આ બ્લૉગ શોધો

19 મે, 2017

બે પુસ્તકો નું પ્રકાશન ............

મિત્રો
મને ખુબજ આનંદ થઇ રહ્યો છે કે મારા બે પુસ્તકો નું પ્રકાશન થઇ ગયું છે.....

મધ્ય યુગ ના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો માં ઈ.સ.૭ મી સદી થી ૧૬મી સદી સુધી થઇ ગયેલ મહાન મુસ્લિમ વૈજ્ઞાનિકો નું વર્ણન કરવામાં આવ્યું છે.૮૭ વૈજ્ઞાનિકો એક એકથી ચઢીયાતા છે.આજે આ મહાન વૈજ્ઞાનિકો વિષે ભણાવવામાં નથી આવતું ના જ એમના વિષે કોઈ ચર્ચા કરવામાં આવે છે.બીજા લોકો તો ઠીક ખુદ મુસ્લીમોનેજ એમના વિષે ખબર નથી.લોકો આ મહાન વૈજ્ઞાનિકો ના વિજ્ઞાન માં આપેલા યોગદાન ને સમજે એ આશય થી જ મેં આ એક નમ્ર પ્રયાસ કર્યો છે....
સફળતા ના સોપાન ૩૦ પ્રેરણાત્મક લેખો નો સંગ્રહ છે જે મેં 'યુવાસાથી' મેગેઝીન માં લખ્યા હતા.આ બ્લોગ ઉપર પણ ઘણા લેખો મેં મુક્યા હતા.
આશા છે કે મારા આ નમ્ર પ્રયાસ ને બિરદાવવામાં આવશે.બંને પુસ્તકો ટૂંકમાજ પ્રસિદ્ધ પુસ્તક વિક્રેતાઓ ને ત્યાં ઉપલબ્ધ થઇ જશે .હાલ જોઈતા હોય તો નીચેના સરનામે મળી શકશે.
સબરસ પ્રકાશન
૬-ડી ,આઝાદ પાર્ક,મક્કા નગર પાસે,વેજલપુર,અમદાવાદ.
મોબાઈલ :૦૯૬૨૪૦૪૬૬૭૭,૯૭૨૩૫ ૪૦૨૩૬
પુસ્તક વાંચ્યા પછી નીખાલસ્તાથી અભિપ્રાય આપશો મને ગમશે.
સર્વે વાચક મિત્રો નો હું આભાર માનું છું.