આ બ્લૉગ શોધો

5 ઑગસ્ટ, 2020

કેરિયર ગાઇડન્સ વેબિનાર : ડીપ્લોમાં અને એન્જીનીયરીંગમાં કારકિર્દી ની તકો

૨૫ જુલાઈ,2020 રવિવારના દિવસે  એહસાસ ફાઉન્ડેશન આયોજિત પાંચમો કેરિયર ગાઇડન્સ વેબિનાર યોજાઈ ગયો.જેમાં એક્સપર્ટ તરીકે ડોક્ટર સાજીદ મોગલ (IIT-Mumbai),સઈદ શેખ (લેખક અને રાહબર એજુકેશન સોસાઈટી ના પૂર્વપ્રમુખ),ડોક્ટર બિલાલ શેઠ (પ્રોફેસર,હિંમતનગર કોલેજ) વિગેરે એ પોતાના જ્ઞાન અને અનુભવની વહેંચણી કરી હતી.એહસાસ ફાઉન્ડેશન તરફથી શબ્બીર એહમદ ખત્રી (પ્રોફેસર-ITI,ભૂજ) અને સંચાલન અશરફ મેમણે ખૂબ સારી રીતે કર્યું હતું.આ કાર્યક્રમને ફેસબુક પર લાઈવ મુકવામાં આવ્યો હતો.જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. આને નીચેની લીંક પરથી જોઈ શકાશે.


બીજાનું વિચારજો (Think of Others)

તમે તમારો નાસ્તો તૈયાર કરો તો બીજાનું વિચારજો
(કબૂતરના દાણાને ન ભૂલતા)
તમે તમારું યુદ્ધ આરંભો તો બીજાનું વિચારજો
( જે લોકો શાંતિ શોધે છે એમને ન ભૂલતા)
તમે પાણીનું બિલ ભરો તો બીજાનું વિચારજો
( જેઓ વાદળોના પાણી પર નભે છે)
તમે તમારા ઘરે પાછા ફરો તો બીજાનું વિચારજો
(છાવણીમાં રહેલા લોકોને ન ભૂલતા )
તમે ઊંઘતી વખતે તારા ગણો તો બીજાનું વિચારજો
(કે જેમની પાસે ઊંઘવાની કોઈ જગ્યા નથી)
તમે રૂપકમાં તમારી જાતને અભિવ્યક્ત કરો તો બીજાનું વિચારજો
(જેઓ બોલવાનો અધિકાર ગુમાવી ચુક્યા છે)
દૂર રહેલા લોકો વિશે વિચારો તો તમારી જાત વિશે પણ વિચારજો
(કહો:જો હું અંધકારમાં માત્ર એક મીણબત્તી હોત!)
- મહેમૂદ દરવેશ ( ૧૯૪૧-૨૦૦૮ પેલેસ્ટીનીયન રાષ્ટ્રીય કવિ )
અનુવાદ: મોહમ્મદ સઈદ શેખ

4 માર્ચ, 2020

આ ઉનાળુ સત્રમાં સરકાર લાવશે એવો કાયદો-વાંચીને ચોંકી જશો તમે પણ !


આ ઉનાળુ સત્રમાં મોદી સરકાર એક એવો કાયદો લાવી રહી છે જેનાથી ભારતના તમામ નાગરિકો ચોંકી જશે.મોદી સરકાર જે કાયદો લાવી રહી છે એનું નામ છે "સ્પેશિયલ સીટીઝન્સ પ્રોટેકશન બિલ" (Special Citizens Protection Bill").આ બિલ ઉનાળુ સત્રમાં સંસદના બન્ને ભવનોમાં રજૂ કરવામાં આવશે. આ બિલ ની જોગવાઈ મુજબ દેશના અમુક "ખાસ" એટલે કે સ્પેશ્યલ લોકોની સરકાર ધરપકડ નહીં કરે.જો પોલીસે ધરપકડ કરવી હશે તો પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.આ માહિતી કાયદાપ્રધાન શ્રી રવિશંકર પ્રસાદે એક એક પત્રકાર પરિષદમાં આપી.આ કાયદાની જોગવાઈ મુજબ દેશના કેટલાક "ખાસ" નાગરિકોને વિશેષ સુવિધા આપવામાં આવશે.આ સુવિધામાં જો એમણે ગુનો પણ કર્યો હશે તો પોલીસ તરત એમની ધરપકડ નહિ કરે.ઉલટું એમને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવશે.
આની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર પોતાના એટલે કે RSS અને ભાજપના લોકોને બચાવવા માંગે છે.આનાથી બીજા સામાન્ય લોકોને અન્યાય થશે.આવા લોકોની ધરપકડ કરતા પહેલા પોલીસે સરકારની મંજૂરી લેવી પડશે અને શક્ય છે કે જજ પણ આવા લોકોની ધરપકડ માટે વોરંટ ઈસ્યુ નહિ કરે.એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ.વધુમાં એમણે જણાવ્યું કે પાછલા કેટલાક દિવસોમાં થયેલા રમખાણોમાં ભાજપના નેતાઓ દ્વારા ઉશ્કકેરણી જનક ભાષણો કરવાથી દિલ્હીમાં વધારે હિંસા ફાટી નીકળી હતી. આવા આગેવાનો વિરુદ્ધ એફઆઇઆર કરવાને બદલે સરકાર એમને બચાવી રહી છે. એટલુજ નહિ કપિલ મિશ્રા જેવા લોકોને તો વાય પ્લસ સુરક્ષા આપી રહી છે ,જે અત્યંત ખેદજનક છે. 
આ બિલ વિશે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ કહ્યું કે સરકાર આવો કોઈ કાયદો લાવી ન શકે. આ બીલ દેશના કાયદા અને બંધારણની વિરુદ્ધ છે. દેશમાં બધા જ લોકો કાયદાની દ્રષ્ટિએ સમાન છે.આ કાયદાથી દેશમાં જંગલ રાજ ફેલાશે.ખરેખર તો આવા કાયદાની કોઈ જરૂર જ નથી.સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે.સરકાર એક તરફી નિર્ણયો લઈ રહી છે અને પોતાના માણસોને ખાસ કરીને પોતાની પાર્ટીના માણસો ને બચાવવા માટે આ બિલ લાવવા માંગે છે.
આ જોગવાઇથી સૌથી વધુ લાભ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને મળશે એવું માનવામાં આવી રહ્યું છે.

24 ફેબ્રુઆરી, 2020

આજે મિરઝાપુર ખાતે આવેલ ઓરીએન્ટલ હાઈસ્કૂલના ધો.૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓના વિદાયમાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે બિરાજવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વક્તવ્ય અને કારકિર્દી માર્ગદર્શન આપ્યું.










23 ફેબ્રુઆરી, 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને પકોડાની પેટન્ટ ભેટ આપશે મોદી!

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભારતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી એમને "પકોડા"ની પેટન્ટ ભેટ આપશે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધારે લોકો અમેરિકન પ્રમુખ નું સ્વાગત કરશે એ પછી તેઓ આગ્રામાં તાજમહલ અને દિલ્હીમાં એક સરકારી શાળાની મુલાકાત લેશે. Trump ભારત આવશે તો દેશને અમેરિકા તરફથી ઘણા વ્યાપારી કરારો કરવામાં આવશે અને ભારતને બીજી પણ ઘણી બાબતોમાં લાભ થશે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ વ્હાઈટ હાઉસે  સપષ્ટ  કરી દીધું છે કે અમેરિકા ભારત સાથે એવા કોઈ કરાર નહીં કરે.ઉલટું એણે ભારત પર 260 મિલિયન ડોલરનો દંડ ફટકારી દીધો છે .આ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમસ્તે Trump  કાર્યક્રમમાં ભવ્ય આગતા-સ્વાગતા કરશે.એટલું જ નહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના "ખાસ મિત્ર" ને પકોડાની પેટન્ટ ભેટ આપી મિત્રતા નિભાવશે.કોઈપણ જાતના ફળની આશા રાખ્યા વિના મહેમાનનું સત્કાર કરવું અને કંઇક ને કંઇક ભેટ આપવી આપણી પ્રાચીન પરંપરા રહી છે.આ પરંપરાના ભાગરૂપે જ શ્રી નરેન્દ્ર મોદી પકોડાની પેટન્ટ આપશે.
 ઉલ્લેખનીય છે પકોડા ભારતીયોનું પ્રિય  વયંજન રહ્યું છે .મોદીજીએ યુવાનોને પકોડા તળી ને વેચવાની જ્યારથી સલાહ આપી છે ત્યારથી દેશમાં પકોડા નો ગ્રુહ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે.
       પકોડા પેટન્ટ મળશે તેનાથી રોમાંચિત થયેલા પ્રમુખ ટ્રમ્પે ટવીટ કરીને મોદીનો આભાર માન્યો છે અને સાથે માંગણી પણ કરી છે કે માત્ર પકોડા જ શા માટે એમને તો ફાફડા, ઢોકળા , હાંડવા, થેપલા,જલેબી અને લાડવા ના પણ પેટન્ટ મળવા જોઈએ.શ્રી નરેન્દ્ર મોદીએ તેમની આ વાતનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.
વોગ્શિંગ્ટન સ્થિત અમારા સંવાદદાતાએ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મિસ મોરગન ઓરટેગસ સાથે વાતચીત કરી .મિસ ઓરટેગસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ પેટન્ટ મળવાથી અમેરિકામાં વધુ પ્રમાણમાં પકોડા સેન્ટર ખુલશે અને અમેરિકાની મંદી માં ઘટાડો થશે અમેરિકન બેરોજગારીમાં પણ એક ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે .એટલું જ નહીં ઓફ ધ રેકોર્ડ એમણે કહ્યું કે આવતા વર્ષે ચૂંટણીમાં Trump જીતશે કે નહીં એ કહેવાય નહીં પરંતુ એમના રિયલ એસ્ટેટના ધંધામાં ખૂબ મંદી આવી છે ત્યારે પકોડા ઉદ્યોગથી  મિ.ટરમપ ફરીથી બિલિયોનેર બનશે .