ તો અપવાદ રૃપ છે. મોટભાગની મહિલાઓ ગરીબ, નિરક્ષર અને ઘરની ચાર દીવાલોમાં કેદ અશકત છે. લિંગ-ભેદ વૈશ્વિક ઘટના છે. વિભિન્ન સંસ્કૃતિઓમાં આના રૃપમાં થોડો ઘણો તફાવત છે. ઘણા વિકસિત દેશોમાં મહિલાઓને મતાધિકાર હજી થોડા સમય પૂર્વે જ અપાયા છે. યુરોપ અને અમેરિકા જેવા આધુનિક ગણાતા દેશોમાં પણ સ્ત્રીઓ સાથે થતાં ચેડાં, બળાત્કાર, અત્યાચાર અને શોષણના કિસ્સાઓ હવે વોટસએપિયા કે ફેસબુકિયા યુગમાં છાનાછપના રહી શકે એમ નથી. ત્યાં આવી સ્થિતિ છે તો ગરીબ અને વિકાસશીલ દેશોમાં પણ સ્ત્રીઓની એ જ દશા છે.
ઉપનિવેશવાદી શાસન પૂર્વે ભારતીય સમાજ સંપૂર્ણપણે પુરૃષપ્રધાન સમાજ હતો, મણિપુર કે નાગાલેન્ડના એકલ-દોકલ રાજ્યોને બાદ કરતા આજે પણ  આપણે પુરૃષપ્રધાન સમાજમાં જ જીવીએ છીએે. જ્યાં સ્ત્રી-પુરૃષના વર્ચસ્વ હેઠળ જીવન વ્યતીત કરતી હતી. આજે પણ સ્ત્રીઓની સ્થિતિમાં ઝાઝો ફરક પડયો નથી. કહેવા ખાતર કહી શકાય કે આધુનિક ટેકનોલોજી અને માહિતી યુગમાં માહિતીની ભારમારને લીધે સ્ત્રીઓ પોતાના અધિકારો અંગે સજાગ થઈ છે અને હવે અન્યાય વિરુદ્ધ બંડ પોકારે છે. એ માટે દેશના કાયદા-કાનૂન અને સંવિધાનનો પણ મહત્ત્વનો રોલ છે. ભારતીય સંવિધાનમાં મહિલાઓને પુરૃષોની જેમ જ સમાન અધિકાર અને અવસર આપવામાં આવ્યા છે અને એમની પ્રગતિ માટેના પ્રબંધો કરવામાં આવ્યા છે. પાછલી સરકારોએ પણ મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના કેટલાક પગલાઓ લીધા છે અને કેટલાક વિશેષ કાયદાઓ પસાર કર્યા છે. હાલમાં સરકાર મુસ્લિમ મહિલાઓ માટે ટ્રીપલ તલાક બિલ લાવવાની વેતરણમાં છે.

30 જાન્યુઆરી, 2018

અરફાતનું પ્રવચન : માનવ અધિકારનું પ્રથમ જાહેરનામુ

ઝિલકદ હિ.સ. ૧૦(ઈ.સ.૬૩૨)માં અલ્લાહના આખરી નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે હજનું એલાન કર્યું. લગભગ સવા લાખ લોકો અરબસ્તાનના ખૂણેખૂણાથી મક્કામાં ઉમટી પડયા. ૯ જિલહજના દિવસે ફજરની નમાઝ પછી આપ અરાફાતમાં પધાર્યા. એ વખતે આપે જે પ્રવચન આપ્યું એ માનવ ઇતિહાસમાં ઘણું મહત્ત્વ ધરાવે છે, જેને 'હજ્જતુલ વિદાઅ' (મક્કાની છેલ્લી ઝિયારતના કારણે)ના નામે ઓળખવામાં આવે છે. આ પ્રવચન એટલા માટે ઐતિહાસિક અને બહુમૂલ્ય છે કેમકે આપનું આ છેલ્લું પ્રવચન હતું. બીજું એ કે એના એક એક શબ્દમાં ઘણી મોટી વસીયતો હતી. આમાંની ઘણીખરી બાબતો તત્કાલીન સમાજ બાબતે હતી પરંતુ મોટાભાગની વાતો ચિરકાલીન અમરત્વ પામી શકે એવી છે. એટલે કે માનવતાના ગુણગાન ગાતી અને માનવતાનો ઉપદેશ આપતી સાડા ચૌદસો વર્ષ પછી પણ આ પ્રવચન આટલું જ ઉપયુક્ત છે.
અરફાતનું પ્રવચન
અલ્લાહની પ્રશંસા કર્યા પછી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જનમેદનીને સંબોધતા કહ્યું કે "હે લોકો!  હું જે કાંઇ કહું એને ધ્યાનથી સાંભળો! કદાચ આવતાં વર્ષે કે એના પછી ફરી ક્યારેક આ સ્થળે તમારી સાથે મુલાકાત ન થાય." અહીં લોકો એટલે માત્ર મુસ્લિમો નહીં પરંતુ વિશ્વના બધા જ લોકોથી આશય છે.
અજ્ઞાનતાકાળના - અરબ દ્વિપમાં આવેલા કબીલાઓમાં ઇસ્લામ પહેલાં અર્થાત્ અજ્ઞાનતાકાળમાં ઘણા વિચિત્ર કુરીતરિવાજો હતા, ઘણી અંધશ્રદ્ધાઓ હતી. આપે એ બધા રીતરિવાજોનો ખાત્મો કરતા એલાન કર્યું. "અજ્ઞાનતાકાળના બધા દસ્તૂર (વિધાનો) મારા પગ નીચે છે." એ વખતે વેપારધંધામાં વ્યાજ લેવું અને આપવું સામાન્ય બાબત હતી. અલ્લાહતઆલાએ કુઆર્નમાં વ્યાજ લેવા કે આપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અને વ્યાજ લેવાને જહન્નમની આગ પીવા બરાબર સરખાવ્યું છે.
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે વ્યાજને રદબાતલ ફરમાવતા કહ્યું, "અજ્ઞાનતાકાળની વ્યાજની રકમો રદબાતલ કરી દેવામાં આવી અને સૌથી પહેલાં હું મારા કાકા અબ્બાસ રદી. બિન અબ્દુલ મુત્તલિબના વ્યાજના દાવા રદબાતલ કરૃં છું."
અજ્ઞાનતાકાળમાં કબીલાઓ વચ્ચે વર્ષો નહીં સદીઓ સુધી વેરઝેર અને બદલા માટેની લડાઈઓ ચાલતી રહેતી. લોકો ખુવાર થતા રહેતા. બદલો લેવામાં જ પોતાની મર્દાનગી સમજતા. ઇસ્લામે વેરઝેર માટે કહ્યું કે તમે બદલો લેવા ઇચ્છો તો એટલું જ લો જેટલું સામાવાળાએ તમને નુકસાન પહોંચાડયું છે. જો એનાથી જરાપણ વધારે હશે તો તમે ગુનેગાર થઈ જશો અને સારૃં તો આ છે કે તમે માફ કરી દો.
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું, "જહાલતકાળના તમામ ખૂનોના કિસાસના દાવા રદબાતલ કરી દેવામાં આવ્યા અને સૌથી પહેલાં હુ આમિર બિન રબીઅ બિન હારિસ બિન અબ્દુલ મુત્તલિબના ખૂનનો દાવો રદ કરૃ છું. જહાલતકાળના તમામ ખિતાબો અને હોદ્દા રદ કરવામાં આવે છે, સદાનત (કાબાની સારસંભાળનો વિભાગ) અને સકાયા (હાજીઓને માટે પાણી પુરૃ પાડવા) સિવાયના."
અમાનત - અમાનતમાં ખયાનત કરવી અર્થાત્ થાપણમાંથી ચોરી કરવી બહુ મોટો ગુનો છે. આપે ફરમાવ્યું "કોઈની પાસે કોઈની અમાનત હોય તો તે તેના મૂળ માલિકને પાછી આપી દે."
માનવ પ્રાણનો આદર -
અરબસ્તાનમાં જાન અને માલની સુરક્ષાની કોઈ ગેરંટી ન હતી. જે જેને ઇચ્છે કત્લ કરી દેતો. જેનું ઇચ્છે એનું માલ ઝુંટવી લેતો. આ બન્ને માટે સુરક્ષા અને આદરની સ્થાપના કરવામાં આવી. "હે લોકો! તમારા ખૂન અને તમારા માલ તમારા માટે (પરસ્પર) હરામ (આદરણીય) ઠરાવી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી કે તમે પોતાના રબ સમક્ષ જઈ હાજર થઈ જાઓ. જેવી રીતે તમારા આ મહિનામાં અને તમારા આ શહેરમાં તમારો આ દિવસ હરામ (આદરણીય) છે."
સ્ત્રીનું સ્થાન - સમાજમાં સ્ત્રીનું કોઈ સ્થાન ન હતું એની કોઈ ગણના ન હતી. ન જ માત્ર અરબસ્તાનમાં પરંતુ એ વખતના વિશ્વના બધા જ દેશોમાં પણ સ્ત્રીને કોઈ અધિકાર આપવામાં આવ્યા ન હતા. અરબસ્તાનમાં છોકરી જન્મે તો અપશુકનિયાળ ગણાતી. એને જીવતી જ કબરમાં દફન કરી દેવામાં આવતી. આ અજ્ઞાનતાકાળમાં થતું હતું. ભારતમાં પતિ મૃત્યુ પામે તો સ્ત્રી સતી થઈ એની ચિતામાં જ બળી મરતી. ગ્રીસમાં સ્ત્રીઓને ખરાબ આત્મા ગણવામાં આવતી. વિશ્વના ઇતિહાસમાં ઇસ્લામે સૌ પ્રથમ સ્ત્રીને અધિકાર આપ્યા. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું ઃ
"હે લોકો! તમારી સ્ત્રીઓને તમારી સરખામણીમાં અમુક અધિકારો આપવામાં આવ્યા છે અને તમને એમની સરખામણીમાં અધિકારો આપવામાં આવ્યા છે. એમની ઉપર ફરજિયાત છે કે તેઓ તમારા શાયનખંડોમાં તમારા સિવાય બીજા કોઈને આવવા ન દે અને એવો કોઈ માણસને (ઘરમાં) તમારી રજા વગર દાખલ થવા ન દે જેનું દાખલ થવું તમને ગમતું ન હોય તેમજ કોઈ નિર્લજ્જ કૃત્ય ન કરે. જો તેઓ કોઈ આવી વાત કરે તો તમને અલ્લાહે છૂટ આપી છે કે (એમને સુધારવા માટે) એમને જુદી કરી શકો છો. શયનખંડથી જુદી રાખી શકો છો અને એવી શારીરિક સજા આપી શકો છો જેનાથી સોળ ઊઠએ નહીં. પછી જો તેઓ અટકી જાય અને તમારી આજ્ઞા પ્રમાણે ચાલે તો નિયમ મુજબ એમનું ભરણપોષણ તમારા શિરે છે. બેશક સ્ત્રીઓ તમારે આધીન છે જે પોતાના માટે એમની જાતે કંઈ કરી શકતી નથી. તમે એમને અલ્લાહની અમાનતના રૃપમાં તમારા સાથી તરીકે લીધી છે. અને એમના શરીરને અલ્લાહના જ કાનૂન હેઠળ ઉપયોગમાં લીધા છે. તેથી સ્ત્રીઓની બાબતમાં અલ્લાહથી ડરો અને ભલી રીતે એમને કેળવો."
ગુલામનું સ્થાન - પહેલાના સમયમાં મોટાભાગના દેશોમાં ગુલામો રાખવાનો રિવાજ ધરાવતા હતા. અરબસ્તાન પણ એમાંથી બાકાત ન હતું. ગુલામોની સ્થિતિ બહુ ખરાબ હતી. એમની કોઈ પ્રતિષ્ઠા ન હતી, કોઈ અધિકારો ન હતા. એમની ઉપર બળજબરી કરવામાં આવતી હતી. ઇસ્લામે સૌ પ્રથમ ગુલામોને માનભર્યું સ્થાન આપ્યું. અને એના લીધે જ વિશ્વના ઇતિહાસમાં કેટલાંય મોટા મોટા સુલતાનો, શાસકો, મંત્રીઓ, વિદ્વાનો, સેનાપતિઓ આજ વર્ગમાંથી થઈ ગયા. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું "ગુલામો સાથે સારો વર્તાવ કરો. જે તમે પોતે ખાવ એમને પણ એ જ ખવડાવો અને જે પોતે પહેરો એવા જ કપડાં એમને પણ પહેરાવો." ઇસ્લામે ગુલામોને પણ સ્વતંત્ર માણસો જેટલો જ હોદ્દો આપ્યો. એમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો. સુલતાન મહેમૂદ ગઝનવીના ગુલામ અયાઝ નમાઝ પઢતા ત્યારે બંને એક જ સફમાં ઊભા રહેતા. એમાં સુલતાનની કોઈ બડાઈ ન હોતી કે ગુલામનું નીચાપણું રહેતું ન હતું. બંને સમાન થઈ જતા હતા. એટલે જ ડૉ. ઇકબાલે કહ્યું,
એક હી સફમેં ખડે હો ગએ મહમૂદો અયાઝ
ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ
રંગ, નાત, જાત, વર્ણ, ભાષા - અલ્લાહના સર્જનોની ઉત્પત્તિ સમયાંતરે વિવિધ તબક્કાઓમાં થઈ હતી. ગુલામ માલિકની બરોબરી નહોતો કરી શકતો. ઉચ્ચ વર્ગના લોકો નીચલા વર્ગના લોકોને તુચ્છ સમજતા હતા, ગોરાઓ કાળાઓને પોતાનાથી નીચા ગણતા હતા. ઇસ્લામે આ બધા ભેદભાવ નાબૂદ કરી દીધા. બધાને સમાન ગણ્યા. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું, "હે લોકો! તમારો રબ (પાલનહાર) એક જ છે અને તમારો વડપિતા પણ એક જ છે. તમે સૌ આદમ અલૈહિસ્સલામની સંતાન છો અને આદમ માટીમાંથી પેદા કરવામાં આવ્યા. અલ્લાહની નજીક તમારામાંથી વધારે ઇજ્જતવાળો એ છે જે વધારે સંયમ (તકવા) પાળનાર છે. કોઈ આરબને અજમી (બિનઆરબ)ની સરખામણીમાં કોઈ શ્રેષ્ઠતા મળેલી નથી તેમજ ન તો કોઈ બિનઆરબ માટે આરબની સરખામણીમાં શ્રેષ્ઠતા છે. જોઈ કોઈ શ્રેષ્ઠતા છે તો તકવા-સંયમના આધારે છે. જો તમારી ઉપર કોઇ કળા રંગનો હબશી ગુલામ પણ અમીર (આગેવાન) નિયુક્ત કરવામાં આવે તો એને અનુસરો. અલ્લાહે બાપ દાદા ઉપર મિથ્યા ગર્વને નાબૂદ કરી દીધો."
એક ઉમ્મત - મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે બધા મુસલમાનોને એક જ દરજ્જો અને બરાબરીનો પાઠ શીખવ્યો, દરેક પ્રકારની ઊંચનીચને નાબૂદ કરી દીધી. આપે ફરમાવ્યું, "હે લોકો! મુસલમાનો પરસ્પર ભાઈ-ભાઈ છે. કોઈ વ્યક્તિ માટે તેના ભાઈનો માલ તેની રજા વિના લેવો કાયદેસર નથી."
નેક કાર્યો ઈમાનનો ભાગ - આપે આ વાત ઉપર ભાર મૂક્યો કે સદ્કાર્યો કે નેક કાર્યો કરવા ઈમાનનો ભાગ છે. "ધ્યાનથી સાંભળો! હવે અરબસ્તાનમાં શેતાનની પૂજા નહીં કરવામાં આવે. પરંતુ તે આ માટે પણ રાજી થઈ જશે કે તેના ઉપરાંત એ બીજા ગુનાઓમાં તેનું અનુસરણ કરવામાં આવે જેને તમે હળવા સમજો છો."
દીનમાં બીજા રિવાજોનો પ્રતિબંધ - "હે લોકો! ઇજ્જતવાળા - હરામ મહિનાઓમાં ફેરફાર કુફ્રની રીતમાં વધારો છે અને એના દ્વારા કાફિરો ગુમરાહીમાં પડે છે કે એક વર્ષ અમુક મહિનાઓને હલાલ કરી લે છે અને બીજી વર્ષે હરામ ઠેરવી લે છે જેથી (આધુપાછું) કરીને અલ્લાહે હરામ ઠરાવેલા મહિનાઓની ગણત્રી માત્ર પૂરી કરી છે. અને જુઓ! આજે જમાનો ફરી ફરીને એ જ સ્થિતિમાં આવી ગયો છે જે એ વખતે હતો, જ્યારે અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા હતા. એટલે કે અલ્લાહને ત્યાં મહિનાઓની સંખ્યા ચોક્કસપણે બાર છે અને જ્યારથી અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા છે, આ સંખ્યા તેના ગ્રંથ (તકદીરના લેખ)માં એવી જ રીતે નોંધાયેલી છે. આમાં ચાર મહિના હરામ છે - ત્રણ સતત એટલે કે ઝિલકઅદ, ઝિલહજ્જ અને મુહર્રમ અને એક અલગ અર્થાત્ રજ્જબ."
કેટલાક પાયાના આદેશો - 
"અલ્લાહ તઆલાએ વારસામાંથી દરેક વારસદાર માટે નક્કી ભાગ કરાવી દીધો છે અને એક તૃતિયાંશ કરતાં વધારેની વસિયત કરવાની મનાઈ ફરમાવી છે."
"બાળક તેનું જેની પથારી ઉપર (નિકાહમાં) જન્મે વ્યભિચારી માટે પથ્થર"
"જેણે પોતાના બાપની જગ્યાએ બીજા કોઈને બાપ ઠરાવ્યો, અથવા જે ગુલામે તેના માલિક સિવાય બીજા કોઈને માલિક જાહેર કર્યો તો આવા માણસ ઉપર અલ્લાહ અને ફરિશ્તા તેમજ તમામ મનુષ્યો તરફથી લિયાનત (ફિટકાર) છે. તેની પાસેથી (કયામતના દિવસે) કોઈ બદલો અથવા અવેજ સ્વીકારશે નહીં."
"સ્ત્રીને એના પતિની રજા વગર એના માલમાંથી કંઈ લેવું વૈધ (જાયઝ) નથી."
"ઋણ અદા કરવામાં આવે."
"ભેટ સોગાદો (કોઈ આપે તો એને પણ) આપણે પણ ભેટ સોગાતો આપવી જોઈએ."
અલ્લાહનું માર્ગદર્શન ઃ આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે અલ્લાહ તરફથી અપાયેલા શ્રેષ્ઠ માર્ગદર્શન અર્થાત્ કુઆર્ન ઉપર આચરણ કરવાનો આદેશ લોકોને આપ્યો. "હું તમારી વચ્ચે એક એવી વસ્તુ મૂકીને જઈ રહ્યો છું કે જ્યાં સુધી તેના ઉપર અમલ કરતા રહેશો ત્યાં સુધી કદી પણ સીધા માર્ગેથી વિચલિત નહીં થાવ. એ છે અલ્લાહની કિબાત (કુઆર્નમજીદ)!"
ધર્મમાં હૃદય ઓળંગતા - આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું "ધર્મમાં મર્યાદા ઓળંગવાથી વચો. આ જ કારણે પહેલાંની કોમો તારાજ થઈ ગઈ." આપ હજની તાલીમ આપતા જતા હતા અને લોકોના મસાઈલનો જવાબ આપતા હતા. આપે ફરમાવ્યું "હજના મસાઈલ શીખી લો. હું નથી જાણતો કે આના પછી મને બીજી હજ પઢવાની તક મળે."
અસલ ગુનેગાર સજાવાર - કોમો માટે સૌથી વધુ તારાજ કરનારી બાબત છે વેરઝેર. લડાઈ અને યુદ્ધ. મુસલમાનોની એકતા ઉપર ભાર મુકતા કહ્યું "મારા પછી ગુમરાહ ન થઈ જતા અને ક્યાંક (ભાઈચારાને ત્યજીને) ફરીથી કાફિરો જેવું વર્તન અપનાવીને એકબીજાના ગળા કાપવા લાગશો નહીં. અલ્લાહ સમક્ષ તમારા કાર્યોની પૂછપરછ કરવામાં આવશે."
"ગુનેગાર પોતાના ગુના માટે જવાબદાર છે. પિતાના ગુના માટે પુત્ર અને પુત્રના ગુના માટે પિતા જવાબદાર નથી."
આ આદેશો આપ્યા પછી લોકોથી પ્રશ્ન કર્યા. "તમને મારા વિશે પુછવામાં આવશે તો તમે શું કહેશો?" "લોકોએ મોટા સાદે કહ્યું, અમે સાક્ષી આપીએ છીએ કે આપે સંદેશ પહોંચાડી દીધો. ઉમ્મતને શિખામણ આપવાની ફરજ પૂરી કરી દીધી. સત્ય ઉપરથી તમામ પડદા ઉઠાવી લીધા અને અલ્લાહની અમાનતને અમારા સુધી પૂરેપૂરી પહોંચાડી દીધી.!"
આપે આકાશ તરફ આંગળી ઊંચી કરી અને કહ્યું, "હે અલ્લાહ તું સાક્ષી રહેજે! હે અલ્લાહ તું સાક્ષી રહેજે! હે અલ્લાહ તું સાક્ષી રહેજે!"
દીનની પૂર્ણતા - જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબુવ્વતની છેલ્લી ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે આ આયત ઉતારવામાં આવી. "આજના દિવસે મે તમારા માટે તમારા દીનને સંપૂર્ણ કરી દીધો અને મારી કૃપા પૂરી કરી દીધી અને તમારા ધર્મ માટે ઇસ્લામની પસંદગી કરી." (સૂરઃ અલમાઈદહ-૩૫)
આપે લોકોથી કહ્યું "જે લોકો અહીં હાજર છે તેઓ આ વાતો ગેરહાજર લોકો સુધી પહોંચાડી દે. શક્ય છે કે અમુક શ્રોતાઓની સરખામણીમાં કેટલાક ગેરહાજર લોકો આ વાતોને વધુ સારી રીતે યાદ રાખે અને એમની જાળવણી કરે."
"હજ્જતુલ વિદાઅ"નું આ પ્રવચન માનવોના મૂળભૂત અધિકારોનું સંવિધાન છે જેણે માણસાઈને ખરૃં સ્થાન અપાવ્યું. સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકારોનું ખતપત્ર આ પ્રવચન ઉપર જ આધારિત છે જેમાં વિશ્વના બધા જ રાષ્ટ્રો, સમુહો, જાતિઓ, ધર્મો અને રંગોના લોકો માટે સમાનતાનો આદેશ છે. ***

26 જાન્યુઆરી, 2018

હાસ્યાસ્પદ અનુવાદ

ગુગલ ટ્રાન્સલેટર નું હાસ્યાસ્પદ અનુવાદ ...... લો વાંચો પહેલા અનુવાદ પછી ઓરીજીનલ અંગ્રેજી...... જેને હસવું નાં આવે એ કોમેન્ટ જરૂર કરે.....


શૌર્ય ચક્ર

 મુખ્ય અખિલ RAJ આરવી
ગ્રેનાડિયર્સ રેજીમેન્ટ / 55 બટાલિયન THE રાષ્ટ્રીય રાઈફલ્સ

01 AUG 2017

પર 01 ઑગસ્ટ 2017, લગભગ 0200 કલાકે, મેજર અખિલ રાજ આરવી જમ્મુ અને કાશ્મીર Pulwama જિલ્લાના એક ઘરમાં હાર્ડકોર લશ્કર-એ-Toiba આતંકવાદીઓ હાજરી અંગેની તેમની સ્રોતોમાંથી ઇનપુટ પેદા કર્યો હતો. સૌથી વધુ ઓર્ડર સુનિયોજિત કુશળતા પ્રદર્શિત બટ્સે કામગીરી આયોજન કર્યું હતું અને સ્ટીલ્થ અને આશ્ચર્ય સાથે ફૂલ સાબિતી કોર્ડન સ્થાપના કરી હતી.

વ્યક્તિગત સલામતી કુલ અવજ્ઞા સાથે, અધિકારી બહાર રિકોનિસન્સ ભારે આતંકવાદી આગ વચ્ચે તેમના રોકેટ પ્રક્ષેપણ ટુકડી તૈનાત, ત્યારબાદ બંધ શ્રેણીમાંથી પર પ્રભુત્વ જમાવ્યું હતું આતંકવાદીઓ નાશ માટે ધરાયેલા અધિકારી લક્ષ્ય ઘરમાં પ્રવેશ બનાવવામાં ભંગ મારફતે ક્રોલ, કાચા હિંમત અને અસાધારણ પ્રતિબિંબ પ્રદર્શિત કુશળતા ફાયરિંગ એક આતંકવાદી દૂર કરવા. મુખ્ય અખિલ અભયતા અને સ્ટીલ સદી પ્રદર્શિત, ઇરાદાપૂર્વક કવર બહાર ખસેડવામાં બાકી આતંકવાદીઓ જેથી તેઓ તેઓ અન્ય પક્ષ દ્વારા એક અલગ દિશામાં માંથી તટસ્થ કરી શકાય ધ્યાન વિચલિત કરવા માટે.

તીવ્ર ફાયરિંગ અને લશ્કર-એ-Toiba tanzeem ના હાર્ડ કોર આતંકવાદીઓ નાબૂદી પરિણમે ફરજ કોલ બહાર નજરે વીરતા માટે દ્રષ્ટાંતરૂપ નેતૃત્વ, કાચા હિંમત, ચહેરા નિર્ભયતા પ્રદર્શિત કરવા માટે, મેજર અખિલ રાજ આરવી "શૌર્ય ચક્ર" સાથે આપવામાં આવે છે.
SHAURYA CHAKRA

 MAJOR AKHIL RAJ RV
THE GRENADIERS REGIMENT / 55TH BATTALION THE RASHTRIYA RIFLES

01 AUG 2017

On 01 Aug 2017, at approximately 0200 hrs, Major Akhil Raj RV generated input from his sources regarding presence of hardcore Lashkar-e-Toiba terrorists in a house in Pulwama district of Jammu and Kashmir. Displaying tactical acumen of highest order, meticulously planned the operation and established a fool proof cordon with stealth and surprise.

With total disregard to personal safety, the officer carried out reconnaissance amidst heavy terrorist fire for deploying his rocket launcher detachment, subsequently destroying the dominating terrorists from close range, the officer crawled through a breach created into the target house, displayed raw courage and exceptional reflex firing skills to eliminate one terrorist. Major Akhil displaying fearlessness and nerves of steel, deliberately moved out of cover to distract attention of the remaining terrorists so that he they could be neutralized from a different direction by another party.

For displaying exemplary leadership, raw courage, fearlessness in face to intense firing and conspicuous gallantry beyond call of duty resulting in elimination of hard core terrorists of Lashkar-e-Toiba tanzeem, Major Akhil Raj RV is awarded with “SHAURYA CHAKRA”.

શૌર્ય ચક્ર
લાન્સ નાઈક BADHER હુસૈન
4 થી બટાલીયન THE જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી
07 JUNE 2017
પર 07 0500 કલાક 2017 જૂન લાન્સ નાઈક Badher જમ્મુ અને કાશ્મીર ઉરી જિલ્લામાં એક ગાઢ જંગલ માં શોધ પક્ષ અગ્રણી સ્કાઉટ હતી.
સતત 1140 કલાક આતંકવાદીઓ રસ્તાઓ શોધમાં તેઓ આતંકવાદીઓ આપ્યો અને તરત જ તેના પક્ષ ચેતવણી આપી હતી. જોકે, આગામી તોપમારો માં, બંદૂકધારી વિજય ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. તેના સાથી માટે ભય આશંકાએ તેમણે પોતાની જાતને ખુલ્લી પાડી, પોતાની અંગત સલામતી unmindful, તેમણે તેમની સ્થિતિ જાળવવા ચાલુ રાખ્યું અને આતંકવાદીઓ પર આગ ભારે વોલ્યુમ નીચે લાવવામાં, સલામતી માટે તેના સાથી પાછા ખેંચી પરંતુ આતંકવાદીઓ ભાગી વ્યવસ્થાપિત અન્ય સક્ષમ બનાવે છે. તેમ છતાં, તેમણે ગરમ અનુસરવાના ચાલુ રાખ્યું અને આતંકવાદીઓ પગેરું માટે શોધ ભાગ હતો. જ્યારે આતંકવાદીઓ ફરી આવેલા હતા, તેમણે એક સ્ટોપ અને સ્ટીલની ચેતા પ્રદર્શિત સ્થાપના કરી, તેમના પર ચોક્કસ આગ નીચે લાવવામાં ત્રાસવાદીઓની નાબૂદી ખાતરી આપે છે.
જીવન બચત અને દૂર હાર્ડકોર વિદેશી આતંકવાદીઓ નજરે હિંમત સાથે દાગીનો ફરજ કોલ ઉપરાંત, આ સુંદર કાર્ય માટે, લાન્સ નાઈક Badher "શૌર્ય ચક્ર" સાથે આપવામાં આવે છે.
SHAURYA CHAKRA LANCE NAIK BADHER HUSSAIN
4TH BATTALION THE JAMMU AND KASHMIR LIGHT INFANTRY
07 JUNE 2017
On 07 June 2017 at 0500 hours, Lance Naik Badher was the leading scout of the search party into a dense Forest at Uri district of Jammu and Kashmir.
Persistently searching trails of terrorists at 1140 hours, he spotted terrorists and immediately warned his party. However, in the ensuing firefight, Rifleman Vijay was severely injured. Sensing danger to his buddy he exposed himself, unmindful of his personal safety, he continued maintaining his position and brought down heavy volume of fire on terrorists, enabling others to pull back his buddy to safety but terrorists managed to escape. Undeterred, he continued hot pursuit and was part of search for trail of terrorists. When terrorists were sited again, he established a stop and displaying nerves of steel, brought down accurate fire on them, ensuring elimination of the terrorists.
For this gallant act of saving a life and eliminating hardcore foreign terrorists ensemble with conspicuous courage, beyond the call of duty, Lance Naik Badher is awarded with “SHAURYA CHAKRA”.
આ ત્રીજો નમુનો પણ જુઓ.........
શૌર્ય ચક્ર
છત્રી સૈનિક માન્ચુ
12TH બટાલિયન THE પેરાશ્યુટ રેજીમેન્ટ (વિશેષ દળો)
06 JUNE 2017
છત્રી સૈનિક માન્ચુ, 12 બટાલિયન THE પેરાશ્યુટ રેજીમેન્ટ (વિશેષ દળો), સોમ ડિસ્ટ્રિક્ટ (નાગાલેન્ડ) માં તૈનાત મોબાઇલ વાહન ભાગ પોસ્ટ (MVCP) ચકાસો 06 પર 17 જૂન હતો.
મેજર ડેવિડ Manlun અને કેપ્ટન (હવે મેજર) હેઠળ NSCN (K) અને ULFA (હું), સંયુક્ત સ્તંભ શંકાસ્પદ લડવૈયાઓએ ના ચાલ અંગે ઇનપુટના આધારે Nitesh કુમાર MVCP સ્થાપિત કરવા માટે બહાર ગયા હતા. અંદાજે 2200h ખાતે બે ઑટો રિક્ષા MVCP ભૂતકાળ અને પોતાના ટીમમાં દ્વારા પીછો કરવામાં આવી રહી જીપ્સીમાં અચાનક થંભી આવ્યા ઝડપમાં વધારો. આતંકવાદીઓ dismounted અને ભારે આગ અને પોતાના પક્ષ પર lobbed ગ્રેનેડ ખોલ્યું. આગામી આગ લડાઈમાં ત્રણ સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. છત્રી સૈનિક માન્ચુ ખસેડવામાં તરફ ભારે આગ હેઠળ ઘાયલ અને અસરકારક આગ નીચે લાવવામાં અને સક્ષમ આતંકવાદીઓ નાબૂદી. ગ્રેનેડ વિસ્ફોટમાં કારણે તેમણે grievously બંને આંખો અને ખભા ઘાયલ કરવામાં આવી હતી પરંતુ profusely રક્તસ્ત્રાવ છતાં તેમણે સુરક્ષા પર પાછા બે સૈનિકો પીછેહઠ કરી.
ઓપરેશન દરમિયાન છત્રી સૈનિક માન્ચુ ભારે આગ હેઠળ કાચા હિંમત અને મનની હાજરી પ્રદર્શિત કર્યા છે. તેમના પહેલ અને ખૂબ જ ઊંચી હુકમ નિર્ણય પોતાની જાતને ગંભીર ઇજાઓ હોવા છતાં તેના સાથી ટીમમાં સભ્યો જીવન સાચવી. આ સુંદર ક્રિયા માટે, છત્રી સૈનિક માન્ચુ "શૌર્ય ચક્ર" સાથે આપવામાં આવે છે.
SHAURYA CHAKRA
PARATROOPER MANCHU
12TH BATTALION THE PARACHUTE REGIMENT (SPECIAL FORCES)
06 JUNE 2017
Paratrooper Manchu, 12th Battalion THE PARACHUTE REGIMENT (SPECIAL FORCES), deployed in Mon District (Nagaland) was part of Mobile Vehicle Check Post (MVCP) on 06 June 17.
Based on input regarding move of suspected cadres of NSCN(K) and ULFA(I), combined column under Major David Manlun and Capt (Now Major) Nitesh Kumar moved out to establish a MVCP. At approx at 2200h two Auto Rickshaws sped past MVCP and on being pursued by own squad in Gypsy came to sudden halt. The terrorists dismounted and opened heavy fire and lobbed grenades on own party. In the ensuing fire fight three soldiers were critically injured. Paratrooper Manchu moved towards injured under heavy fire and brought down effective fire and enabled elimination of the terrorists. Due to the grenade blast he was grievously injured in both eyes and shoulder but despite bleeding profusely he pulled back two soldiers to safety.
During the operation Paratrooper Manchu displayed raw courage and presence of mind under heavy fire. His initiative and determination of very high order despite grievous injuries to himself saved lives of his fellow squad members. For this gallant action, Paratrooper Manchu is awarded with “SHAURYA CHAKRA”.